________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન
૩૨૫ આદિ સામગ્રીનું આસ્વાદનાદિ કર્યું યથારુચિ ઉપભોગ કર્યો. ગંધવએ તેમની પ્રશં સાના ગીતો ગાયા, ગાયકો તથા નર્તકોએ સંગીત અને નૃત્ય દ્વારા સ્વાગત કર્યું. આમ આનંદપૂર્વક તેઓ વિચારવા લાગી. તત્પશ્ચાતુ અર્ધરાત્રિના સમયે અનેક પુરુષો થી ઘેરા યેલ મહારાજ સિંહસેન જ્યાં કૂટાકાર શાળા હતી, ત્યાં આવ્યા, આવીને કુટાકાર શાળા ના બધા દરવાજા બંધ કરાવી દીધા અને તેની ચારે બાજુ આગ લગાવી દીધી. સિંહસેન દ્વારા જલાવેલી, ત્રાણ અને શરણથી રહિત, એવી તે ૪૯૯ રાણીઓની માતા ઓ રૂદન, આક્રંદન અને વિલાપ કરતી કાળધર્મ પામી.
ત્યાર બાદ એતત્કર્મો,એતદ્વિધ,એતપ્રધાન અનેતત્સમાચારવાળો થતો તે સિંહ સેન રાજા અત્યધિક પાપ કર્મોન ઉપાર્જન કરીને ૩૪૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી કાળમાસમાં કાળ કરી છઠ્ઠી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની સ્થિતિવાળા નારકી ઓમાં નારકરૂપે ઉત્પન્ન થયો. ત્યારબાદ તે સિંહસેનનો જીવ છઠ્ઠી નરકભૂમિમાંથી નીકળીને રોહીતક નગરમાં દત્ત સાર્થવાહની “કૃષ્ણશ્રી' નામની પત્નીના ઉદરમાં પુત્રી રૂપે ઉત્પન્ન થયો, ત્યારે તે કૃષ્ણશ્રીએ લગભગ નવ માસ પરિપૂર્ણ થવા પર એક કન્યાને જન્મ આપ્યો, જે અત્યંત કોમળ હાથપગવાળી, યાવતું પરમ સુન્દરી હતી. ત્યારબાદ તે કન્યાના માતાપિતાએ બારમે દિવસે ઘણું અશનાદિ તૈયાર કરાવ્યું, યાવતુ મિત્ર, જ્ઞાતિ આદિને નિમંત્રિત કરીને તથા બધાને ભોજનાદિથી નિવૃત્ત થવા પર કન્યાનો નામકરણ સંસ્કાર કરતાં કહ્યું કે એનું નામ દેવદત્તા' રાખવામાં આવે છે.
પછી તે દેવદત્તા બાલ્યાવસ્થાથી મુકત થઈને, યાવતુ યૌવન, રૂપ અને લાવણ્યથી અત્યંત ઉત્તમ તેમજ ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ. થોડા સમય પછી દેવદત્તા કોઈ દિવસે સ્નાન કરીને યાવતુ સમસ્ત આભૂષણોથી વિભૂષિત થયેલી ઘણી કુન્જા આદિ દાસીઓ સાથે પોતાના મકાનમાં ઉપરના ઝરૂખામાં સોનાના દડાથી રમતી હતી. તે સમયે સ્નાનાદિથી નિવૃત્ત યાવતુ વિભૂષિત મહારાજ વૈશ્રમણ ઘોડા ઉપર સવાર થઈને અનેક અનુચરો સાથે અસ્વક્રીડા માટે રાજમહેલમાંથી નીકળીને શેઠ દત્તના ઘર પાસેથી થઇને જઈ રહ્યા હતા, ત્યારે યાવતુ વૈશ્રમણ મહારાજાએ દેવદત્તા કન્યાને ઉપર સોનાના દડાથી રમતી જોઈ, જોઇને કન્યાના રૂપ, યૌવન અને લાવણ્યથી વિસ્મિત થઈને રાજપુરુષોને બોલાવીને કહ્યું કે - દેવાનુપ્રિયે! આ કન્યા કોની છે? તથા એનું નામ શું છે? ત્યારે રાજ પુરુષો હાથ જોડીને યાવતું આ પ્રમાણે કહેવા લાગ્યા - હે સ્વામિનું! આ કન્યા દત્ત સાર્થવાહની પુત્રી અને કૃષ્ણથી શેઠાણીની આત્મા છે. એનું નામ દેવદત્તા છે.
- ત્યાર બાદ મહારાજ વૈશ્રમણ દત્તે અશ્વક્રીડા કરીને પાછા આવી પોતાના અંતરંગ પુરુષોને બોલાવ્યા અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને જઇને દત્ત શેઠની પુત્રી અને કૃષ્ણશ્રીની આત્મજા દેવદત્તા નામની કન્યાને યુવરાજ પુષ્પનન્દીને માટે પત્નીરૂપે માગો. જો તે રાજ્ય દઈને પણ મેળવી શકાય તો પણ લેવી જોઇએ. મહારાજ વૈશ્રમણની આ આજ્ઞાને સન્માનપૂર્વક સ્વીકાર કરીને તે લોકો નાનાદિ કરી અને શુદ્ધ તથા સભામાં પ્રવેશ કરવા યોગ્ય ઉત્તમ વસ્ત્રો પહેરીને જ્યાં દત્ત સાર્થવાહનું ઘર હતું ત્યાં ગયાં. દત્ત શેઠ પણ તેમને આવતા જોઈ અત્યંત પ્રસનતા પ્રકટ કરતા આસન પરથી ઊઠીને તેમના સત્કાર માટે સાત-આઠ પગલા આગળ ગયો અને તેમનું સ્વાગત કરીને આસન પર બેસવાની પ્રાર્થના કરી ત્યાર બાદ ગતિજન્ય થાક દૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org