________________
અધ્યયન-૨
૧૯૩ વંદન નમસ્કાર કરીને જે પાછો ગયો. તદનન્તર શ્રમણ ભગવાન મહાવીર અન્ય કોઈ દિવસે ચંપાનગરીથી નીકળ્યા અને નીકળી બહાર દેશ-દેશાન્તરમાં વિચારવા લાગ્યા.
[૨૮]ત્યાર પછી કામદેવ શ્રમણોપાસક પ્રથમ શ્રાવકની પ્રતિમાને અંગીકાર કરીને વિહરે છે. ત્યાર બાદ તે કામદેવ શ્રમણોપાસક ઘણા શીલવતો વગેરેથી આત્માને ભાવિત કરી વીસ વરસ સુધી શ્રમણોપાસક પયયને પાળી, અગિયાર શ્રાવકની પ્રતિ માઓને સમ્યફ વિધિપૂર્વક કાયા વડે સ્પર્શી એક માસની સંલેખના વડે આત્માને ક્ષીણ કરી સાઠ ભક્ત અણસણ વડે છેદી-વ્યતીત કરી, આલોચના કરી, પ્રતિક્રમણ કરી, સમાધિને પ્રાપ્ત થઈ મૃત્યુના અવસરે કાળ કરી સૌધર્મ દેવલોકમાં સૌધવસંતક મહા વિમાનની ઉત્તર-પૂર્વ દિશાએ અરુણાભનામક વિમાનમાં ચાર પલ્યોપમ સ્થિતિ વાળા દેવરૂપે ઉત્પન્ન થયો. હે ભગવની કામદેવ તે દેવલોકથી આયુષ્યના ક્ષય થવાથી, ભવના ક્ષય થવાથી, સ્થિતિના ક્ષય હોવાથી, અનન્તર ઍવી ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમમહાવિદેહ ક્ષેત્ર ક્ષેત્રમાં જન્મગ્રહણ કરીને સિદ્ધિ પામશે
અધ્યયન-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ]
(અધ્યયન-૩ચુલની પિતા [૨૯]હે જબૂ! તે કાળે અને તે સમયે વારાણસી નામક નગરી હતી. કોષ્ટક ચૈત્ય હતું, જિતશત્રુ રાજા હતો. તે વારાણસી નગરીમાં ચુલનીપિતા નામક ગૃહપતિ રહે છે. તે ધનાઢ્ય યાવત્ કોઈથી પરાભવ ન પામે તેવો છે. તેને શ્યામા નામની ભાય છે. તેણે આઠ હિરણ્યકોટિ નિધાનમાં મૂકેલી હતી. આઠ હિરણ્યકોટિ વૃદ્ધિ-વ્યાજે મૂકેલી હતી અને આઠ હિરણ્યકોટિ ધન-ધાન્યાદિના વિસ્તારમાં રોકેલી હતી. તેને દસ હજાર ગાયોના એક વ્રજના હિસાબે આઠ વ્રજો હતા. તે આનંદની પેઠે રાજા, ઈશ્વર, શેઠ વગેરેને યાવતુ સર્વ કાર્યોનો વધારનાર હતો. મહાવીર સ્વામી તે નગરીમાં પધાર્યા. જનસમૂહ દેશના સાંભળવા નીકળ્યા ચલની પિતા પણ આનંદની જેમ નીકળ્યો તેની જ પેઠે ગૃહસ્થ ધર્મ સ્વીકાર કર્યો. ગૌતમ સ્વામીની પૃચ્છા પૂર્વવતુ જાણવી. શેષ બધું કામદેવની જેમ જાણવું. યાવતું પોષધશાલામાં પોષધસહિત અને બ્રહ્મચારી(ચુલની પિતા) શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી પ્રાપ્ત ધમપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને વિહરે છે.
ત્યાર બાદ તે ચુલનિપિતા શ્રમણોપાસકની પાસે મધ્યરાત્રિના સમયે એક દેવ પ્રગટ થયો. તે દેવે નીલકમળ જેવી યાવતું તલવાર લઈને ચુલનીપિતા શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું, હે ચુલની પિતા શ્રમણોપાસક! ઈત્યાદિ જેમ કામદેવને દેવે કહ્યું હતું તે પ્રમાણે કહેવું, યાવત્ વ્રત વગેરેને ભાંગીશ નહિ તો હું આજે મારા જ્યેષ્ઠ પુત્રને તારા પોતાના ઘરથી લાવીશ અને તારા સમક્ષ તેનો ઘાત કરીશ. ઘાત કરીને ત્રણ -માંસના ટુકડા કરીશ અને તેલથી ભરેલા કઢાઈમાં નાખી ઉકાળીશ. ઉકાળીને તારા શરીર ઉપર માંસ, લોહી છાંટીશ. તું આર્તધ્યાનની પરવશતાથી પીડિત થઈ અકાળમાં જ જીવનથી મુક્ત થઈશ. ત્યાર બાદ તે ચુલનીપિતા શ્રમણોપાસક તે દેવે એ પ્રમાણે કહેવા છતાં પણ પામ્યા સિવાય રાવતું વિહરે છે. ત્યાર પછી તે દેવ ચુલનીપિતા શ્રમણોપાસકને નિર્ભય રહેલો યાવતું જુએ છે. તેણે બીજી વાર, ત્રીજીવાર પણ ચુલની પિતા શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું તે ચુલની પિતા પણ યાવતું તેમજ વિચારે છે-
નિર્ભય રહે છે. ત્યાર પછી 13]
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org