SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ પન્નવણા - ૧૫/૨/૩૭ કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત થવાની હોય. એ પ્રમાણે યાવતુ ખનિતકુમારપણામાં જાણવું. હે ભગવનું એક એક નૈરયિકને પૃથિવીકાયિકપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત-પૂર્વે થયેલી હોય ? હે ગૌતમ ! અનન્ત હોય. કેટલી બદ્ધ હોય? હે ગૌતમ ! ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! કોઈને થવાની હોય અને કોઇને થવાની ન હોય, જેને થવાની હોય તેને એક, બે, ત્રણ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત થવાની હોય. એ પ્રમાણે યાવતું વનસ્પતિકાયપણામાં જાણવું. હે ભગવન્! એક એક નૈરયિકને બેઇન્દ્રિયપણામાં કેટલી દ્રવ્યોન્દ્રિયો અતીત કાળે થયેલી હોય? હે ગૌતમ! અનન્ત હોય. કેટલી બદ્ધ હોય? હે ગૌતમ! નથી. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! કોઇને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તેને બે, ચાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત થવાની હોય. એ પ્રમાણે તે ઇન્દ્રિયપણામાં પણ જાણવું. પરંતુ ભવિષ્યમાં થવાની ચાર, આઠ, બાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત દ્રવ્યેન્દ્રિયો હોય. એમ ચઉરિક્રિયપણામાં પણ સમજવું, પરંતુ ભવિષ્યમાં થવાની છે, બાર, અઢાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત દ્રવ્યેન્દ્રિયો હોય. જેમ અસુરકુમારપણામાં કહ્યું તેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકપણામાં પણ જાણવું. મનુષ્યપણામાં પણ એમજ સમજવું. પરંતુ ભવિષ્યમાં કેટલી દ્રવ્યેન્દ્રિયો થવાની હોય? આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત દ્રવ્યેન્દ્રિયો થવાની હોય. મનુષ્ય સિવાય બધાને મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિયો ભવિષ્યમાં થવાની કોઇને હોય અને કોઇને ન હોય એમ ન કહેવું. વ્યંતર, જ્યોતિષ્ક, સૌધર્મ યાવતુ રૈવેયકદેવપણામાં દ્રવ્યેન્દ્રિ યો પૂર્વ કાળે અનન્ત થયેલી હોય, બદ્ધ દ્રવ્યેન્દ્રિયો નથી, અને ભવિષ્યમાં થવાની કોઈને હોય અને કોઇને ન હોય. જેને હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત દ્રવ્યેન્દ્રિયો થવાની હોય. હે ભગવન્! એક એક નૈરયિકને વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિતદેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત-ભૂતકાળે થયેલી હોય ? હે ગૌતમ! ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કોઇને થવાની હોય અને કોઇને ન હોય. જેને થવાની હોય તેને આઠ અથવા સોળ દ્રવ્યેન્દ્રિયો થવાની હોય. સવર્થસિદ્ધ દેવપ ણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત અને બદ્ધ નથી, ભવિષ્યમાં થવાની કોઇને હોય અને કોઈને ના હોય. જેને ભવિષ્યમાં થવાની છે તેને આઠ દ્રવ્યેન્દ્રિયો થવાની હોય એ પ્રમાણે જેમ નૈરયિ કનો દેડક કહ્યો તેમ અસુરકુમાર વડે પણ દંડક કહેવો. યાવતુ પંચેન્દ્રિય તિર્યંચ વડે દંડક કહેવો. પરંતુ જેને સ્વસ્થાનમાં જેટલી બદ્ધ વર્તમાન દ્રવ્યેન્દ્રિયો હોય તેને તેટલી કહેવી. હે ભગવનું એક એક મનુષ્યને નારકપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો પૂર્વકાળે થયેલી હોય ? હે ગૌતમ ! અનન્ત થયેલી હોય. કેટલી બદ્ધ હોય ? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કોઇને ભવિષ્યમાં થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને ભવિષ્યમાં થવાની હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત બેન્દ્રિયો થવાની હોય. એ પ્રમાણ યાવતુ પંચેન્દ્રિય તિર્યંચયોનિપણામાં જાણવું. પરંતુ એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયમાં જેને જેટલી ભવિષ્યમાં થવાની દ્રવ્યેન્દ્રિયો હોય તેને તેટલી કહેવી. હે ભગવન્! એક એક મનુષ્યને મનુષ્યપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો પૂર્વે થયેલી હોય ? હે ગૌતમ ! અનન્ત હોય. કેટલી બદ્ધ-વર્તમાન હોય? હે ગૌતમ ! આઠ હોય. કેટલી ભવિષ્ય માં થવાની હોય? હે ગૌતમ! કોઇને થવાની હોય અને કોઇને થવાની ન હોય. જેને થવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy