SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ પન્નવણા - ૧/-/૧૬૧ કેટલા પ્રકારના કહ્યા છે? બે ખરીવાળા અનેક પ્રકારના કહ્યા છે. ઉંટ, ગાય, ગવય, રોઝ, સંવર, વરાહ, બકરા, ઘેટાં, રુરુ, શરભ, ચમર, કુરંગ અને ગોકણદિ. તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય તે. ગંડીપદો કેટલા પ્રકારના કહ્યા છે ? ગંડીપદો અનેક પ્રકારના કહ્યા છે. હસ્તી, હસ્તી, હસ્તીપૂયણગ, મંકુણહતી, ખડુગી-ગેંડા, અને બીજા જે, તેવા પ્રકારના હોય તે. સનખપદ- કેટલા પ્રકારના કહ્યા છે ? અનેક પ્રકારના કહ્યા છે. સિંહ,વ્યાધ્ર,દ્વીપડા, રીંછ,-તરક્ષ,પરસ્પર, શિયાળ,બીલાડા,-કુતરા,કૌલશુનક લોંકડી, સસલા, ચિતરા, ચિલ્લલગા, અને તે સિવાય બીજા જે તેવા પ્રકારના હોય છે. એમ. નખસહિત પગવાળા કહ્યા. તે સ્થલચર સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે-સંમૂર્છાિમ અને ગર્ભજ. તેમાં જે સંમૂર્ણિમ છે તે બધા ય નપુંસક છે. તેમાં જે ગર્ભજ છે તે ત્રણ પ્રકારના કહ્યા છે. જેમકે સ્ત્રી, પુરૂષ અને નપુંસક. એ પ્રકારે એ પયપ્તિ અને અપ યપ્તિા સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના દસ લાખ ક્રોડ જાતિકુલો યોનિથી ઉત્પન્ન થયેલાં હોય છેએમ કહ્યું છે. એમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કહ્યા. [૧૨] પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે ? બે પ્રકારના કહ્યા છે. -ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો અને ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો. ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો કેટલા પ્રકારના કહ્યા છે ? ચાર પ્રકારના કહ્યા છે.-અહિ, અજગર,આસાલિકા, મહોરગ.અહિ કેટલા પ્રકારના છે ? અહિ બે પ્રકારના છે. ફણાવાળા સાપ, અને ફણારહિત સાપ. દર્પીકર અહિ કેટલા પ્રકારના છે? દર્પીકર અહિ અનેક પ્રકારના છે.-આશીવિષ, દિષ્ટિવિષ, ઉગ્રવિષ, ત્વચાવિષ, લાલવિષ, ઉચ્છવાસવિષ, નિઃશ્વાસવિષ, કૃષ્ણસર્પ, કાકોદર, દગ્ધપુષ્પ, કોલાહ, મેલિમિંદ, શેષેન્દ્ર અને તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય છે. મુકુલી-ફણારહિત અહિ કેટલા પ્રકારના છે ? મુકુલી અનેક પ્રકારની છે. દિવ્વાગ, ગોણસ, મસા હોય, વઈઉલ, ચિત્તલી, મંડલી, માલી, અહી, અહિ લાગ, વાસપતાકા, અને તે સિવાય ના. બીજા જે તેવા પ્રકારના હોય તે. અજગરો કેટલા પ્રકારના છે? અજગર એક પ્રકારે કહેલ છે. આસાલિકા કેટલા પ્રકારે છે? હે ભગવન્! આસા લિકા ક્યાં સંમૂછિમરુપે ઉત્પન્ન થાય છે. ગૌતમ ! મનુષ્યક્ષેત્રને વિષે અઢી દ્વીપમાં, -પ્રતિબંધ ન હોય ત્યારે પંદર કર્મભૂમિમાં, અને વ્યાઘાતને આશ્રયી પાંચ મહા વિદેહમાં, ચક્ર- વતિની છાવણીમાં, વાસુદેવની છાવણીમાં, બલદેવની છાવણીમાં, માંડ લિકની છાવણીમાં મહામાંડલિકની છાવણીમાં,ગ્રામ, નગર, નિગમ, ખેડ, કબૂટ, મંડબ, દ્રોણમુખ, પટ્ટન, આકાર, આશ્રમ, સંબધ અને રાજધાનીના સ્થળોમાં, તેઓનો વિનાશ થવાનો હોય ત્યારે અહીં આસાલિકા સંમૂચ્છિમરુપે ઉત્પન્ન થાય છે. તે જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ માત્ર અને ઉત્કૃષ્ટ બાર યોજન પ્રમાણ શરીરની અવ ગાહના વડે અને તેને યોગ્ય વિસ્તાર અને જાડાઈ વડે ભૂમિને વિદારીને ઉત્પન્ન થાય છે. તે આસાલિકા અસંજ્ઞી અને મિથ્યાર્દિષ્ટિ અન્તર્મુહૂર્ત આયુષ પૂરું કરી મરણ પામે છે. મહોરગો કેટલા પ્રકારના છે? મહોરગો અનેક પ્રકારના કહ્યા છે.-કેટલા એક અંગુલ- પ્રમાણ, અંગુલપૃથક્ત પ્રમાણ, વૈત, વેંતપૃથર્વ-હસ્ત, રત્નિપૃથ ક્વ, કુક્ષિકુક્ષિ પૃથક્વ, ધનુષ, ધનુશપૃથક્વ,ગાઉ, ગાઉપૃથક્વ, સો યોજન, સો યોજનપૃથક્વ અને હજાર યોજન પ્રમાણ હોય છે. તે સ્થળમાં ઉત્પન્ન થાય છે. જળમાં પણ ફરે છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy