________________
૧૮૮
તમે જ એ સ્થાનકની આલોચના કરો, યાવત્ તપરૂપ પ્રાયશ્ચિત કરો.
ત્યાર બાદ આનંદ શ્રાવક દ્વારા આ પ્રમાણે કહેવા પર શંકિત-કાંક્ષિત અને વિચિ કિત્સા-વાળા ભગવાન ગૌતમ આનંદ શ્રાવક પાસેથી બહાર નીકળે છે. નીકળીને જ્યાં તિપલાશ ચૈત્ય અને શ્રમણ ભગવાન મહા વીર છે ત્યાં આવે છે. ત્યાં આવીને શ્રમણ ભગવાનથી થોડે દૂર રહી ગમનાગમન પડિકમે છે. એષણા-અનેષણાની આલોચના કરે છે. ભગવાને આહાર-પાણી દેખાડે છે. શ્રમણ ભગવંત મહાવી૨ને વંદન અને નમસ્કાર કરીને એ પ્રમાણે કહે છેઃ ભગવન્! આપની અનુજ્ઞા મેળવી ઈત્યાદિ પૂર્વોક્ત બધું કહે છે. તો હે ભગવન્! આનંદ શ્રમણોપાસકે તે સ્થાનની આલોચના કરવી જોઈએ, યાવત્ પ્રાયશ્ચિત કરવું જોઈએ અથવા મારે કરવું જોઈએ ? શ્રમણ ભગવંત મહાવીરે ભગવાન ગૌતમને એ પ્રમાણે કહ્યુંઃ તું જ તે સ્થાનની આલોચના કર, યાવત્ તપઃકર્મ પ્રાયશ્ચિતને સ્વીકાર કર અને આનંદ શ્રમણોપાસકને આ સંબંધે ખમાવ. ત્યાર બાદ ભગવાન્ ગૌતમ શ્રમણ ભગવાન મહાવીરને ‘તહ’ત્તિ કહી આ કથનને વિનય પૂર્વક સ્વીકાર કરીને તે સ્થાનની આલોચના કરે છે. યાવત્ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરે છે અને શ્રમણોપાસકને એ બાબત ખમાવે છે. ત્યાર બાદ ભગવાન મહાવીર અન્ય કોઈ દિવસે ત્યાંથી વિહાર કરી બહારના દેશ-દેશાન્તરમાં વિચરણ કરે છે.
ઉવાસગ દસાઓ - ૧/૧૮
[૧૯]ત્યાર પછી તે આનંદ શ્રમણોપાસક ઘણાં શીલવ્રતો વડે યાવત્ આત્માને ભાવિત કરતાં વીસ વરસ સુધી શ્રમણોપાસકની પર્યાય પાળીને શ્રાવકની અગિયાર પ્રતિમાઓને સમ્યક્ કાયા વડે સ્પર્શીને, માસિક સંલેખના વડે આત્માને શુષ્ક કરી સાઠ ભક્ત અનશન વડે પૂર્ણ કરી આલોચના અને પ્રતિક્રમણ કરી, સમાધિને પ્રાપ્ત થઈ યથાસમય કાળ કરીને સૌધર્મ દેવલોકમાં સૌધર્મવતતંસક મહાવિમનના ઉત્તર પૂર્વદિશાએ અરુણ વિમાનને વિશે ચાર પલ્યો પમની સ્થિતિ વાળા દેવપણે ઉત્પન્ન થયો. ભગવન્ ! આનંદ દેવ તે દેવલોકથી આયુષ્યના ક્ષય પછી ચ્યવી ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિ પદ પામશે. અહીં નિક્ષેપ ઉપસંહાર કરવો
અધ્યયનઃ૧ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપાપૂર્ણ અધ્યયન-૨-કામદેવ
[૨૦]હે ભગવન્! શ્રમણ યાવત્ નિર્વાણને પ્રાપ્ત ભગવન્ત મહાવીરે જે સાતમા ઉપાસકદશાંગના પ્રથમ અધ્યયનનો આ(પૂર્વોક્ત) અર્થ કહ્યો છે. તો ભગવન્! બીજા અધ્યયનમાં શો અર્થ કહ્યો છે? હે જંબૂનિશ્ચયથી તે કાળે અને તે સમયે ચંપાનગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું. જિતશત્રુ રાજા હતો. કામદેવ ગૃહપતિ હતો. તેને ભદ્રા નામે ભાર્યા હતી. તેને ત્યાં છ હિરણ્યકોટિ નિધાનમાં મૂકેલી, છ વ્યાજમાં અને છ ધાન્યાદિના વિસ્તારમાં રોકેલી હતી. તેને દશ હજાર ગાયોના એક વ્રજના હિસાબે છ વ્રજો એટલે સાઠ હજાર ગાયો હતી. ભગવાન્ સમોસર્યા. આનંદની જેમ(કામદેવ) વંદન કરવા નીકળ્યો. અને આનંદની જેમ જ શ્રાવકધર્મ સ્વીકાર કરે છે. ઈત્યાદિ
[૨૧]ત્યાર પછી કામદેવ શ્રમણોપાસકની પાસે મધ્યરાત્રિના સમયે એક માયી મિથ્યાવૃષ્ટિ દેવ પ્રગટ થયો. તે દેવે એક મોટા પિશાચના રૂપની વિક્રિયા કરી. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org