SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ જીવાજીવાભિગમ- ૧૦/૩/૩૮૫ અનાદિ અપર્યવસિત અસંયતને અને અનાદિ સપર્ય વસિત અસંયતને અંતર હોતું નથી. ત્રણ પ્રકાર થી પ્રતિષેધવાળા સિદ્ધને તેઓ સાદિ સપર્ય વસિત હોવાથી અંતર હોતું નથી. સંયતજીવ સૌથી ઓછા છે. તેના કરતાં સંયતા સંયત જીવઅસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં અસંતજીવ અનંત ગણા છે. આ પ્રમાણેનું આ સપષ્ટીકરણ ચાર પ્રકારના જીવોની માન્યતાના સંબંધમાં કરવામાં આવેલ છે. પ્રતિપત્તિ ૧૦-સધ્વજીવ-૪ | [૩૮૬-૩૮૮] કોઈ અપેક્ષાથી એવું કહે છે. કે-બધા જીવો પાંચ પ્રકારના છે. તેઓ આ સંબંધ કોધકષાયી, માનકષાયી, માયાકષાયી, લોભકષાયી, અને અકષાયી, ક્રોધકષાયી, માનકષાયી, અને માયા કષાયી જીવ ક્રોધ વિગેરે કષાય યુક્ત પણાથી ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત પર્યન્ત અને ઉત્કૃષ્ટથી પણ એક અંતમુહૂર્ત સુધી રહે છે. લોભકષાયી લોભકષાયીપણાથી ઓછામાં ઓછા એક સમય પર્યન્ત અને વધારેમાં વધારે એક અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે. અકષાયી જીવ બે પ્રકારના હોય છે. જેમકે એક સાદિ અપર્યવસિત કેવલી અને બીજા સાદિ સપર્યવસિત ઉપશાંત કષાયી આ બીજા પ્રકારના વિકલ્પ વાળા જીવ જઘન્યથી એક સમય પર્યન્ત અકષાયી રહે છે. ક્રોધકષાયવાળાઓનું અંતર જઘન્યથી તો એક સમયનું હોય છે. અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્તનું અંતર હોય છે, આજ પ્રમાણેનું અંતર માન, માયા વિગેરે કષાયો વાળાઓનું લોભ કષાયવાળા નું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું હોય છે, અને ઉત્કષ્ટથી પણ તે એકજ અંતર્મુહૂર્તનું હોય છે. જઘન્યના અંતર્મુહૂર્ત કરતાં ઉત્કૃષ્ટનું અંતર્મુહૂર્ત વધારે છે.અકષાયી જીવ બે પ્રકાર ના હોય છે. એક સાદિ અપર્યવસિત અને બીજા સાદિ સપર્યવસિત તેમાં જે સાદિ અપર્યવસિત અકષાયી જીવ છે. તેમને અંતર હોતું નથી. અને જે સાદિ સપર્યવસિત અકષાયી જીવ છે. તેમનું અંતર હોય છે, અને તે જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી અનંત કાળનું હોય છે. અકષાયી જીવ સૌથી ઓછા છે. તેના કરતાં માનકષાય વાળા અનંત ગણા વધારે હોય છે. તેના કરતાં ક્રોધ કષાય વાળા વિશેષાધિક છે. તેના કરતાં માયાકષાયવાળા વિશેષાધિક છે. તેના કરતાં લોભકષાયવાળા વિશેષાધિક છે. અથવા આ રીતે પણ સઘળા જીવો પાંચ પ્રકારના કહેવામાં આવેલા છે. જેમકે નૈરયિક, તિર્યંગ્યોનિક, મનુષ્ય, દેવ અને સિદ્ધ તેઓમાં સૌથી ઓછા મનુષ્યો છે. નૈરયિક જીવ અસંખ્યાતગણા વધારે છે, તેના કરતાં દેવો અસંખ્યાતગણા છે. અને તેના કરતાં પણ સિદ્ધો અનંતગણો વધારે છે. તેના કરતાં તિર્થગ્લોનિક અનંતગણા વધારે છે. (પ્રતિપત્તિ ૧૦-સવજીવ-૫| [૩૮૯-૩૯૦] કોઈ અપેક્ષાથી સઘળા જીવો છ પ્રકારના કહેવામાં આવેલ છે. તે આ પ્રમાણે આભિનિબોધિકજ્ઞાની શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની કેવળ જ્ઞાની અને અજ્ઞાની. આભિનિબોધિકજ્ઞાની આભિનિબોધિક જ્ઞાનીપણાથી ઓછા માં ઓછા એક અંતમુહૂર્ત પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે કંઈક વધારે છાસઠ સાગરોપમ પર્યન્ત રહે. શ્રુતજ્ઞાનીની કાયસ્થિતિનો કાળ પણ એટલો જ હોય છે. અવધિ જ્ઞાની અવધિજ્ઞાની પણાથી ઓછામાં ઓછા એક સમયપર્યન્ત રહે છે. અને વધારેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy