SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ જીવાજીવાભિગમ-૩ઢી.સ.૧૭૮ વિશેષણો વાળું છે. એ દૂહની ઈશાન દિશામાં એક વિશાલ અભિષેક સભા છે. તે સભાનું પ્રમાણ સુધમાં સભાના પ્રમાણ જેટલું જ છે. એ બહુસમરમણીય ભૂમિભાગની વચમાં એક વિશાલ મણિપીઠિકા છે. આ મણિપીઠિકા લંબાઈમાં એક યોજનાની છે. અને તેનો વિસ્તાર અધયોજનનો છે. તે સર્વ રીતે મણિયોથી બનેલ છે. તથા આકાશ અને સ્ફટિક મહિના જેવી તે નિર્મલ છે. એ અભિષેક સભાની ઈશાન દિશામાં એક વિશાળ અલંકારિક સભા છે. એ અલંકારિક સભાની ઇશાન દિશામાં એક વિશાલ વ્યવસાય સભા છે. આ વ્યવસાય સભા અભિષેક સભાના જેટલા પ્રમાણ વાળી છે. વિજય દેવનું એક વિશાળ પુસ્તક રત્ન રાખવામાં આવેલ છે. તેના જે પુંઠા છે તે રિઝ રત્નના બનેલ છે. તેના દોરા તપનીય સોનાના બનેલા છે. કે જેમાં પુસ્તકના પાના પરોવેલ છે. એ દોરામાં અનેક મણિયોની ગાંઠો લગાડેલ છે. અંકરત્નમય તેના પાનાઓ છે. વૈડૂર્ય રત્નના ખડિયા છે. તે ખડિયામાં જે સાંકળ લગાડેલ છે તે તપનીય સોનાની છે. તે ખડિયોનું જે ઢાંકણું છે તે રિઝ રત્નનું છે. અને તેમાં જે શાહી છે તે રિઝ રત્નની બનેલ છે. કલમ વજ રત્નની બનેલ છે. એ પુસ્તકમાં જે અક્ષરો લખેલા છે તે રિઝ રત્નના બનેલ છે. આ પુસ્તક રત્ન ધાર્મિક શાસ્ત્રનું છે. એ વ્યવસાય સભાની ઇશાન દિશામાં એક વિશાળ બલિપીઠ રાખવામાં આવેલ છે. એ બલિપીઠ લંબાઈ પહોળાઈમાં બે યોજનાનું છે. અને તેનો વિસ્તાર એક યોજનાનો છે. એ સર્વ રીતે ચાંદીનું બનેલ છે. વાવપ્રતિરૂપ છે. આ બલિપીઠની ઈશાન દિશામાં એક વિશાલ નંદા પુષ્કરિણી છે. તે લંબાઈમાં ૧૨મા યોજનાની છે. અને પહોળાઈમાં ઘ યોજનની છે. તથા તેનો ઉદ્દેધ દશ યોજનાનો છે. [૧૭] એ કાળ અને એ સમયમાં વિજય દેવ વિજય રાજધાનીની ઉપપાત સભામાં દેવ દૂષ્યથી અંતરિત દેવશય્યાની ઉપર આંગલના અસંખ્યાત ભાગમાત્ર અવગાહના વાળા શરીરથી વિજય દેવપણાથી ઉત્પન્ન થયા. તરતજ પાંચ પ્રકારની પિિપ્તયોથી પર્યાપ્ત બની ગયા. એ વિજય દેવના મનમાં આ પ્રમાણેનો આ આધ્યાત્મિક ચિંતિત, પ્રાર્થિત, મનોગત, સંકલ્પ ઉત્પન્ન થયો મારે પહેલાં શું કરવું જોઈએ તે પછી વિજયદેવના સામાનિક દેવોએ વિજય દેવને ઉત્પન્ન થયેલ આ પ્રકારના સંકલ્પને જાણ્યો. અને જાણીને તે પછી તેઓ જ્યાં તે વિજય દેવ હતા ત્યાં તેઓ આવ્યા ત્યાં આવીને તેઓએ વિજયદેવને બન્ને હાથ જોડીને તે પછી તેઓ એમને આ પ્રમાણે કહેવા લાગ્યા. આપ દેવાનુપ્રિયની વિજય રાજધાનીમાં આવેલા સિદ્ધાયતનમાં તેનો ઉત્સધ જે અરિહંતનો જેટલો કહેવામાં આવેલ હોય એ પ્રમાણે છે. એ રીતે પોતપોતાના શરીર પ્રમાણ ઉંચાઈવાળી એવી ૧૦૮ આઠ અરિહંત પ્રતિમાઓ ત્યાં સિદ્ધાયતનમાં બિરાજ માન છે. તથા સુધસભામાં એક માણવક નામનો ચૈત્યતંભ છે. તેમાં વજના બનેલ ગોળ ગોળ સમુદ્ગકો છે. તેમાં જીનેન્દ્ર દેવોના હાડકા રાખવામાં આવેલા છે. એ હાડકા આપ દેવાનુપ્રિયને અને વિજય રાજધાનીમાં રહેલાવાળા બીજા દેવો અને દેવિઓને અર્ચનીય, વંદનીય, પૂજનીય, સત્કારવા લાયક, સન્માનનીય, કલ્યાણકારી, મંગલકારી તથા દેવ સ્વરૂપ છે. એ પ્રમાણે માનીને પપાસના કરવા યોગ્ય છે. આપ દેવાનુપ્રિયે આ પહેલા પણ કરવા યોગ્ય છે અને બાદમાં પછીથી પણ કરવા યોગ્ય છે. આ પ્રમાણે કહીને ઘણા મોટા અવાજથી જય જય શબ્દોથી વધાવ્યા. તે પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy