SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ પન્નવણા - ૧૭/૧૪૪૭ યાવતુ વારંવાર નિઃશ્વાસરૂપે મૂકે છે. તેમાં જે અલ્પશરીરવાળા છે તે અલ્પ પુદ્ગલોનો આહાર કરે છે, યાવતું નિશ્વાસરૂપે મૂકે છે. કદાચિત આહાર ગ્રહણ કરે છે, યાવતું કદાચિનુ મૂકે છે, એ હેતુથી એમ કહું છું કે નૈરયિકો બધા સમાન આહારવાળા નથી, બધા સમાન શરીરવાળા નથી અને બધા સમાન ઉચ્છ વાસનિઃશ્વાસવાળા નથી.” [૪૪] હે ભગવનું ! નરયિકો બધા સમાનકર્મવાળા છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો? હે ગૌતમ! નૈરયિકો બે પ્રકારના છે. પૂર્વે ઉત્પન્ન થયેલા, અને પાછળ ઉત્પન્ન થયેલા. તેમાં જે પૂર્વે ઉત્પન્ન થયેલા છે તે અલ્પ કર્મવાળા છે અને પાછળ ઉત્પન્ન થયેલા છે તે મહાકર્મવાળા છે. તે હેતુથી હે ગૌતમ ! એમ કહું છું. હે ભગવન્! નૈરયિકો બધા સમાનવર્ણવાળા છે? હે ગૌતમ ! એ અર્થ સમર્થનયુક્ત નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! નૈરયિકો બે પ્રકારના છે. તે આ પ્રમાણે-પૂર્વે ઉત્પન્ન થયેલા અને પાછળ ઉત્પન્ન થયેલા. તેમાં જે પૂર્વે ઉત્પન્ન થયેલા છે તે વિશુદ્ધતર વર્ણવાળા અને જે પાછળ ઉત્પન્ન થયેલા છે તે અવિશુદ્ધવર્ણવાળા છે, એ હેતુથી હે ગૌતમ ! એમ કહું છું. એ પ્રમાણે જેમ વર્ણ સંબંધે કહ્યું તેમ લેશ્યાસંબંધે વિશુદ્ધલેશ્યાવાળા અને અવિશુદ્ધલેશ્યાવાળા કહેવા. હે ભગવન્! નૈરયિકો બધા સમાનવેદવાળા છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! નરયિકો બે પ્રકારના છે, તે આ પ્રમાણે- સંજ્ઞીભૂતસમદ્રષ્ટિ અને અસંશીભૂતમિથ્યાદ્રષ્ટિ. તેમાં જેઓ સંજ્ઞીભૂત છે તે મહાવેદનાવાળા છે અને અંસશીભૂત છે તે અલ્પવેદનાવાળા છે. [૪૪૫] હે ભગવન્! બધા નૈરયિકો સમાનક્રિયાવાળા છે? હે ગૌતમ! આ અર્થ યુક્ત નથી. ભગવન્! એમ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! નૈરયિકો ત્રણ પ્રકારના છે, સમ્યવૃષ્ટિ, મિથ્યાવૃષ્ટિ અને સન્મિથ્યાવૃષ્ટિ, તેમાં જે સમ્યગૃષ્ટિ છે તેઓને ચાર ક્રિયાઓ થાય છે. આરંભિકી પારિગ્રહિકી, માયાપ્રત્યયિકી અને અપ્રત્યાખ્યાનક્રિયા. તેમાં જે મિથ્યાદ્રષ્ટિ અને સમ્પમ્પિય્યાદ્રષ્ટિ છે તેઓને અવશ્ય પાંચ ક્રિયાઓ થાય છે. તે આ પ્રમાણે આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયિકી, અપ્રત્યાખ્યાનક્રિયા અને મિથ્યા દર્શન પ્રત્યયિકી. હે ભગવનું ! નૈરયિકો બધા સમાનઆયુષવાળા અને સાથે ઉત્પન્ન થયેલા હોય છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! નૈરયિકો ચાર પ્રકારના છે. કેટલાક સમાન આયુષવાળા અને સાથે ઉત્પન્ન થયેલા, કેટલાક સમાનઆયુષવાળા અને વિષમ-સમયે ઉત્પન્ન થયેલા, કેટલાક વિષમ-આયુષવાળા અને સાથે ઉત્પન્ન થયેલા અને કેટલા એક જુદા જુદા આયુષવાળા અને જુદા જુદા સમયે ઉત્પન્ન થયેલા. ૪૪] હે ભગવન્! બધા અસુરકુમારો સમાન આહારવાળા છે ? એમ સમશરીરરાદિ બધા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! આ અર્થ યુક્ત નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ? નૈરયિકોની પેઠે કહેવું. હે ભગવનું ! અસુરકુમારો બધા સમાન કર્મવાળા છે? હે ગૌતમ! આ અર્થ યુક્ત નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! અસુરકુમારો બે પ્રકારના છે, તે આ પ્રમાણે-પૂર્વે ઉત્પન્ન થયેલા અને પછી ઉત્પન્ન થયેલા. તેમાં જે પૂર્વે ઉત્પન્ન થયેલા છે તે મહાકર્મવાળા છે અને જે પછી ઉત્પન થયેલા છે તે અલ્પકર્મવાળા છે, એ પ્રમાણે વર્ણ અને લેગ્યા સંબંધે પૃચ્છા કરવી. તેમાં જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy