________________
૩૮૬
રાયપ્રસેવિયં (૧૫) જૂઈનાં, મલ્લિકાનાં, સ્નાનમલ્લિકાનાં, કેતકીનાં, પાટલનાં, નવમાલિકાનાં, અગરનાં, લવંગનાં, કપૂરનાં, વાસકપૂરનાં પુટો-પડિઆએ-અનુકૂળ હવામાં ચારે બાજુ ગંધ ફેલાય એ રીતે ખુલ્લાં પડેલાં ન હોય, અથવા ત્યાં એ સુગંધી દ્રવ્યોમાંનાં ખાંડવા જેવાં દ્રવ્યો મંડાતાં ન હોય, વેરાતાં ન હોય, એક વાસણમાંથી કાઢી બીજા વાસણમાં ભરાતાં ન હોય, એ જાતની ઉદાર, મનોજ્ઞ, મનહર અને ઘાણને તથા મનને શાંતિ આપનારી સુગંધ એ ભૂભાગમાંથી ચારે બાજુ વરસ્યા કરે છે - ઝર્યા કરે છે. શું તે સુગંધી મણિઓ, એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર સુગંધી હતા ? એ અર્થ સમર્થ નથી એ તો માત્ર ઉપમાઓ છે, પણ તે સુગંધી મણિઓ તો તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈતર, સરસ, મનોહર અને મનોજ્ઞ સુગંધવાળા હતા.
તે મણિઓનો રંગ અને ગંધ જેવો ઉત્તમ હતો તેવો જ તેમનો સ્પર્શ પણ ઉત્ત મોત્તમ હતો. કેમ જાણે ત્યાં જમીન ઉપર કોમળ ચામડું જ ન પાથર્યું હોય, જ ન ભરેલું હોય માખણ જ ન લગાડેલું હોય, હંસગર્ભના થી ભરેલી એવી તળાઈઓ જ ન પાથ રેલી હોય, સરસડાંનાં ફૂલોના જાણે ઢગલા જ ન કર્યા હોય અને કોમળ કમળોનાં પાંદડાં ન વેરેલાં હોય, એવો તે મણિઓનો કોમળ-કોમળતર સ્પર્શ હતો. શું કોમળ સ્પર્શવાળા તે મણિઓ એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર કોમળ હતા? એ અર્થ સમર્થ નથી એ તો માત્ર ઉપમાઓ છે; પણ તે કોમળ મણિઓ તો તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈતર, સરસ, મનોહર અને મનોજ્ઞ કોમળ સ્પર્શવાળા હતા. ત્યારપછી તે આભિ યોગિક દેવોએ પૂર્વવતિ દિવ્ય યાન વિમાનની અંદર બરાબર વચ્ચેના ભાગમાં એક મોટા પ્રેક્ષાગૃહમંડની રચના કરી. એ દેવોએ એ મંડપને અનેક સ્તંભો ઉપર ઊભો કર્યો, ઉંચી વેદિકાઓ તોરણો અને સુંદર પૂતળીઓથી સુશોભિત બનાવ્યો. એમાં રમણીય ઘાટવાળા વિમળ અને પ્રશસ્ત વૈડુર્યરત્નો જડયાં, તે મંડપના જુદા જુદા ભાગોમાં બીજા પણ અનેક પ્રકારના મણિઓ જડી તેને વિશેષ ચળકતો બનાવ્યો, તેમાં પૂર્વોક્ત બળદ, ઘોડો, હાથી, મગર, નર, વનવેલ વગેરેનાં ચિત્રો કોય સુવર્ણમય અને રત્ન મય અનેક સ્તૂપો ઊભા કર્યા, અનેક પ્રકારની પંચરંગી ઘંટડીઓ તથા પતાકાઓથી તેના શિખરને શણગાર્યું. એ મંડપ એટલો બધો ચકચકતો હતો કે જોનારને તે જાણે હલતો હોય તેવો ચપલ જણાતો, એમાંથી કિરણોની ધારા છૂટતી હોય એમ લાગતું. તેના-મંડપના બધા ભાગો લીંપીગૂંપીને ચકચકતા અને સુંવાળા કરેલા હતા, મંડપમાં બહાર અને અંદર રક્તચંદન વગેરે અનેક સુગંધી દ્રવ્યોના થાપા મારેલા હતા, જ્યાં ત્યાં ચંદનના કલશો ગોઠવેલા હતા, બારણાના ટોડલાઓ ચંદનના કલશોથી શોભાયમાન એવાં તોરણોથી સુશોભિત કરેલા હતા, જ્યાં ત્યાં લાંબી લાંબી સુગંધી માળાઓ લટકાવેલી હતી, પંચ રંગી પુષ્પોના તો ઢગ ઢગ ભરેલા હતા, અગર વગેરેના પૂર્વોક્ત સુગંધી ધૂપોથી એ મંડપ મધમધી રહ્યો હતો, જાણે કે સુગંધોનો કોઈ ખાસ ઓરડો ન હોય? મંડપમાં ચારે તરફ વાજાંઓવાગીરહ્યાં હતાં અને અપ્સરાઓનોટોળેટોળાંઆમથી તેમ ફરતાં જણાતાં હતાં.
એ આભિયોગિક દેવોએએ પ્રેક્ષાગૃહમંડપને હમણાં કહ્યો એવો સુંદર, પ્રસનતાવર્ધક, દર્શનીય-અને અનુપમ બનાવ્યો હતો. તે મંડપની અંદરની ભૂમી વિમાનની ભોં જેવી તદ્દન લીસી-બનાવી હતી અને તેમાં સુગંધી, સરસ સ્પર્શવાળા અને રંગબેરંગી મણિઓ પણ તેવાજ જડેલા હતા, જેમાં પદ્મલતાઓ ભરેલી છે એવો એક મોટો સારામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org