________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨
૪૯
સંબંધી ચિંતા કરી રહી હતી, કે તેને આ પ્રકારનો વિચાર-યાવત્ ઉત્પન્ન થયો-ઘણાં વર્ષો થી હું ધન્ય સાર્થવાહની સાથે શબ્દ, સ્પર્શ, રસ, ગન્ધ અને રૂપ આ પાંચે પ્રકારના મનુષ્ય સંબંધીકામભોગ ભોગવતી થકી વિચરું છું, પરંતુ મેં એક પણ પુત્ર કે પુત્રીને જન્મ આપ્યો નથી. તે માતાઓ ધન્ય છે યાવતુ તે માતાઓને મનુષ્ય જન્મ અને જીવનનું ફળ સારું પ્રાપ્ત થયું છે.જે માતાઓ, હું માનું છું કે,પોતાની કુંખથી ઉત્પન્ન થયેલ, સ્તનોનું દૂધ પીવા માં લુબ્ધ, મીઠા બોલ બોલનાર, તોતડું તોતડું બોલનાર અને મુગ્ધ બાળકોને સ્તનપાન કરાવે છે અને પછી કોમળ કમળ સમાન હાથોથી તેમને તેડીને પોતાની ગોદ માં બેસાડે છે. અને વારંવાર અતિશય પ્રિય વચનમય મધુર ઉલ્લાપ કરે છે. હું અધન્ય છું, પુણ્યહીન છું, કુલક્ષણા છું અને પાપિણી છું કે તેમાંથી એક પણ વિશેષણ ન પામી શકી.
તેથી મારા માટે એજ શ્રેયસ્કર છે કે આગામી કાલે રાત્રિના પ્રભાત રૂપમાં પ્રગટ થવા પર અને સૂર્યોદય થવા પર ધન્ય સાર્થવાહને પૂછીને, આજ્ઞા લઇને હું ઘણો અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર તૈયાર કરાવીને, ઘણાં પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર ગ્રહણ કરીને, ઘણી સંખ્યામાં મિત્રો, જ્ઞાતિજનો નિજજનનો, સ્વજનો, સંબંધી ઓ તથા પરિજનોની મહિલાઓથી પરિવૃત થઇને રાજગૃહ નગરની બહાર જે નાગ, ભૂત, યક્ષ ઈન્દ્ર, સ્કંદ, રુદ્ર, શિવ, અને વૈશ્રમણ આદિ દેવોના આયાતન છે અને તેમાં જે નાગની પ્રતિમા યાવતુ વૈશ્રમણની પ્રતિમા છે, તેમની બહુમૂલ્ય પુષ્પા દિથી પૂજા કરીને ઘુંટણ અને પગ નમાવીને કહું કે-હે દેવાનુપ્રિય ! જો હું એક પુત્ર અથવા પુત્રીને જન્મ આપુ તો હું તમારી પૂજા કરીશ, પર્વના દિવસે દાન આપીશ. ભાગ- આપીશ અને તમારા અક્ષય નિધિની વૃદ્ધિ કરીશ આ પ્રમાણે મારી ઈષ્ટ વસ્તુની યાચના કરું. ભદ્રાએ આ પ્રમાણે. વિચાર કરીને બીજા દિવસે યાવત્ સૂર્યોદય થવાપર જ્યાં ધન્ય સાર્થવાહ હતો, ત્યાં. આવીને બોલી- દેવાનુપ્રિય ! મેં આપની સાથે ઘણા વર્ષો સુધી કામભોગ ભોગવેલ છે. યાવત્ હું અધન્ય પુણ્યહીન, લક્ષણહીન છું. તો હે દેવાનુપ્રિય ! હું ઇચ્છું છું કે આપની આજ્ઞા લઇને વિપુલ અશન આદિ તૈયાર કરાવીને નાગ આદિદિવોની પૂજા કરું યાવત્ તેના અક્ષય નિધિની વૃદ્ધિ કરીશ.
ત્યાર પછી ધન્ય સાર્થવાહે ભદ્રા ભાનિ કહેવું-હે દેવાનુપ્રિયે ! નિશ્ચયથી મારો પણ તે જ મનોરથ છે કે કોઇ પણ પ્રકારે તમે પુત્ર અથવા પુત્રીને જન્મ આપો. આ પ્રમાણે કહીને ભદ્રા સાર્થવાહીને અનુમતિ આપી. ત્યાર પછી ભદ્રા સાર્થવાહી હષ્ટ તુષ્ટ યાવત્ પ્રફુલ્લિત હૃદયવાળી થઇને વિપુલ અશન પાનખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવે છે. તૈયાર કરાવીને ઘણાં પુષ્પ, ગંધ, વસ્ત્ર, માળા અને અલંકારોને ગ્રહણ કરે છે, અને પોતાના ઘરથી બહાર નીકળે છે. રાજગૃહ નગરની વચ્ચોવચ્ચ થઇને, નીકળીને જ્યાં પુષ્કરણી છે ત્યાં પહોંચે છે. ત્યાં પહોંચીને પુષ્કરણીના કિનારે તે ઘણાં પુષ્પ યાવત્ માળા અને અલંકાર રાખી દીધા. રાખીને પુષ્કરણીમાં પ્રવેશ કર્યો જલમજ્જન કર્યું, જળ ક્રિડા કરી, સ્નાન કર્યું અને બલિકર્મ કર્યું. ત્યાર પછી ઓઢવા-પહેરવાના બંને ભીના વસ્ત્રો ધારણ કરેલ ભદ્રા સાર્થવાહીએ ત્યા જે ઉત્પલ કમળ અને સહસ્ર પત્ર કમળ આદિ હતા તે ગ્રહણ કર્યા. પછી પુષ્કરણીથી બહારની નીકળી. નીકળીને પહેલા રાખેલ ઘણાં પુષ્પ ગંધ, માળા આદિને લીધા. અને લઈને જ્યાં નાગગૃહ હતું, યાવત વૈશ્રમણ ગૃહ હતું ત્યાં. પહોંચીને તેમાં સ્થિત નાગની પ્રતિમા યાવત્ વૈશ્રમણની પ્રતિમા પર દૃષ્ટિ પડતાં જ તેને
4
Jaincation International
For Private & Personal Use Only
www.jainelibrary.org