SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ જીવાજીવાભિગમ - ૧-૧૪ ગણાંથી લઈને અનંત ગણાં નીલ દ્રવ્યોનો પણ આહાર ગ્રહણ કરે છે, એ જ પ્રમાણે એક ગણા રાતાવર્ણવાળા દ્રવ્યોથી લઈને અનંત ગણા રાતાવર્ણવાળા દ્રવ્યોનો પણ આહાર ગ્રહણ કરે છે. એ જ પ્રમાણે એક ગણાથી લઈને અનંત ગણા પીળાવર્ણવાળાં દ્રવ્યોનો ; આહાર પણ તેઓ ગ્રહણ કરે છે, અને એક ગણાથી લઈને અનંત ગણા શુકલતાવાળા દ્રવ્યોનો પણ આહાર ગ્રહણ કરે છે. જો તેઓ ભાવની અપેક્ષાએ ગંધયુક્ત દ્રવ્યોનો આહાર કરે છે, તો શું તેઓ એક ગંધવાળા દ્રવ્યોનો આહાર કરે છે ? તે બે ગંધવાળા દ્રવ્યોને આહાર કરે છે ? હે ગૌતમ ! સામાન્ય દષ્ટિએ વિચારવામાં આવે તો તેઓ એક ગંધવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે, અને બે ગંધવાળાં દ્રવ્યોનો આહાર કરે છે, વિશેષ વિચારની દષ્ટિએ તો તેઓ સુરભિ ગંધવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે, અને દુરભિગંધવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે, જો તેઓ ગંધની અપેક્ષા સુરભિગંધવાળાં દ્રવ્યોનો આહાર કરે છે તો શું તેઓ એક ગણી ગંધવાળા સુરભિગંધવાળાં દ્રવ્યોનો આહાર કરે છે, કે બેથી લઈને દસ ગણી, સંખ્યાત ગણી, અસંખ્યાત ગણી, કે અનંત ગણી સુરભિગંધવાળાં દ્રવ્યોનો આહાર કરે છે ? હે ગૌતમ તેઓ એક ગણી સુરભિગંધવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે, યાવતુ અનંત ગણી સુરભિગંઘવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે. એવું જ કથન દુરભિગંધવાળાં દ્રવ્યોનો વિષે સમજી લેવું. વર્ણના સંબંધમાં જેવું કથન કરવામાં આવ્યું છે એવું જ કથન રસના વિષયમાં પણ સમજી લેવું. હે ભગવન્! સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો ભાવની અપેક્ષાએ જે સ્પર્શવાળાં દ્રવ્યોનો આહાર ગ્રહણ કરે છે, તે દ્રવ્યો શું એક સ્પર્શવાળાં હોય છે, કે બેથી લઈને આઠ પર્વતના સ્પર્શીવાળાં હોય છે? સામાન્ય વિચારની અપેક્ષાએ તો તેઓ એક સ્પર્શવાળાં પણ હોતા નથી, બે સ્પર્શવાળાં પણ હોતાં નથી, ત્રણ સ્પર્શવાળાં પણ હોતા નથી, પરંતુ તેઓ ચાર સ્પર્શવાળાં દ્રવ્યોનો પણ આહાર પણ કરે છે. યાવતું આઠ સ્પર્શીવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે. વિશેષ દૃષ્ટિએ વિચાર કરવામાં આવે, તો તેઓ કર્કશ સ્પર્શવાળાં પુગલોનો આહાર કરે છે. યાવત્ રૂક્ષ સ્પર્શવાળાં પુગલોનો આહાર કરે છે. સ્પર્શની અપેક્ષાએ કર્કશ સ્પર્શવાળાં જે દ્રવ્યોનો તેઓ આહાર કરે છે, તે દ્રવ્યો શું એક ગણા કર્કશ સ્પર્શવાળાં હોય છે, કે બેથી લઈને અનંત ગણાં કર્કશ સ્પર્શવાળાં હોય છે? હે ગૌતમ ! સૂક્ષ્મ પૃથ્વીકાયિકજીવો એક ગણા કર્કશ સ્પર્શવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે, યાવતું અનંત ગણાં કર્કશ સ્પર્શવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે. કર્કશ સ્પર્શના જેવું જ કથન વાવતુ રુક્ષ સ્પશના વિષયમાં પણ સમજી લેવું શું જ્યારે તે દ્રવ્યો તેમના આત્મપ્રદેશ સાથે હોય, ત્યારે તેમને આહાર રૂપે ગ્રહણ કરે છે? કે જ્યારે તે તેમના આત્મપ્રદેશો સાથે સૃષ્ટ ન હોય, ત્યારે તેમને આહાર રૂપે કરે છે ? હે ગૌતમ તેઓ જે દ્રવ્યોનો આહાર કરે છે, આત્મપ્રદેશોની સાથે સૃષ્ટ હોય છે, અસ્પષ્ટ હોતાં નથી હે ભગવન્! તે દ્રવ્યો આત્મપ્રદેશોની સાથે એક ક્ષેત્રાવસ્થાયી રૂપે અવગઢ આત્મપ્રદેશા વગાહી ક્ષેત્રની બહાર અવસ્થિત હોય છે ? હે ગૌતમ ! અવાગઢ દ્રવ્યોનો જ આહાર કરે છે અનવગાઢ દ્રવ્યોનો આહાર કરતા નથી. હે ભગવન્! તેઓ અનન્તરાવગાઢ દ્રવ્યોનો આહાર કરે છે? કે પરંપરાવગાઢ દ્રવ્યોનો આહાર કરે છે? જે દ્રવ્યો અનન્તરાવગાઢ હોય છે, તેમને જ તેઓ આહાર રૂપે ગ્રહણ કરે છે પરંપરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરતા નથી. હે ભગવન તે નવ દ્રવ્યો શું અણું રૂપે થોડા જ પ્રમાણમાં તેમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy