SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૧ ૧૯૯ [૧૭૫] કુલાય કેટલા પ્રકારના છે? કુલાયો છ પ્રકારના છે. -ઉગ્ર, ભોગ, રાજન્ય, ઇક્વાકુ, જ્ઞાત અને કૌરવ્ય. એમ કુલા કહ્યા. કમયિ કેટલા પ્રકારના કહ્યા છે? કમર્પોિ અનેક પ્રકારના કહ્યા છે. દૌષ્યિક, સૌત્રિક, કાપિિસક,સૂત્રવૈકાલિક, ભાંડવૈકાલિક, કોલાલિય, નરવાહનિક,તે સિવાયના બીજા પ્રકારના હોય છે. એમ કમયિો કહ્યા. શિલ્પા કેટલા પ્રકારના કહ્યા છે? શિલ્પાય અનેક પ્રકારના હોય.- તુત્રાગ, તખ્તવાય, પટ્ટકાર,દેયડ પિંછીકાર,સાદડી વગેરે કરનારા, કાષ્ઠપાદુકાકાર- મુંજપાદુકાકાર છત્રકાર, બઝાર,-પુસ્તક કરનારા, લેપ્યકાર, ચિત્રકાર, શંખકાર,દન્તકાર,-કંસારા, જિન્ઝ ગાર, સેલ્લાગાર, કોટિકાર,તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય છે. એમ શિલ્પાય કહ્યા. ભાષાઆર્યો કેટલા પ્રકારના કહ્યા છે? જેઓ અર્ધમાગધી ભાષા વડે બોલે છે તે ભાષાઆર્યો કહેવાય છે. જ્યાં બ્રાહ્મી લિપી પ્રવર્તે છે. બ્રાહ્મી લિપી લખવવાના અઢાર પ્રકારે છે. બ્રાહ્મી, યવનાની, દોસાપુરીયા, ખરૌષ્ટ્રી, પુખરસારિયા, ભોગવતી, પહરાઈયા, અંતખરિયા, અખરપુઢિયા, વૈનાયિકી, નિલવિકી અંકલિપી, ગણિત- લિપી, ગાંધર્વલિપી , આયસ લિપી, માહેશ્વરી, દોમિલિપી, પૌલિન્દી. જ્ઞાના કેટલા પ્રકારના કહ્યા છે? જ્ઞાના પાંચ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે - આભિનિબોધિક- જ્ઞાનાય શ્રુતજ્ઞાનાય, અવધિજ્ઞાનાર્યો, મન:પર્યવ જ્ઞાનાર્યો, અને કેવલજ્ઞાનાર્યો. દર્શનાર્યો કેટલા પ્રકારના કહ્યા છે? દર્શનાર્યો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે સરાગ દર્શનાર્યો અને વીતરાગ દર્શનાર્યો. [૧૭-૧૮૯] સરાગદર્શનાર્યો કેટલા પ્રકારના છે? સરાગદર્શનાર્યો દશ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-નિસર્ગચિ, ઉપદેશચિ, આજ્ઞારુચિ, સૂત્રરુચિ, બીજરુચિ, અભિગમરુચિ, વિસ્તારરુચિ, ક્રિયારુચિ, સંક્ષેપરુચિ, ધર્મરુચિ. જેણે જીવ, અજીત, પુણ્ય, પાપ, આસવ, સંવર -સ્વાભાવિક મતિવડે સત્યરુપે જાણેલા છે અને તેની શ્રદ્ધા કરે છે તે નિસર્ગચિ. જે જિને ઉપદેશલા ચાર પ્રકારના ભાવોની “એમજ છે અન્યથા નથી’ એ પ્રમાણે સ્વયમેવ શ્રદ્ધા કરે તે નિસર્ગરુચિ જાણવો. જે અન્ય છહ્મસ્થ અથવા જિને ઉપદેશ કરેલા એજ ભાવોની શ્રદ્ધા કરે તે ઉપદેશઐચ જાણવો. જે હેતુને જાણ્યા સિવાય આજ્ઞાવડે “એમજ છે, અન્ય થા નથી’ એ પ્રમાણે પ્રવચન ઉપર રુચિવાળો હોય તે આજ્ઞારુચિ. જે સ્ત્રનું અધ્યયન કરતા અંગ કે અંગબાહ્ય શ્રત વડે સમ્યક્તને પ્રાપ્ત કરે તે સૂત્રરુચિ જાણવો. જીવાદિ તત્તવના એક પદની રચિવડે અનેક પદને વિષે જેની સમ્યક્ત-રુચિ શ્રદ્ધા પાણીમાં તેલ ના બિંદુની પેઠે પ્રસરે તે બીજરૂપી જાણવો. જેણે અગિયાર અંગો, પન્ના અને દૃષ્ટિવાદ રૂપ શ્રુતજ્ઞાન અર્થથી જાણેલું છે તે અભિગમ રચિ. જેણે સર્વ પ્રમાણો અને સર્વ નયો વડે દ્રવ્યના સર્વ ભાવો ઉપલબ્ધ જાણેલા છે તે વિસ્તારરચિ જાણવો. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય,સર્વ સિમિતિ અને ગુપ્તિને વિષે ક્રિયાભાવની- રુચિ હોય તે ક્રિયારુચિ. જેણે કોઈ પણ કુન્દષ્ટિ-સ્વીકાર કર્યો નથી, જે જેન પ્રવચનમાં અકુ શલ છે અને બાકીના ઇતર પ્રવચન-દર્શનોમાં જેને અનભિગૃહીત અભિગૃહીત અભિ મુખપણે- ઉપાદેયપણે જ્ઞાન નથી તે સંક્ષેપરુચિ જાણવો. જિનેશ્વેર કહેલા અસ્તિ કાય-ધર્મની- શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મની શ્રદ્ધા કરે છે તે ધર્મરુચિ જાણવો. પરમાર્થસંસ્તવ- સુદૃષ્ટપરમાર્થસેવા- વ્યાપત્રકુદર્શનવર્જના અને સમ્યક્તની શ્રદ્ધાએ સમ્યગ્દર્શનના લિંગ- ચિન્હો છે. નિઃશંકિત, નિઃકાંક્ષિત નિવિચિકિત્સ- અમૂઢ દષ્ટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy