________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩
૫૯
થયું. યુવાવસ્થાને પ્રાપ્ત થયું. પહોળાઈરૂપ માન, સ્થૂલતા રૂપ ઉન્માન અને લંબાઇ રૂપ પ્રમાણથી તેની પાંખ અને પીંછાંઓનો સમૂહ પરિપૂર્ણ થયો. તેના પીછાં રંગ બેરંગી થયાં. તેમાં સેંકડો ચન્દ્રક હતા. તે નીલ કંઠવાળું અને નૃત્ય કરવાના સ્વભાવ વાળું થયું. એક ચપટી વગાડતાં અનેક પ્રકારના સેંકડો કેકા૨વ કરતું વિચરણ કરવા લાગ્યું. ત્યાર પછી તે મયૂરપાલકોએ તે મયૂર પોતાને બચપણથી મુક્ત યાવત્ કેકારવ કરતું જોઇને તે ગ્રહણ કર્યું ગ્રહણ કરીને જિનદત્તના પુત્રની પાસે લઇ આવ્યા. ત્યારે જિનદત્તના પુત્રની પાસે લઇ આવ્યા. ત્યારે જિનદત્તના પુત્ર સાર્થવાહદારકે મયૂર બાલકને બચપ ણથી મુક્ત યાવત્ કેકારવ કરતું જોઈને હૃષ્ટ-તુષ્ટ થઇને તેમને જીવિકાને યોગ્ય વિપુલ પ્રીતિદાન આપ્યું. યાવત્ વિદાય કર્યા. તત્પશ્ચાત્ તે મયૂરબાલક જિનદત્તના પુત્ર દ્વારા એક ચપટી વગાડતાં લાંગૂલ ભંગની સમાન પોતાની ગરદન વાંકી કરતો હતો. તેના શરીર પર પરસેવો આવી જતો હતો, અથવા તેની આંખોના ખૂણા શ્વેત વર્ણના થઇ જતા. તે વિખાયેલા પીંછાવાળી બંને પાંખોને શરીરથી અલગ કરતો હતો તે ચંદ્રક આદિથી યુક્ત પીંછાના સમૂહને ઉંચા કરી લેતો હતો અને સેંકડો કેકારવ કરતો થકો નૃત્ય કરતો હતો. ત્યાર પછી તે જિનદત્તનો પુત્ર તે મયૂર બાલક દ્વારા ચંપાનગરના શૃંગાટક આદિ માગો‘માં સેંકડો હજારો અને લાખોની હરીફાઇમાં વિજય પ્રાપ્ત કરતો વિચરતો હતો.
હે આયુષ્યમાન્ શ્રમણો ! આ પ્રમાણે અમારા જે સાધુ સાધ્વી દીક્ષિત થઈને પાંચ મહાવ્રતોમાં, છ જીવનિકાયમાં તથા નિગ્રંથ પ્રવચનમાં શંકાથી રહિત, કાંક્ષાથી રહિત, એવું વિચિકિત્સાથી રહિત થાય છે તે આજ ભવમાં ઘણા શ્રમણો અને શ્રમણીઓમાં માન સન્માન પ્રાપ્ત કરીને યાવત્ સંસાર રૂપ અટવીને પા૨ ક૨શે.
અધ્યયનન ઃ ૩ – ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન-૪- કાચબો
[૬૨] ભગવન્ ! શ્રમણ ભગવાન મહાવીરે જ્ઞાતા અંગના તૃતીય અધ્યયનનો આ અધિકાર કહ્યો તે હવે ચોથા અધ્યનનો શો અર્થ ફરમાવેલ છે ? ‘હે જ્બ ! તે કાળ અને તે સમયમાં વાણા૨સી નામની નગરી હતી. તે સુંદર અને વર્ણનીય હતી.
તે વાણારસી નગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં ગંગાનામની મહાનદીમાં મૃતગંગાતીર દૂહ નામનો એક દૂહ હતો. તેનો અનુક્રમથી સુન્દર સુશોભિત તટ હતો. તેનું પાણી ઊંડુ અને શીતળ હતું તે દૃહ સ્વચ્છ અને નિર્મળ જળથી પરિપૂર્ણ હતું કમલ નીઓના પાંદડાં અને ફૂલોની પાંખડીઓથી આચ્છાદિત હતો. ઘણાં ઉત્પલો. પદ્મો, કુમુદો નિલનો તથા સુભગ સૌગંધિક, પુંદરીક, મહાપુંડરીક, શતપત્ર, સહસ્ર પત્ર આદિ કમલોથી તથા કેશર પ્રધાન અન્ય પુષ્પોથી સમૃદ્ધ હતા. તેથી તે આનંદ જનક, દર્શનીય, અભિરૂપ, અને પ્રતિરૂપ હતો. તે દૂહમાં સેંકડો, સહસ્રો અને લાખો મચ્છ, કચ્છ, ગ્રાહ, મગર અને સુંસુમાર જાતિના જલચર જીવોના સમૂહ ભયથી રહિત, ઉદ્દે ગથી રહીત, સુખ પૂર્વક રમતા રમતા વિચરણ કરતા હતા.
તે મૃતગંગાતીર દૂહની સમીપે એક મોટો માલુકાકચ્છ હતો. તે માલુકાકચ્છમાં બે પાપી શૃંગાલ નિવાસ કરતા હતા. તે પાપી, ચંડ રૌદ્ર ઇષ્ટ વસ્તુને પ્રાપ્ત કરવામાં દત્તચિત્ત અને સાહસિક હતા. તેમના હાથ રક્તરંજિત હતા. તે માંસનાઅર્થી માંસાહરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org