SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૧ ૧૯ છે. તેઓને સ્પર્શ રસના, અને ઘ્રાણ આ ત્રણ ઈન્દ્રિયો હોય છે. તેમની સ્થિતિ જઘન્યથી એક અંત મુહૂર્તની હોય છે. અને ઉત્કૃષ્ટથી ૪૯ રાતદિવસની હોય છે. બાકીના જે શરીર સંહનન, વિગેરે દ્વારો છે. તે બધા બે ઇન્દ્રિયવાળા જીવોના કથન પ્રમાણેજ છે. આ જીવો દ્વીગતિક અને હ્રયાગતિક હોય છે. આ પ્રત્યેક શરીરી અસંખ્યાત હોય છે. [૩૮] હે ભગવન્ ચૌઇંદ્રિય જીવોના કેટલા ભેદો કહેલા છે ? અનેક પ્રકારના કહ્યા છે અશ્વિકા, પુત્રિકા યાવત્ ગોમયકીડા ચૌઇન્દ્રિય જીવો સંક્ષેપથી બે પ્રકારના કેહલા છે. પર્યાપ્તિક અને અપર્યાસિક હે ગૌતમ ! તેઓને ત્રણ શરીરો હોય છે.-ઔદારિક શરીર, તૈજસ અને કાર્મણ. શરીરની અવગાહના જઘન્ય થી આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની છે અને ઉત્કૃષ્ટથી ચાર કોસ પ્રમાણની છે. તેઓની ઇંદ્રિયો સ્પર્શન રસના, ઘ્રાણ અને ચક્ષુ એ પ્રમાણે ચાર હોય છે. તેઓને ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એ બે દર્શનો હોય છે. સ્થિતિદ્વા૨માં તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની હોય છે. અને ઉત્કૃષ્ટથી તેઓની સ્થિતિ છમાસની હોય છે. આ સિવાય બીજા જે સંસ્થાન વિગેરે દ્વારો છે, તે બધા પ્રત્યેક શરીરથી પર્યંત તેઇંદ્રિય જીવોના પ્રકરણમાં જે પ્રમાણે પ્રતિપાદન કર્યા છે, એજ પ્રમાણે પ્રતિપાદન કરી લેવું. [૩૯] હે ભગવાન્ પંચન્દ્રિય જીવોના કેટલા ભેદો છે ? હે ગૌતમ ! પંચેન્દ્રિય જીવોને પાંચ ઇંદ્રિયો હોય છે, તેના ચાર પ્રકારો આ પ્રમાણે છે. નૈયિકજીવો તિર્યંચ્યોનિકજીવ, મનુષ્યજીવ અને દેવ [૪૦] નૈરયિક જીવો કેટલા પ્રકારના છે ? નૈરયિક જીવો સાતપ્રકારના કહેલા છે રત્નપ્રભા પૃથ્વી નૈરયિક યાવત્ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક. આ સાતે નારકો સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે પર્યાપ્તક અને અપર્યાપ્તક તેઓને ત્રણ શરીરો કહેલા છે. વૈક્રિય શરી. તૈજસ શરીર અને કાર્મણ શરી૨. તેમની શીરાવગાહના બે પ્રકારની કહેલી છે-ભવ ધારણીય શરીરાવગાહના અને બીજી ઉત્તરવૈક્રિય શરીરાવગાહના. ભવધારણીય શરીરાવ ગાહના જઘન્યથી આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે હોય છે. ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ પ્રમાણવાળી હોય છે. ઉત્તરવૈક્રિયકી શરીરાવગાહના જઘન્યથી આંગળના સંખ્યાતમાં ભાગપ્રમાણની હોય છે. ઉત્કૃષ્ટથી સાતમી પૃથ્વીમાં આ અવગાહના એક હજાર ધનુષ પ્રમાણની હોય છે. નાક જીવોના શરીર છ સંહનનોમાંથી કોઈ પણ સંહનન વાળા હોતા નથી તેઓમાંનાડીયો પણ હોતી નથી, તેથી તેઓના શરીરોને સંહનન વિનાના કહેલ છે.જે પુદ્ગલો અનિષ્ટ છે અકાન્ત છે, અકમનીય છે, અપ્રિય છે, અમનોરૂપ છે મનને રૂચિકર નથી. એવા તે પુદ્ગલો એ ના૨ક જીવોના શરીરના સંઘાતરૂપી પરિણામને પ્રાપ્ત થઈ જાય છે. ના૨કજીવોના શરીર બે પ્રકારના કહેવામાં આવેલા છે. એક ભવધારણીય શરીર અને બીજું ઉત્તર વૈક્રિય શરીર તે બંને શરીરો હુંડક સંસ્થાનવાળા હોય છે. ના૨કજીવોને ચાર કષાય જ હોય છે. ચાર સંજ્ઞાઓ હોય છે. કૃષ્ણ, નીલ અને કાપોત આ ત્રણ જ લેશ્યાઓ હોય છે. પાંચ ઇન્દ્રિયો હોય છે. ચાર સમુદ્ધાતો હોય છે. વેદના સમુદ્દાત ૧ કષાય સમુદ્દાત ૨ મારણાન્તિક સમુદ્ ઘાત અને વૈક્રિયસમુદ્દાત ૪, તે નારકજીવો સંશી પણ હોય છે, અને અસંજ્ઞી પણ હોય છે. કેવળ નપુંસક વેદવાળા જ હોય છે. છ પર્યાપ્તિવાળા અને છ અપત્તિવાળા હોય છે. આ ના૨ક જીવો ને ત્રણ પ્રકારની દૃષ્ટિએ હોય છે, ત્રણ દર્શન હોય છે, તે જ્ઞાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy