SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ જીવાજીવાભિગમ- ૩/.સ./૧૭પ જ છે. અથતુ એક યોજનાનો છે. એ દરવાજાઓની ઉપરનો ભાગ સફેદ અને ઉત્તમ એવા સોનાનો બનેલ છે. એ દરવાજાઓની સામે મુખ મંડપ છે. એ બધાજ મુખ મંડપો ૧રા યોજ નની લંબાઈ વાળા છે. અને એક કોસથી વધારે છ યોજનની પહોળાઈ વાળા છે. કંઈક વધારે બે યોજનની તેની ઉંચાઈ છે. બધા મુખમંડપો સેંકડો સ્તંભોથી યુક્ત છે. દરેક મુખમંડપોની આગળ પ્રેક્ષાગૃહ મંડપો બનેલા છે. એ દરેક પ્રેક્ષાગૃહ મંડપો સાડા બાર યોજનની લંબાઈવાળા છે. તે દરેકની ઉંચાઈ બબ્બે યોજનની અહીંયા પ્રેક્ષાગૃહોના ભૂમિભાગનું વર્ણન મણિયોના સ્પર્શના વર્ણન સુધી જેવી રીતે પહેલા કરવામાં આવેલ છે. એજ પ્રમાણે કરી લેવું બહુસમ રમણીય ભૂમિભાગવાળા પ્રેક્ષાગૃહોની વચમાં દરેકે દરેકમાં વજ રત્નના અખાડગો છે. એ વજરત્નમય અખાડગોના બહુ મધ્યદેશ ભાગમાં અલગ અલગ મણિપીઠિકાઓ એ મણિપીઠિકાઓ એક યોજનની લંબાઈ પહો ળાઈ વાળી છે. અર્ધા યોજનાના વિસ્તારવાળી છે. તથા નિર્મળ યાવતું પ્રતિરૂપ છે. એ મણિપીઠિકાઓની ઉપર પૃથક પૃથક સિહાસનો કહેલો છે. એ સિંહાસનો અને માળા ઓનું વર્ણન પૂર્વવતું. એ દરેક મણિપીઠિકાઓની ઉપર અલગ અલગ ચૈત્યસ્તૂપો છે. એ ઐત્યસ્તૂપો બે યોજનની લંબાઈ પહોળાઈ વાળા છે. અને ઉંચાઈમાં એ કંઈક વધારે બે યોજનના છે. તે બધા ચેત્યસ્તૂપો એકદમ સફેદ વર્ણન છે. એ બધા ચૈત્યસ્તૂપો સર્વ રીતે રત્નમય છે. યાવતું પ્રતિરૂપ છે. એચૈત્યસ્તૂપોની આગળ આઠ આઠ મંગલ દ્રવ્યો છે. અનેક કાળા રંગની ચામરો છે. અને ધજાઓ છે. ચૈત્ય સ્તૂપોની ચારે દિશાઓમાં જૂદી. જૂદી ચાર મણિપીઠિકાઓ કહેલી છે. તે એક યોજનાની લંબાઈ પહોળાઈ વાળી અને અધયિોજનના વિસ્તાર વાળી છે. તથા તે બધી મણિપીઠિકાઓ સવત્મિના મણિમય છે એ મણિ પીઠિકાઓની ઉપર જિનની અર્થાતુ અરિહંત પ્રતિમા છે. જેનો ઉલ્લેધ ઉત્કૃષ્ટથી પ૦૦ ધનુષનો છે. અને જઘન્યથી સાત હાથનો છે. એ બધી જીનપ્રતિમાઓ પર્યકાસનમાં બેઠેલ છે. તે બધી પ્રતિમાઓનું મુખ સ્તૂપની તરફ છે. તે પ્રતિમાઓના નામ ઋષભ, વદ્ધમાન ચંદ્રાનન અને વારિસેન આ ચારે નાહક અરિહંતોના શાશ્વન નામો છે. ચૈત્યસ્તૂપોની આગળ દરેક દિશામાં મણિપીઠિકાઓ એ મણિપીઠિકાઓ લંબાઈ પહોળાઈમાં બબ્બે યોજનની છે. તથા વિસ્તારમાં એક યોજનની છે. એ તમામ મણિપીઠીકાઓ નિર્મળ યાવતુ પ્રતિરૂપ છે મણિપીઠિકાઓની ઉપરના ભાગમાં અલગ અલગ ચૈત્ય વૃક્ષો છે. એ ચૈત્ય વૃક્ષો આઠ યોજનની ઉંચાઈવાળા છે. અને ઉઘની અપેક્ષાએ એ અધ યોજનાના ચારે દિશાઓમાં જે તેનો ફેલાવો છે. તેને બે યોજન પર્યન્ત તેના સ્કંધ-ડાળીયોનો વિસ્તાર છે. આ યોજનાનો તે સ્કંધનો વિસ્તાર છે. યોજનની તેની શાખાઓ છે. જે શાખાઓ વૃક્ષના બરોબર વચમાંથી નીકળીને ઉંચે જાય છે. તે શાખાને વિડિમાં કહેવામાં આવે છે. એ ડાળોની લંબાઈ પહોળાઈ આઠ યોજનની છે. અને એ વિડિમા ડાળ અધ યોજનના વિસ્તારવાળી છે એ બધા ચૈત્યવૃક્ષો મળીને કંઈક વધારે આઠ યોજનાના વિસ્તારવાળા કહેલા છે. એ ચૈત્યવૃક્ષોનો મૂળ ભાગ વજ રત્નનો છે. તેની વિડિમા શાખા ચાંદીની છે. રિષ્ટ રત્નમય તેના વિપુલ સ્કંદો છે. વૈડૂર્ય રત્નોના તેના રૂચિર સ્કંધો છે. તથા તેની જે મૂલ રૂપ પહેલી શાખાઓ છે, તે શુદ્ધ અને ઉત્તમ એવા સોનાની છે. તેની અનેક પ્રકારની જે પ્રશાખાઓ છે તે અનેક પ્રકારના મણિયોની અને રત્નોની છે. તેના પાન વૈડૂય રત્નના છે. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy