SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ • પ્રતિપત્તિ-૨ (પ્રતિપત્તિ ર-ત્રિવિધ) [પર નવ પ્રતિપત્તિયોમાં જે આચાર્યએ એવું કહ્યું છે કે સંસારીજીવો ત્રણ પ્રકા રના કહેવામાં આવ્યા છે. તે કે સ્ત્રી, પુરૂષ અને નપુસકના ભેદથી સંસારી જીવો કહે છે. પ૩] હે ભગવનું સ્ત્રિયો કેટલા પ્રકારની કહેવામાં આવેલ છે ? સ્ત્રિયો ત્રણ પ્રકારની કહેવામાં આવે છે. તિર્યગ્લોનિક સ્ત્રી, મનુષ્ય સ્ત્રી, અને દેવત્રી. તિર્થગ્યોનિક સ્ત્રિયો ત્રણ પ્રકારની જલચરી સ્થલચરી અને ખેચરી. જલચર સ્ત્રિયોના પંચ ભેદો કહેલા છે. માછલીઓ, કાચબીઓ, મઘરી, ગ્રાહી અને સુંસુમારી. સ્થલચર સ્ત્રિયો બે પ્રકારની હોય છે. ચતુષ્પદી સ્ત્રિયો અને પરિસર્પિણી અયો. ચતુષ્પદી સ્ત્રિયો ચાર પ્રકારની એક ખરીવાળી યાવતું સનખપદી સ્ત્રિયો. પરિસર્પિણી સ્ત્રિયો બે પ્રકારે ઉર પરિસર્પિણી ભુજ પરિસર્પિણી. ઉર પરિસપિણી સ્ત્રિયો ત્રણ પ્રકારની, સામાન્ય સપની સ્ત્રી, અજગર સ્ત્રી અને મહોરગસ્ત્રી, ભુજ પરિસર્પિણીઓના અનેક ભેદ થાય છે. ગોધિકા, નકુલી, શાવડી, કાચંડી, સસલી, ખારા. ખેચર સ્ત્રિયો ચાર પ્રકારની છે. ચર્મ પક્ષિણીયો યાવતુ વિતત પદ્મિણીઓ. હે ભગવનું મનુષ્ય સ્ત્રિ યોના કેટલા ભેદો કહ્યા છે? ત્રણ ભેદો છે. કર્મભૂમિજ સ્ત્રિયો ૧, અકર્મભૂમિજ સ્ત્રિયો ૨, અને અંતર દ્વિીપજ સ્ત્રિયો ૩ અંતદ્વીપજ સ્ત્રિયો અઠયાવીસ પ્રકારની કહી છે. એકોરુકનામના દ્વિીપની મનુષ્યસ્ત્રિયો, યાવતું શુદ્ધદેત નામના દ્વીપની મનુષ્ય સ્ત્રિયો.અકર્મભૂમિજ સ્ત્રિયોના ત્રીસ ભેદો કહ્યા છે. પાંચ હેમવત ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલી સ્ત્રિયો, પાંચ ઐરણ્યવત ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલી સ્ત્રિયો પાંચ હરિવર્ષ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ સ્ત્રિયો, પાંચ રમ્યક ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલી સ્ત્રિયો, પાંચ દેવમુરાઓમાં ઉત્પન્ન તથા પાંચ ઉત્તર કુરાઓમાં ઉત્પન્ન થયેલ સ્ત્રિયો કર્મભૂમિજ સ્ત્રિયો પંદર પ્રકારની કહેલ છે. પાંચ ભરત ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલી સ્ત્રિયો, પાંચ ઐરાવત ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલી સ્ત્રિયો,પાંચ મહાવિદેહોમાં ઉત્પન્ન થયેલી સ્ત્રિયો. હે ભગવનું દેવ સ્ત્રિયોના કેટલા ભેદો કહેલા દેવની સ્ત્રિયો ચાર પ્રકારની કહી છે. ભવનવાસી વાન વ્યત્તર જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોની સ્ત્રિયો. ભવનવાસી સ્ત્રિયોના પણ દસ ભેદો કહ્યા છે. અસુરકુમાર ભવનવાસી દેવની સ્ત્રિયો યાવતુ સ્વનિતકુમાર ભવનવાસી દેવ ની સ્ત્રિયો.વનત્તર દેવની સ્ત્રિયો, આઠ પ્રકારની છે, પિશાચ સ્ત્રિયો, ભૂત સ્ત્રિયો, યક્ષસ્ત્રિયો, રાક્ષસસ્ત્રિયો, કિંમર સ્ત્રિયો, જિંપુરૂષસ્ત્રિયો અને ગંધર્વ ઢિયો. જ્યોતિષ્ક દેવોની સ્ત્રિયો પાંચ પ્રકારની કહી છે. ચંદ્ર વિમાન જ્યોતિષ્ક દેવની સ્ત્રિયો સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા વિમાન જ્યોતિષ્ક દેવની સ્ત્રિયો. વૈમાનિક દેવોની સ્ત્રિયો બે પ્રકારની કહેલ છે. સૌધર્મ કલ્પ વૈમાનિક દેવની સ્ત્રિયો અને ઈશાન કલ્પ વૈમાનિક દેવની સ્ત્રિયો. [૫૪] હે ભગવનું સ્ત્રિયોની ભવસ્થિતિ કેટલા કાળની કહેલ છે? એક અપેક્ષાએ સ્ત્રિયો ભવસ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી પંચાપન પલ્યોપમની કહેલ છે. બીજી અપેક્ષાથી સ્ત્રિયોની ભવસ્થિતિ એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી નવ પલ્યોપમની છે. ત્રીજી અપેક્ષાથી સ્ત્રિયોની ભવ સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી સાત પલ્યોપમની છે. ચોથી અપેક્ષાથી જઘન્ય સ્થિતિ એક અન્તર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ પચાસ પલ્યોપમની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy