________________
વર્ગ-૭, અધ્યયન-૧ થી ૧૩
૨૩૫ (ા વર્ગ૭ ક અધ્યયનઃ૧-૧૩). [૪૧-૪૩] સાતમા વર્ગમાં ૧૩ અધ્યયનો પ્રરૂપ્યા છે. નંદા નંદાવતી નંદોત્તરા નંદશ્રેણિકા મરૂતા સુમરૂતા મહામરૂતા મરૂત દેવી ભદ્રા સુભદ્ર સુજાતા સુમનાતિકા ભૂતદતા. આ બધા શ્રેણિક મહારાજાની રાણી ઓમાં નામ છે.
[૪૪] જંબૂ ! તે કાળે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ગુણશિલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતા. નંદા રાણી હતી. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. નગરવાસીઓ નીકળ્યા. તે નંદાદેવી આ વૃત્તાન્તને જાણી પ્રસન્ન તેમજ સંતુષ્ટ થઈ. તેણે સેવક પુરુષોને બોલાવ્યા. પદ્માવતી રાણીની જેમ દીક્ષિત થઈ. અગિયાર અંગોનું અધ્યયન કર્યું. વીસ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. યાવતુ સિદ્ધ થયા. [૪૫]આ જ પ્રમાણે બીજી બધી દેવીઓનું જીવન નંદાદેવીની જેમ જ જાણવું
વર્ગ૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
(ા વર્ગ૮ કર અધ્યયન -કાલી) [૪૬]હે જંબૂ! આ પ્રમાણે શ્રમણ યાવતુ મોક્ષપ્રાપ્ત ભગવાન મહાવીર સ્વામીએ આઠમાં અંગ અંતગડશાંગના આઠમાં વર્ગના દશ અધ્યયનો પ્રતિ પાદન કરેલ છે.
[૪૭]કાલીદેવી, સુકાલીદેવી, મહાકાલીદેવી, કૃષ્ણાદેવી, સુકૃષ્ણાદેવી, મહા કૃષ્ણાદેવી, વિરકૃષ્ણાદેવી, રામકૃષ્ણદેવી, પિતૃસેનકષ્ણાદેવી, અને મહાસેનકૃષ્ણાદેવી.
[૪૮] જંબૂ! તે કાળ અને તે સમયમાં ચંપા નગરી હતી. પૂર્ણભદ્ર ચૈત્ય હતું. ત્યાં કૂણિક રાજા હતા. કોણિક રાજાની નાની માતા, કાલી નામક દેવી (રાણી) હતી. નંદા દેવીની જેમ કાલીદેવી દીક્ષિત થયા. સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ઘણી છઠ્ઠ અઠ્ઠમ આદિ તપશ્ચર્યાથી પોતાના આત્માને ભાવિત કરતી વિચારવા લાગી.
ત્યાર પછી કોઈ એક દિવસે કાલી આ સાધ્વી જ્યાં આ ચંદનબાલા હતા, ત્યાં આવ્યા અને આવીને આ પ્રમાણે કહેવા લાગ્યા-આર્યો ! આપ જો આજ્ઞા આપો તો રત્નાવલી તપની આરાધના કરવાની મારી ઈચ્છા છે. દેવાનુપ્રિયે ! જેમ તમારા આત્મા ને સુખ ઉપજે તેમ કરો. તેમાં વિલંબ ન કરો. ત્યાર પછી તે રત્નાવલી નામક તપને અંગીકાર કરીને વિચારવા લાગી. રત્નાવલી તપ આ પ્રમાણે કરાય છે- એક ઉપ- વાસ કરે પારણામાં મનોવાંછિત દૂધ, ઘી, આદિ બધા રસોનું સેવન કરી શકે. એ પ્રમાણે એક છઠ્ઠ કરી પારણું કરે, પછી એક અઠ્ઠમ કરી પૂર્વવતુ પારણું કરે, ત્યાર પછી આઠ છઠ્ઠ કરી પૂર્વવતુ પારણુ કરે, એક ઉપવાસ અને પારણું, બે ઉપવાસ અને પારણું, ત્રણ અને પૂર્વવત્, પારણું, ઉપવાસ પછી અનુક્રમથી ચાર-પાંચ-છ-સાત-આઠ-નવ-દસ- અગિયાર- બાર તેર-ચૌદ-પંદર અને સોળ ઉપવાસ કરે. આ બધા ઉપાવાસોની વચ્ચેના પારણામાં ઈચ્છા પ્રમાણે બધા રસોનું સેવન કરાય. પછી ૩૪ છઠ્ઠ કરે તેની ઉપર ૧૬ ઉપવાસ કરે. પછી પંદર-ચૌદ-તેર-બાર-અગિયાર-દસ-નવ-આઠ-સાત-છપાંચ ચાર-ત્રણ-બે-એક આ પ્રમાણે ઊતરતા ક્રમથી ઉપવાસ કરે પછી પાછા આઠ છઠ્ઠ કરે પછી એક અઠ્ઠમ કરે આ બધા ઉપવાસોના મધ્યમાં કરાતાં પારણામાં પૂર્વની જેમ મનોવાંછિત ઘી, દૂધ, તેલાદિ બધા રસોનું સેવન કરી શકાય. ઉપર જે ઉપવાસોનો ક્રમ બતાવ્યો છે તે બધા ઉપવાસો મળી રત્નાવલી તપની પહેલી પરિપાટી થાય છે. તેની આરાધના એક વર્ષ ત્રણ મહિના અને ૨૨ દિવસમાં આગમાનુસાર પૂર્ણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org