SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ જીવાજીવાભિગમ-૧-૪૪ એક આંગળના અસંખ્યાત ભાગ પ્રમાણની છે. અને ઉકષ્ટથી ધનુષ પૃથક્ત છે. તેમની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી બેંતાલીસ હજાર વર્ષની છે. સિવાય શરીર વિગેરે દ્વારોનું કથન જલચર સંમૂચ્છિમ જીવો પ્રકરણમાં જે પ્રમાણે કહેલ છે. તેજ પ્રમાણે સમજી લેવું. તેઓ સીધા ચારે ગતિયોમાં જઈ શકે અને બે ગતિથી સીધા આવવાવાળા છે. હવે પરિસર્પ સ્થલચર જીવ છેતે અસંખ્યાત કહેલા છે. હે ભગવનું ખેચર જીવો કેટલા પ્રકારના કહેલા છે જીવો ચાર પ્રકારના હોય છે. ચર્મપક્ષી લોમપક્ષી સમુદ્રપક્ષી વિતતપક્ષી. ચમપક્ષી અનેક પ્રકારના કહેલા છે. વશ્લી પાવતુ બીજા પણ આના જેવા અનેક જીવો હોય તે બધા સમજી લેવા. લોમપક્ષી અનેક પ્રકારના કહ્યા છે. ઢંગ કંક-ગીધ પક્ષી તથા આનાજેવા બીજા પક્ષીયો આબધા પક્ષીયો લોમ પક્ષી તરીકે સમજવા. સમુદ્ગપક્ષી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યા પ્રમાણે એકજ પ્રકારના છે. જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના પ્રકરણમાં સમુદ્રગ પક્ષીનું નિરૂપણ કરવામાં આવેલ છે, એ જ પ્રમાણે વિતત પક્ષિયોનું નિરૂપણ પણ સમજી લેવું. આ વિતતપક્ષી સંક્ષેપથી બે જ પ્રકારના કહેલા છે. પર્યાપ્તિક અને અપર્યાપ્તક.અહિયાં નાનાત્વ - જુદાપણું આ પ્રમાણે છે. આ પક્ષીયોના શરીરની અવગાહના જઘન્યથી આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટથી ધનુષ્પથર્વ છે તેમની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી બોંતેરહજાર વર્ષની છે. શરીરવગાહના અને સ્થિતિના કથન જલચરજીવોના સંબંધમાં કહ્યા પ્રમાણેનું સમજવું. યાવત્ ચાર ગતિવાળા અને બે આગતિવાળા હોય છે. પ્રત્યેક શરીરધારી આ ખેચરો અસંખ્યાત કહેલા છે. [૫] હે ભગવનું ગર્ભવ્યુત્ક્રાંતિ પંચેન્દ્રિય તિર્યંગ્યોનિકજીવોના ભેદો કેટલા કહેલા છે? ત્રણ પ્રકારના કહેલા છે. જલચર, સ્થલચર, અને ખેચર. [૪૬] હે ભગવાન જીલચર જીવો કેટલા પ્રકારના કહ્યા છે? જલચર જીવો પાંચ પ્રકારના કહેલા છે. મચ્છ, કચ્છપ, મગર, ગ્રાહ અને હિંસુકુમાર. પ્રજ્ઞાપના સૂત્રમાં આ બધાના જે પ્રમાણે ભેદો કહ્યા છે. એ જ પ્રમાણે અહિયાં પણ સમજી લેવાં. જલચર ગર્ભજ જીવો સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે. પર્યાપ્તિ ગર્ભજ જલચર અને અપતિ ગર્ભજ જલ ચર. આ ગર્ભજ જલચર જીવોને ચાર શરીરો કહ્યા છે. ઔદારિક, વૈક્રિય, તૈજસ, અને કામણ. શરીરની અવગાહના જઘન્યથી આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની હોય છે. ઉત્કૃષ્ટથી એક હજાર યોજન પ્રમાણની હોય છે. તેઓ છ પ્રકારના સંહનનવાળા હોય છે. છએ પ્રકારના સંસ્થાનવાળા હોય છે. ચાર કષાયો હોય છે. ચાર સંજ્ઞાઓ હોય છે. છએ વેશ્યાઓ, પાંચ ઈન્દ્રિયો હોય છે. આ પાંચ સમુદ્યાતો હોય છે. સંજ્ઞી હોય છે, અસંસી હોતા નથી. આ જલચર જીવો ત્રણ વેદવાળા હોય છે. છ પયપ્રિયો હોય છે, અને છ અપયતિયો હોય છે, ત્રણે પ્રકારની દષ્ટિવાળા હોય છે. ત્રણે દર્શન હોય છે. તેઓ જ્ઞાની પણ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે. જો જ્ઞાની હોય તો કેટલાક મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે જ્ઞાનવાળા હોય છે. અને કેટલાક મતિજ્ઞાનવાળા, શ્રુતજ્ઞાનવાળા અને અવધિજ્ઞાનવાળા એમ ત્રણ જ્ઞાનવાળા હોય છે એ પ્રમાણે અજ્ઞાન પણ જાણવું ત્રણ પ્રકારનો યોગ હોય છે. બે ઉપયોગી હોય છે. તેઓને આહાર છએ દિશાઓમાંથી આવેલા પુદ્ગલોનો હોય છે. જલચર જીવોનો ઉપપાત- પહેલા નરકથી લઈને યાવત્ સાતમા નરક સુધી કહેલ છે. અસંખ્યાત વિષયુષ્ક તિર્યંચોને છોડીને બાકીના કર્મભૂમિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy