________________
૨૪૪
અનુત્તરોવવાહય દસાઓ- ૩/૧૭ (ા વર્ગ-૩ ક અધ્યયન-૧-ધન્ય) ૭િ-૯ તો ભગવન્! શ્રમણ ભગવાન યાવતું મોક્ષને પ્રાપ્ત થયેલા મહાવીર સ્વામીએ ત્રીજા વર્ગનો શો અર્થ વર્ણવ્યો છે? હે જંબૂ! અનુત્તરોવ વાઈયદશાંગના ત્રીજા વર્ગના દસ અધ્યયનો પ્રરૂપ્યા છે ધન્ય, સુનક્ષત્ર, ઋષદાસ, પેલ્લક, રામપુત્ર, ચંદ્ર, * પૃષ્ટિમાતૃકા, પેઢાલ, પોટિલ્લ, વિહલ્લકુમાર.
[૧૦]હે ભગવન્! શ્રમણ ભગવાને ત્રીજા વર્ગના પ્રથમ અધ્યયનનો શું અર્થ કહ્યો છે? શું ભાવ વર્ણવેલ છે? હે જંબૂ ! તે કાળે અને તે સમયે કાકંદી નગરી હતી. તે નગરી જન, ધન અને ભવનોથી સમૃદ્ધ હતી. સહસ્ત્રાભ્રવન ઉદ્યાન હતું. તે ઉદ્યાન સર્વ ઋતુ ઓના પુષ્પ, ફળ આદિથી સમૃદ્ધિ હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. ભદ્રાસાર્થ વાહિની રહેતી હતી. તે સાર્થવાહિની સમૃદ્ધ યાવતું કોઈથી પરા ભવ પામનારી ન હતી. તે ભદ્ર સાર્થવાહિનીનો ધન્ના નામક પુત્ર હતો. તે પુત્ર સમસ્ત અંગોપાંગોથી પરિપૂર્ણ યાવતુ સુંદર રૂપવાળો હતો. તે બાળક પાંચ ધાવમાતાથી ઘેરાયેલો રહેતો. મહા બલકુમારનો વૃત્તાન્ત પ્રમાણે અહીં પણ સમજવું. યાવતું બહોંત્તેર કળાઓનું ધન્નાએ અધ્યયન કર્યું. ત્યાર બાદ તે બાળક ધીરે ધીરે ભોગ ભોગવવા સમર્થ થઈ ગયો.
ત્યાર બાદ ભદ્રા સાર્થવાહિનીએ ધન્નાકુમારને બાલભાવથી મુક્ત અને સર્વ ભોગોને ભોગવવા સમર્થ થયેલ જાણીને બત્રીશ ઊંચા અને શ્રેષ્ઠ મહેલ કરાવ્યાં. તેમની મધ્યમાં અનેક સેંકડો સ્તન્મથી યુક્ત પ્રઘાનભવન કરાવ્યું યાવતું બત્રીસ ઉત્તમ શ્રેષ્ઠી
ઓની કન્યાઓ સાથે એક જ દિવસમાં પાણિગ્રહણ કરાવ્યું, કરાવીને બત્રીસે બત્રીસ કન્યાઓને દાસ-દાસી, ધન-ધાન્ય આદિ દહેજ આવે છે. યાવતુ પત્રાકુમાર ઉપર મહેલમાં વાદ્યોના નાદ સાથે મનુષ્ય સંબંધી સુખ ભોગવતો થકો વિચારે છે. તે કાળમાં અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સહસ્ત્રાભ્રવન ઉદ્યાનમાં પધાર્યા. પરિષદ્ દર્શન માટે નીકળી. કોણિક રાજાની જેમ જિતશત્રુરાજા પણ ભગવાનની દેશના સાંભળવા માટે નીકળ્યાં. ત્યાર બાદ તે ધન્ના કુમારે ભગવાનના આગમનના સમાચાર લોકોના મહાશબ્દો દ્વારા જાણ્યા. જમાલિકુમારની જેમ ધન્નાકુમાર પણ જાય છે. વિશે ષતા એટલી કે તે પગે ચાલીને જાય છે. ધર્મકથા સાંભળી પરિષદૂ સહિત રાજા સ્વસ્થાને ગયા. ધન્નાકુમાર ધર્મકથા સાંભળીને વૈરાગ્યવાનું થયા. યાવતુ કહેવા લાગ્યા. હે ભગવન્! હું મારી માતા ભદ્રા સાર્થવાહિની ને પૂછીને આપની પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. યાવતુ જમાલીની જેમ ધન્નાકુમાર પોતાની માતાને પૂછે છે. પૂછતાં જ માતાભદ્રા મૂચ્છિત થઈ જાય છે. મુચ્છ દૂર થવા પર માતા આ પ્રમાણે કહે છે- મહાબલ કુમારને માતા પિતાની સાથે વાત મુજબ અહીં પણ જાણવું. યાવતું માતા પુત્રને ઘેર રાખવામાં સમર્થ ન થઈ ત્યારે, જે પ્રમાણે થાવચ્યા પુત્રની માતાએ કૃષ્ણ મહારાજાને દીક્ષા વિષયક પૂછ્યું હતું તે જ પ્રમાણે ભદ્રા સાર્થવાહિનીએ જિતશત્રુ રાજાને દીક્ષા માટે કહ્યું, અને છત્ર ચામરની યાચના કરી. જિતશત્રુ રાજાએ થાવરચ્યા પુત્રની જેમ દીક્ષામહોત્સવ કર્યો, ધન્ના કુમાર દિક્ષિત થયા. અણગાર બની ઈય સમિતિથી યુક્ત યાવતું ગુપ્ત બ્રહ્મચારી બની વિચરવા લાગ્યા.
ત્યાર પછી ધન્ના અણગારે જે દિવસે દીક્ષા ગ્રહણ કરી તે જ દિવસે શ્રમણ ભગ વાન મહાવીરને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! જો આપની અનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org