________________
૩૫૮
લાગ્યાં, તેથી રાજા કુબેરની સમાન દેખાવા લાગ્યા. ઇન્દ્રના જેવી ઋદ્ધિની કા૨ણે વિખ્યાત કીર્તિવાળા તેઓ ઘોડા, હાથી, ૨થ અને શ્રેષ્ઠ યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેનાથી યુક્ત થઇ જ્યાં પૂર્ણભદ્ર ઉઘાન હતું તે તરફ ચાલ્યા. તે રાજા સમસ્ત રાજ્ય ઋદ્ધિથી સર્વદ્યુતિથી, સર્વ સેનાથી, સમસ્ત પરિજનોથી, સર્વ આદરથી, સમસ્ત ઐશ્વર્ય થી, સર્વ વસ્ત્રાભરણોની શોભાથી, સર્વ સંયમ થી, સર્વ પ્રકારના પુષ્પો, ગંધ, માળા, અલંકારોથી, સર્વ પ્રકારના વાજિંત્રોના મધુર ધ્વનિથી તથા પોતાની વિશિષ્ટ ઋદ્ધિથી, મહાન દ્યુતિથી, મહાન સેનાથી, મહાન સમુદાયથી અને એક સાથે વાગતા અનેક વાજિંત્રોના ધ્વનિથી તથા શંખ, પણવ, પટહ, ભેરી, ઝલ્લરી, ખરમુખી, હુડુક્ક, મુરજ, મૃદંગ, તેમજ દુંદુભિના નિર્દોષની પ્રતિધ્વનિથી શોભતા ચંપા નગરીની મધ્ય-મધ્યમાં થઇનેચાલ્યા.
ઉવવાઇયું – (૩૧)
-
[૩૨] ત્યાર પછી તે કૂણિક રાજાના ચંપાનગરીના મધ્યભાગમાંથી નીકળતી વખતે અનેક ધનાર્થિઓએ અનેક કામાર્થિઓએ, લાભાર્થિઓએ હાંસી, મજાક કરના રાઓએ,કાપાલિકોએ,રાજકરથી પીડિતોએ, શંખ વગાડનારાઓએ, ચક્રધારીઓએ, ખેડૂતોએ, શુભાશીર્વાદ દેનારાઓએ, વર્ધમાન-સ્કંધ પર પુરૂષોને બેસાડનારા ઓએ, બિરુદાવેલી બોલાવનારા -ભાટ-ચારણ અને છાત્રગણોએ પોતપોતાની ભાષાનુસાર ઇષ્ટ, સુંદર, પ્રિય, મનોજ્ઞ, હ્દયાાદક, મનોભિરામ તેમજ હ્દયંગમ વચનો દ્વારા જય, વિજ્યાદિ સેંકડો માંગલિક શબ્દોથી સારી રીતે અભિનંદન તેમજ સ્તુતિ કરતાં આ પ્રકારે કહેવાનું શરૂ કર્યું. હે નન્દ ! તમારો જય હો, હે ભદ્ર ! તમારો જય હો, જય હો. તમારું કલ્યાણ થાવ ! નહિ જીતાયેલાને જીતો, જીત્યા હોય તેમનું પાલન કરો. જીતેલા પ્રદેશમાં નિવાસ કરો. દેવોમાં ઇન્દ્રની જેમ, અસુરોમાં ચમરેન્દ્રની જેમ, નાગકુમારોમાં ધરણેન્દ્રની જેમ, તારાઓમાં ચન્દ્રની જેમ, મનુષ્યોમાં ભરતની જેમ આપ ઘણા વરસો સુધી, સેંકડો વરસો સુધી-ઘણાં હજાર વરસો સુધી દોષરહિત સપરિવાર, આનંદ તથા સંતોષપૂર્વક અખંડ આયુ ભોગવો. ઇષ્ટજનોથી ઘેરાયેલ, ચંપાનગરીના તથા બીજા ઘણાં ગામોના આકર- નગરોના, ખેટોના- કર્બટોના દ્રોણમુખોના મંડળોના પત્તનોના-આશ્રમોના, નિગમોના-સંનિવેશના- આધિપત્યને,-અગ્રેસરત્વને, સ્વામીત્વને, પોષકત્વને, નાયકત્વને, સેનાપતિઓના આજ્ઞા પ્રદત્વરૂપ અધિકારને કરાવતા અને પાળતા થકા તેમજ સદા વ્યવધાન રહિત નિરંતર નાટક, ગીત તેમજ ચતુર પુરુષો દ્વારા વગાડવામાં આવતા વાજિંત્ર, તંત્રી- તલતાલ- તૌર્થિકબીજા વાજિંત્રોના સમૂહ, ઘન મંદગોના,શબ્દો દ્વારા આનંદિત થતાં વિપુલ ભોગોપભોગોને ભોગવતા આપનો સમય
નિર્વિઘ્ને વ્યતીત કરો.
ત્યાર પછી ભંભસારના પુત્ર રાજા કૂણિક હજારો આંખો દ્વારા વારંવાર જોવાતા હતા, હજારો હૃદય દ્વારા વારંવાર અભિનંદિત થતા હતા. લોકોના હજારો મનોરથરૂપી માલાઓ દ્વારા સ્પર્શતા હતા સુંદર અને ઉદાર વચનોથી વારંવાર સ્તુત થતા, દેહની દીપ્તિ તેમજ દિવ્ય સૌભાગ્યાદિક ગુણોથી વારંવા૨ પ્રાર્થિત થતા, હજારો નર- નારી ઓની હજારો અંજલિરૂપ માળાઓ રચાઇ હતી તેનો સ્વીકાર કરતાં અત્યંત મધુર સ્વરથી તે લોકો દ્વારા સત્કાર, સન્માનનું અનુમોદન કરતાં ચંપા નગરીની વચ્ચેના માર્ગમાં થઈ હજારો મહેલોની હાર પસાર કરતા તે નીકળ્યા. નીકળીને જ્યાં પૂર્ણભદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org