________________
સૂત્ર-૪૨
૪૭ સમાતા નથી, કેટલાકો નાચવા મંડ્યા, તાંડવ કરવા લાગ્યા, હોંકાર કરવા લાગ્યા, બાહુઓ અફળાવવા લાગ્યા, હણહણવા માંડચા, હાથીની પેઠે ચીસો પાડવા લાગ્યા; કેટલાકો ઊછળે છે, સિંહનાદ કરે છે, ઊંચે ઊડે છે, નીચે પડે છે, પગ પછાડે છે, ગાજે છે, ઝબકે છે, વરસે છે, પોતપોતાનાં નામો કહી સંભળાવે છે, તેથી તપે છે, કેટલાક મોટેથી બૂથે કરે છે અને કેટલાકો પોતાના હાથમાં ધૂપધાણાં, કળશો અને કમળો વગેરે રાખી આમતેમ દોડાદોડી કરે છેઃ એ રીતે તે દરેક દેવો પોતાના સ્વામીના અભિષેકની ખુશાલી માણે છે. અભિષેક થઈ રહ્યા બાદ તે દરેક દેવો હાથ જોડીને બોલ્યા કે હે નંદ! તારો જય થાઓ, હે ભદ્ર! તારો ય થાઓ, જે અજિત છે તેને તું જિત અને જેજિત છે તેની તું રક્ષા કર. દેવોમાં જેમ ઈદ્ર, તારાઓમાં ચંદ્ર, અસુરોમાં અમર, નાગોમાં ધરણ અને મનુષ્યોમાં ભારતની પેઠે તું અમારી વચ્ચે રહે. વળી, ઘણાં પલ્યો પમો, ઘણાં સાગરોપમો, ઘણાં પલ્યોપમો અને સારગરોપમો સુધી અમારા ઉપર અને આ આખા સુયભિવિમાન ઉપર આધિપત્ય ભોગવ અને અમને બધાને સુરક્ષિત રાખતો તું અહીં આનંદથી વિહર. આમ બોલીને તે બધાં દેવદેવીઓએ જય જય નાદ કર્યો અને એ રીતે સૂયભદેવનો ઈંદ્રાભિષેક પૂરો થયો. અભિષેક પૂરો થતાં તે સૂર્યા ભદેવ, ત્યાંથી પૂર્વને બારણે નીકળી અલંકારસભાને પ્રદક્ષિણા કરતો તેમાં તેજ બારણે પેઠો અને ત્યાંના મુખ્ય સિંહાસને બેઠો.
[૪૩] પછી તેના સામાજિક સભ્યદેવોએ તેની સમક્ષ ત્યાં બધી અલંકાર સામગ્રી ઉપસ્થિત કરી. પહેલાં તો ન્હાએલો હોવાથી તેણે સુકોમળ અંગલુછણા દ્વારા પોતાનાં અંગો લૂળ્યાં, તેના ઉપર સરસ ગોશીષચંદનનો લેપ કર્યો અને ત્યારબાદ એકજ કે ઊડી શકે તેવું ઘોડાની લાળ જેવું નરમ. સુંદર વર્ણ અને અને સ્પર્શવાળું, અને જેને છેડે સોનું જડેલું છે તેવું સ્ફટિક જેવું ઉજળું ધોળું દેવદૂષ્ય યુગલ તેણે પહેર્યું. પછી હાર, અધહાર, એકાવળ, મોતીની માળા, રત્નાવળ, અંગદ, કેયૂર,કડાં, બેરખાં, કણદોરો, દસે આંગળીએ વેઢ વીંટીઓ, છાતી ઉપર દોરો, માદળિયું, કંઠી, ઝૂમણું, કાને કુંડળ અને માથે ચૂડામણિ મુગટ વગેરે આભરણો પહેરી પોતાના દેહને એ સૂયભદેવે સજાવ્યો. ગુંથેલી વીંટેલી ભરેલી અને એક બીજાના નાળથી જોડેલી એવી ચારે પ્રકારની માળાઓથી પોતાને કલ્પવૃક્ષની પેઠે સુશોભિત કરતાં તેણે દિવ્ય પુષ્પ માળ પણ પહેરી.
એ રીતે અલંકૃત થએલો તે સૂયભદેવ, વ્યવસાયસભાને પ્રદક્ષિણા કરતો તેમાં આવ્યો અને ત્યાં સિંહાસનારુઢ થયો. પછી તો તેના સામાનિક સભ્યોએ તેની સમક્ષ ત્યાંના પુસ્તકરત્નને મૂકહ્યું, તેણે તેને ઉઘાડી વાંચી તેમાંથી ધાર્મિક વ્યવસાયને લગતી સમજાતી મેળવી લીધી. એ ક્રમ પૂરો થયા બાદ તે, ત્યાંથી પૂર્વદ્વારે નીકળી નંદા પુષ્કરિણીએ ગયો. ત્યાં ગોઠવેલા સોપાન દ્વારા પુષ્કરિણીમાં ઊતરી તેણે પોતાના હાથપગ પખાળ્યા, પછી ચોકખો પરમશુચિભૂત થઈ હાથીની મુખાકૃતિની જેવી પાણીથી ભરેલી એક મોટી ધોળી રજતમય ઝારી અને પુષ્કરિણીનાં કમળો વગેરે લઈ ત્યાંથી તે સિદ્ધાયતન તરફ જવા નીકળ્યો.
[૪]સિદ્ધાયતનમાં જ્યાં દેવચ્છેદ છે અને જે બાજાએ જિનપ્રતિમાઓ છે તે તરફ જઈ એ સૂયભદેવે તેમને પ્રણામ કર્યા. પછી તેમને મોરપીંછથી પૂંજી, સુગંધી પાણીથી પખાળી, સરસ ગોશીષચંદનનો લેપ કર્યો, સુવાસિત અંગલૂછણાથી તેમને લૂછી અને પછી તે પ્રતિમાઓને અક્ષત એવાં દેવદૂષ્ય યુગલ પહેરાવ્યાં. ત્યારબાદ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org