SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ નાયાધબ્બ કહાઓ- ૧/-/૧૧/૧૪૨ મહાવાત વાય છે. ત્યારે ઘણા ધવદ્રવ વૃક્ષો જીર્ણ થઈ જાય છે, મૃતપ્રાય થઈ જાય છે યાવતુ. કરમાતા કરમાતા ઉભા રહે છે. પરંતુ કોઈ કોઈ દાવદ્રવ વૃક્ષ પવિત્ર, પુષ્પિત, યાવતું અત્યંત શોભાયમાન ઉભા રહે છે. આ પ્રમાણે તે આયુષ્યનું શ્રમણો ! જે અમારા સાધુ યા સાધ્વી દીક્ષિત થઈને ઘણા અન્ય તીથિકો અને ઘણા ગૃહસ્થોના દુર્વચનોને સમ્ય પ્રકારે સહન કરે છે અને ઘણા સાધુઓ, ઘણી સાધ્વીઓ, ઘણા શ્રાવકો અને ઘણી શ્રાવિકાઓના દુર્વચનને સમ્યક્ પ્રકારે સહન કરતા નથી તેને હું દેશથી આરાધક કહું છું. જ્યારે દ્વીપ સંબંધી અને સમુદ્ર સંબંધી એક પણ ઈષત પુરોવાત, પથ્ય વાત અથવા પશ્ચાતુ વાત, યાવતુ મહાવાત નથી વાતો, ત્યારે બધા દાવદ્રવ વૃક્ષશ્રી જીર્ણ જેવા થઈ જાય છે યાવત્ કરમાતા-કરમાતા રહે છે. આ પ્રમાણે આયુષ્મન શ્રમણો! અમારા જે સાધુ યા સાધ્વી યાવત્ પ્રવ્રજિત થઈને ઘણા સાધુઓ, ઘણી સાધ્વીઓ, ઘણા શ્રાવકો, ઘણી શ્રાવિકાઓ, ઘણા અન્ય તીર્થિઓ અને ઘણા ગૃહસ્થોનાદુર્વચન શબ્દોને સમ્યક પ્રકારે સહન નથી કરતા, તે પુરુષને હે આયુષ્યનું શ્રમણો! હું સર્વ વિરાધક કહું છું. જ્યારે દ્વીપ સંબંધી પણ અને સમુદ્ર સંબંધી પણ ઇષતુ પુરોવાત, પથ્ય યા પશ્ચાતું વાત યાવતું વાય છે. ત્યારે બધા દાવદ્રવ વૃક્ષો પત્રિત, પુષ્પિત યાવતુ સુશોભિત રહે છે. એજ પ્રમાણે અમારા જે સાધુ અથવા સાધ્વીઓ ઘણા શ્રમણોના, ઘણી શ્રાવિકાઓના, ઘણા શ્રાવકોના, ઘણી શ્રાવિકાઓના, ઘણા અન્ય તીર્થંકોના અને ઘણા ગ્રહસ્થોના દુર્વચનોને સમ્યફ પ્રકારથી સહન કરે છે, તે પુરુષને મેં સવરાધક કહેલ છે. અધ્યયન-૧૧-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન-૧૨-ઉદક) [૧૪૩ શ્રમણ ભગવાન મહાવીરે અગીયારમાં જ્ઞાતાધ્યયનનો આ અર્થ ફરમા વેલ છે બારમાં જ્ઞાતધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે? હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં ચંપા નામની નગરી હતી. તેની બહાર પૂર્ણભદ્રચૈત્ય હતું જિતશત્રુ રાજા હતો. જિતશત્રુ રાજાને ધારિણીરાણી હતી. તે પરિપૂર્ણ પાંચે ઈન્દ્રિયોવાળી યાવતું સુંદર રૂપવાળી હતી. જિતશત્ર રાજાનો પુત્ર અને ધારિણી દેવીનો આત્મજ અદીનશત્ર કુમાર યુવરાજ હતો. સુબુદ્ધિમંત્રી હતો. તે યાવતું રાજ્યની ધુરાનો ચિતક, શ્રમણોપાસક અને જીવ અજીવ આદિ તત્ત્વોનો જ્ઞાતા હતો. ચંપા નગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં એક ખાઈનું પાણી હતું. તે પાણી ચર્બી. નસો, માંસ, લોહી, અને પરુથી યુક્ત હતું. મૃતક શરીરોથી વ્યાપ્ત હતું. વર્ણથી યાવતું સ્પર્શથી અમનોજ્ઞ હતું. જેમ કોઈ સપનું મૃતક ક્લેવર હોય, ગાયનું કલેવર હોય, યાવતું મરેલ, સડેલ, ગળેલ, કૃમીઓથી વ્યાપ્ત, જીવાતના સમૂહથી ભરેલું હતું. જીવોથી વ્યાપ્ત હતું. અશુચિ, વિકૃત, બિભત્સ બીક લાગે તેવું. દેખાતું હતું. શું તે પાણી એવા સ્વરૂપ વાળું હતું? નહી, તે અર્થ સમર્થ નથી. તે પાણી એનાથી પણ વધારે અમનોજ્ઞ રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળું હતું. જિતશત્રુ રાજા એકવાર કોઈ સમયે સ્નાન કરીને, બકિમી કરીને, યાવત્ અલ્પ પણ બહુમૂલ્યવાનું આભરણોથી શરીરને અલંકૃત કરીને, અનેક રાજા ઈશ્વર યાવતુ સાર્થવાહ આદિની સાથે ભોજનના સમયે સુખદ આસન પર બેસીને, : વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ભોજન કરી રહ્યો હતો, યાવતું ભોજન લઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy