SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧. - પ્રતિપત્તિ -૧૦ (પ્રતિપત્તિ, ૧૦-સવજીવ-૧) [૩૬૯-૩૭૪]હે ભગવનું સર્વ જીવાભિગમનું તાત્પર્ય શું છે? હે ગૌતમ ! સર્વ જીવોમાં આ નવ પ્રતિપત્તિયો આ પ્રમાણે કહેવામાં આવેલ છે. તેમાં કોઈ આચાર્યો આ પ્રમાણે કહે છે. સઘળા જીવો બે પ્રકારના છે. કોઈ સઘળા જીવો ત્રણ પ્રકારના કહેવામાં યુવતુ કોઈ કોઈ સઘળા જીવો દસ પ્રકારના કહેલા છે. જેઓએ સઘળા જીવો બે પ્રકારના કહેલા છે. તે સિદ્ધ અને અસિદ્ધ એ પ્રમાણેના જીવના બે ભેદો છે. હે ભગવન્ સિદ્ધોની કાયસ્થિતિનો કાળ કેટલો હોય છે ? હે ગૌતમ ! સિદ્ધોની કાયસ્થિતિનો કાળ સાદિ અપર્યવસિત છે. ભગવનું અસિદ્ધોની કાયસ્થિતિનોકાળ કેટલો છે? અસિદ્ધ બે પ્રકારના કહેવામાં આવેલા છે. એક અનાદિક અસિદ્ધ અને અપર્યવસિક અસિદ્ધ બીજા અના. દિક અસિદ્ધ અને સપર્યવસિત અસિદ્ધ. તેમાં પહેલા વિકલ્પમાં એ જીવોને ગ્રહણ કરેલા છે કે જેઓ કોઈ પણ સમયે મુક્તિ મેળવી શકતા નથી. એવા જીવોને અભવ્ય કહેવામાં આવેલા છે જે અનાદિથી મિથ્યાત્વથી યુક્ત હોવા છતાં સમ્યક દર્શન રૂપ કારણોની પ્રાપ્તિથી મુક્તિ પ્રાપ્ત કરી લે છે. એવા જીવો ને બીજી કોટિમાં ગ્રહણ કરેલા છે. જે સાદિ અપર્યવસિત જીવ છે, તેને અંતર હોતું નથી. હે ભગવનું અસિદ્ધ જીવનું અંતર કેટલા કાળનું હોય જે અનાદિ અપર્યવસિત છે, તેને પણ અંતર હોતું નથી. પરંતુ જે જીવ અનાદિ કાળથી અસિદ્ધ હોય છે. પરંતુ આ તેની અસિદ્ધતા અનંત કાળ સુધી રહેવાવાળી હોતી નથી. તો એવા જીવનું અંતર પણ હોતું નથી. સૌથી ઓછા સિદ્ધ જીવો છે. અને તેના કરતાં અસિદ્ધ જીવ અનંત ગણા વધારે છે. અથવા સઘળા જીવો બે પ્રકારના છે. એક સેંદ્રિય અને બીજા અનિંદ્રિય તેમાં જે સેંદ્રિય છે તેઓ સંસારી છે, અને જેઓ અનિંદ્રિય છે. તેઓ મુક્ત છે. સેન્દ્રિય જીવ બે પ્રકારના કહેવામાં આવેલા છે. અનાદિ અપર્યવસિત (અભવ્ય) અને અનાદિ સપર્યવ સિન (ભવ્ય) અનિંદ્રિય જીવ સાદિ અપર્યવસિત છે, બન્નેમાં અંતર નથી. સૌથી ઓછા અનિન્દ્રિય જીવ છે, અને તેના કરતાં સેન્દ્રિય જીવ અનંતગણો વધારે છે. અથવા આ રીતે પણ સઘળા જીવો બે પ્રકારના એક સકાયિક અને બીજા અકાયિક જે પ્રમાણેનું કથન ઉપરના જીવોના સંબંધમાં કરવામાં આવેલ છે. એજ પ્રમાણે કથન કરી લેવું જોઈએ. આજ પ્રમાણે સઘળા જીવો સયોગી અને અયોગીના ભેદથી બે પ્રકારના છે. એજ પ્રમાણે સલેશ્યજીવ અને અલેશ્યજીવના ભેદથી સમસ્ત જીવો બે પ્રકારના થાય છે, કાયસ્થિ તિનું કથન, અંતરનું કથન અને અલ્પ બહુત્વનું કથન સેંદ્રિય જીવોના પ્રકરણ પ્રમાણે જ સમજી લેવું, “સઘળા જીવો બે પ્રકારના છે, શરીર સહિત અનેએક શરીર રહિત અથવા સઘળા જીવો બે પ્રકારના આ રીતે થાય છે એક સવેદક અને બીજા અવેદક સવેદક જીવ ત્રણ પ્રકારના કહેવામાં આવેલા છે. અનાદિ અપર્યવસિત અનાદિક સપર્યવસિત સાદિક અપર્યવસિત છે. અવેદક જીવ બે પ્રકારના કહેવામાં આવેલા છે. એક સાદિક અપર્યવસિત અને બીજા સાદિક સપર્યસિત સાદિક સપર્યવસિત - સવેદક છે તેની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક સમયનો છે. અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્તનો છે. સવેદક જીવ ત્રણ પ્રકારના હોય છે.એક અનાદિઅપર્યવસિત; બીજા અનાદિ સપર્યવસિત અને ત્રીજા સાદિસપર્યવસિત તેમાં જે અનાદિ અપર્યવસિત સવેદક જીવ છે, તેઓને અંતર હોતું નથી જે સવેદક અનાદિ સંપર્યવસિત છે, તેને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy