SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૫, ઉદેસો-૪ ૧૦૫ નાવરૂપ કરી-પાણીમાં નાખી તે કુમારશ્રમણ પાણીમાં તરાવે છે એ રીતે તે. રમત રમે છે. હવે એ પ્રકારના બનાવને સ્થવિરોએ જોયો અને જોયા પછી તેઓએ શ્રીમહાવીર પ્રભુને એ પ્રમાણે કહ્યું કેઃ હે દેવાનુપ્રિય ! ભગવાનું અતિમુક્તક નામે કુમારશ્રમણ આપના શિષ્ય છે. તે કેટલા ભવો કર્યો પછી સિદ્ધ થશે યાવત-સર્વ દુઃખોનો નાશ કરશે ? શ્રમણ ભગવંત મહાવીરે તે સ્થવિરોને કહ્યું કે- હે આર્યો ! સ્વભાવે સરળ યાવતુ-વિનયી તે કુમારશ્રમણ આ ભવ પૂરો કરીનેજ સિદ્ધ થશે યાવતુ-સર્વ દુઃખનો નાશ કરશે. માટે હે આર્યો ! તમે તે અતિમુક્તક કુમારશ્રમણને હીલો નહીં, નિંદો નહીં, ખિંસો નહીં, વગોવો નહીં અને તેનું અપમાન પણ કરો નહીં. કિંતુ હે દેવાનુપ્રિયો ! તમે ગ્લાનિ રાખ્યા સિવાય તે કુમારશ્રમણને સાચવો, તેને સહાય કરો અને તેની સેવા કરો. (કારણ કે, તે અતિમુક્ત કુમારશ્રમણ સર્વ દુઃખોનો નાશ કરનારા છે અને આ છેલ્લા શરીરવાળો છે. શ્રમણ ભગવંત મહાવીરે તે સ્થવિરોને પૂર્વ પ્રમાણે કહ્યા પછી તે સ્થવિરોએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન કર્યું અને નમન કર્યું અને પછી તે સ્થવિરોએ શ્રી મહાવીરની આજ્ઞા પ્રમાણે તે અતિમુક્તક કુમારશ્રમણને વિના ગ્લાનિએ સાચવ્યા યાવત્-સેવા કરી. [૨૨] તે કાલે, તે સમયે મહાશુક્ર નામના દેવલોકથી મહાસર્ગ (નામના મોટા વિમાનથી મોટી ઋદ્ધિવાળા યાવતુ-મોટા ભાગ્યવાળા બે દેવો શ્રમણ ભગવંત મહાવીરની પાસે પ્રાદુર્ભત થયા તે દેવોએ શ્રમણ ભગવંત મહાવીરને મનથીજ વંદન અને નમન કર્યું તથા મનથીજ આ પ્રકારના પ્રશ્નો પૂછ્યા - હે ભગવન્! આપ દેવાનુપ્રિયના કેટલા શિષ્યો સિદ્ધ થશે યાવતુ-સર્વ દુઃખનો અંત આણશે ? ત્યારપછી-શ્રમણ ભગવંત. મહાવીરે પણ તે દેવોને તેઓના સવાલના જવાબો મનથીજ આપ્યા :- હે દેવાનુપ્રિયો ! મારા સાતસમેં શિષ્યો સિદ્ધ થશે યાવતુ-સર્વ દુઃખોનો નાશ કરશે. એ રીતે મનથી પૂછાએલ એવા શ્રમણ ભગવંત મહાવીરે તે દેવોને તેઓના સવાલના જવાબો મનથીજ આપ્યા તેથી તે દેવો હર્ષવાળા, તોષવાળા અને યાવતુ-તલ્દયવાળા થઈ ગયા, અને તેઓએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન કર્યું, નમન કર્યું અને મનથીજ પર્યાપાસના કરવાની ઈચ્છાવાળા, યાવતુ-સન્મુખ થઈને પર્યાપાસના કરવા લાગ્યા. તે કાલે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઇંદ્રભૂતિ નામના અનગાર યાવતુ-શ્રીમહાવીરની પાસે ઉભડક બેસીને યાવતુ-વિહરે-રહે છે. પછી ધ્યાનાંતરિકામાં-ધ્યાનની સમાપ્તિમાં વર્તતા તે ભગવાનનું ગૌતમ ઇન્દ્રભૂતિ-ને આ પ્રકારનો સંકલ્પ યાવતુ-ઉત્પન્ન થયોઃ- “મોટી ઋદ્ધિવાળા યાવતુ-મોટા પ્રભાવળાળા બે દેવો શ્રમણ ભગવંત મહાવીરની પાસે પ્રાદુર્ભત થયા હતા. તો હું તે દેવોને જાણતો નથી કે, તેઓ કયા કલ્પથી, કયા સ્વર્ગથી અને કયા વિમાનથી શા કારણે શીધ્ર અહીં આવ્યા? માટે જાઉં ભગવંત મહાવીરને વાંદું, નમું, અને યાવતુ તેઓની પર્યાપાસના કરું તથા એમ કર્યા પછી હું મારા પૂર્વ પ્રકારના આ પ્રશ્નો પૂછીશ” એમ વિચારીને, ઉભા થઈને જે તરફ શ્રમણ ભગવંત મહાવીર છે તે તરફ જઇને યાવતુ-તેઓની સેવા કરે છે. હવે શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમાદિ સાધુઓ !” એમ સંબોધી ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું કે-હે ગૌતમ! જ્યારે તે ધ્યાનની સમાપ્તિ કરી લીધી ત્યારે તારા મનમાં આ પ્રકારનો સંકલ્પ થયો હતો કે હું દેવો સંબંધી હકીકત જાણવા માટે શ્રમણ ભગવંત મહાવીર પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy