SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ ઉવાઇયં (૫૦). અજીવાદિનો જ્ઞાતા થઈ પોતાના આત્માને ભાવિત કરતો વિચરે છે. વિશેષ તો એ છે કે જેવો સ્ફટિક રાશિસમાં નિર્મલા છે તેથી તેઓ માટે દરેકના દ્વાર હંમેશ ખુલ્લા રહે છે. તેમજ વિશ્વાસપાત્ર હોવાથી અંતઃપુરમાં પણ રોક ટોક વિના પ્રવેશ કરી શકે છે. આવા છે તે અંબડ પરિવ્રાજક. આ અમ્બડ પરિવ્રાજકે સ્થૂલ પ્રાણાતિપાતનો યાવતું ભૂલ પરિગ્રહનો પણ માવજીવન ત્યાગ કર્યો છે. પરંતુ મૈથુનનો સર્વથા યાવજીવન ત્યાગ કર્યો છે. અંબડ પરિવ્રાજકને વિહાર કરતાં માર્ગમાં અકસ્માતુ ગાડાનું પૈડું ડૂબે એટલું પાણી ઉતરવું કહ્યું નહિ. પરંતુ બીજો માર્ગ ન જ હોય તો જઈ શકે છે. આ અમ્બડ પરિવ્રાજકને ગાડાદિમાં બેસવું કલ્પતું નથી. માત્ર તેને ગંગાની માટીનો લેપ કલ્પે છે. અમ્બડ પરિવ્રાજકને આધાર્મિ, ઔદેશિક, મિશ્રજાત, અધ્યવપૂરિત-પૂતિકર્મ દ્વીતકતા પ્રામિય- અનિસૃષ્ટ-અભ્યત- સ્થાપિત - રચિત કાન્તારભક્ત- દુર્ભિક્ષભક્ત- પ્રાહુણક ભક્ત-કલ્પતો નથી તેમજ પીવું પણ કલ્પતું નથી. અમ્બડ પરિવ્રાજકને મૂળ કંદ યાવત્ બીજ વસ્તુઓનું ભોજન કરવું કે પીવું કલ્પતું નથી. અમ્બડ પવ્રિાજકને ચારેય પ્રકારના અનર્થદંડોનો માવજીવન ત્યાગ હોય છે. તે આ પ્રમાણે-અપધ્યાનાચરિત, પ્રમાદચરિત, હિંસાપ્રદાન- તેમજ પાપકર્મોનો ઉપદેશ આપવો. અમ્બડ પરિવ્રાજકને મગધદેશ પ્રસિદ્ધ અર્ધ આઢક પ્રમાણ જળ ગ્રહણ કરવું કહ્યું છે તે વહેતું હોવું જોઈએ. તે પણ કચરાથી રહિત નિર્મળ યાવતુ ગળેલ હોવું જોઇએ. તે પણ કોઇએ આપ્યું હોય તો કલ્પ આપ્યા વિનાનું કલ્પતું નથી. આ પાણી હાથ, પગ, ભોજન પાત્ર, ચમચા ધોવા માટે તથા પીવા માટે કહ્યું છે પણ સ્નાન માટે નહિ. આ અંબડ પરિવ્રાજકને મગધદેશ પ્રસિદ્ધ આઢક પ્રમાણ જલ ગ્રહણ કરવું કહ્યું છે. તે પણ વહેતું યાવતું આપેલું ન હોય તે કહ્યું નહિ. આ જલ સ્નાન માટે કહ્યું છે પરંતુ હાથ, પગ, ભોજન, પાત્ર, ચમચા ધોવા માટે કહ્યું નહિ. તેમજ પીવામાં પણ કહ્યું નહિ. અમ્બડને બીજા યૂથવાળા-તીર્થંકરસંઘની અપેક્ષા શાક્ય ભિક્ષુઓના સંઘ, અન્ય યૂથના દેવ, અહંત પ્રભુ સિવાય બીજા દેવ, અન્ય યૂથ દ્વારા ગ્રહણ કરાયેલ ચૈત્ય ને વંદન કરવા, નમસ્કાર કરવા યાવતુ પર્યાપાસના કરવી કલ્પતી નથી. અરિહંત ચૈત્ય નમસ્કારાદિ યોગ્ય છે. બીજા નહિ. હે પૂજ્ય! અમ્બડ પરિવ્રાજક કાલ માસે કાળ કરીને જ્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ ! અમ્બડ પરિવ્રાજક અને પ્રકારના શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસથી પોતાના આત્માને ભાવિત કરતાં અનેક વર્ષો સુધી શ્રમણોપાસકના પયયનું પાલન કરશે. પાલન કરીને એક માસની સંલેખના કરી સાઠ ભક્તનું અનશન છેદન કરીને પાપકર્મોની આલોચના તથા પ્રતિક્રમણ કરીને સમાધિને પ્રાપ્ત કરશે. કાલ માસે કોલ કરીને બ્રહ્મલોક નામના દેવલોકમાં ઉત્પન થશે. ત્યાં અંબડ દેવની ૧૦ સાગરોપમની સ્થિતિ થશે. હે પૂજ્ય! તે અંબડદેવ દેવલોકથી આયુનો ક્ષય, ભવનો ક્ષય, સ્થિતિનો ક્ષય થવા પર ત્યાંથી અવીને પછી ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં જે સમૃદ્ધ કુળ છે જે વિશાળ અને વિપુલ ભવનોના અધિપતિ છે, જેની પાસે અનેક પ્રકારના શયન, આસન, વાહન છે, ઘણાં ધનના સ્વામી છે, સુવર્ણચાંદી છે. આદાન-પ્રદાનનું કાર્ય થાય છે. ઘણાં પ્રમાણમાં ભોજન બનાવી યાચાકદિને આપવામાં આવે છે, અનેક દાસી, દાસ, ગાય, ભેંસ, ઘેટાંઓથી ભરપુર છે અને જે કોઈથી પરાભવ પામતા નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy