SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૨ બહાર નીકળી આવી છે. કણથી ભરાઇ ગઈ છે વગર્ નિર્દોષ ભાષા બોલે. [૪૭૩] સાધુ અને સાધ્વીને વિવિધ પ્રકારના શબ્દો સંભળાય છે. તો પણ તે તેના વિષયમાં એમ ન કહે-આ માંગલિક છે, આ અમાંગલિક છે, એ ભાષા સાવધ છે યાવત્ સાધુ ન બોલે. સાધુ-સાધ્વી વિવિધ પ્રકારના શબ્દ સાંભળી સુશબ્દને સુશબ્દ અને ખરાબ ને ખરાબ શબ્દ કહે. આ નિર્દોષ ભાષા છે. સાધુ યાવત્ વિચારી-વિચારીને નિર્દોષ ભાષા બોલે. આ પ્રકારના રૂપો દેખી કૃષ્ણ આદિ જેવા હોય તેવા કહે, ગંધ સૂંઘવામાં આવે તો સુગંધ કે દુર્ગંધ જેવી હોય તેવી કહે, ૨સ ચાખવામાં આવે તો તીખો આદિ જેવો હોય તેવો કહે. સ્પર્શ અનુભવમાં આવે તો કર્કશ આદિ જેવો હોય તેવો કહે. તાત્પર્ય એ છે કે રૂપાદિના વિષયમાં રાગ-દ્વેષની બુદ્ધિથી ભાષાનો પ્રયોગ ન કરે, જ્યારે બોલવાની આવશ્યકતા હોય ત્યારે વસ્તુ સ્વરૂપ બતાવવા માટે યથાર્થ રૂપથી બોલે આયારો - ૨/૪/૨૪૭૩ [૪૪] સાધુ કે સાધ્વી ક્રોધ, માન, માયા, અને લોભનો ત્યાગ કરી, વિચાર કરી નિશ્ચયપૂર્વક જેવું સાંભળ્યું તેવું ઉતાવળ કર્યા વગર યતના સહિત નિર્દોષ ભાષા બોલે. આ સાધુ અને સાધ્વીના ભાષા સંબંધી આચાર છે. મુમુક્ષુ મુનિ પૂર્ણ રૂપથી એમનું પાલન કરી સંયમમાં યત્નશીલ રહે. એમ હું કહું છું. અધ્યયનઃ ૪-ઉદ્દેસો-૨ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયનઃ ૪ની ગુર્જરછાયા પૂર્ણ અધ્યયનઃ ૫- વૌષણા -: ઉદ્દેસો-૧ઃ— [૪૭૫] સાધુ-સાધ્વીને વસ્ત્ર ગ્રહણ કરવાની અભિલાષા હોય તો ઉનમાંથી બનેલા વસ્ત્ર, વિકલેન્દ્રિય જીવોના શરીરના તારથી વણાયેલ રેશમાદિ વસ્ત્ર, શણથી બનેલ વસ્ત્ર, તાડ આદિના પાંદડાથી બનેલ વસ્ત્ર, કપાસ તથા આકોલિયાના સૂતરથી બનેલું આ કે એવા અન્ય જાતના બનેલા વસ્ત્રો મુનિ ગ્રહણ કરી શકે. જો સાધુ યુવાન હોય, યુગવાન્ (ચતુર્થકાળમાં જન્મેલ) હોય, બળવાન્ હોય, નીરોગી હોય, દૃઢ શરીરવાળો હોય, તો તેણે એકજ વસ્ત્ર ગ્રહણ કરવું જોઇએ. બીજું ગ્રહણ ન કરે. પરંતુ સાધ્વી ચાર સંઘાટી [સાડી] લઇ શકે. તેમાંની એક બે હાથ પહોળી, બે ત્રણ-ત્રણ હાથ પહોળી અને એક ચાર હાથ પહોળી. એ પ્રમાણે વસ્ત્રની પહોળાઇ ન મળે તો ગ્રહણ કર્યા પછી સીવી લે. [૪૭૬] સાધુ કે સાધ્વી વસ્ત્રની યાચક માટે અર્ધયોજન ઉપરાંત જાય નહીં. [૪૭૭] સંયમી-સાધુ-સાધ્વીને એમ જણાવવામાં આવે કે આ વસ્ત્ર એક સાધર્મિકના નિમિત્તે પ્રાણીઓ ભૂતો, જીવો અને સત્વોની હિંસા કરી બનાવ્યું છે તો તે ગ્રહણ ન કરે. બાકી પિંડૈષણા અધ્યયનમાં કહ્યા મુજબ અહિયા પણ સમજી લેવું. આવી જ રીતે ઘણા સાધર્મિઓ માટે, તેમ જ એક સાધ્વી અને અનેક સાધ્વીઓ માટે તૈયાર કરાવેલા વસ્ત્રો ગ્રહણ કરવા યોગ્ય નથી. તથા ઘણા શ્રમણો બ્રાહ્મણો આદિ માટે બનાવેલા વસ્ત્રો પણ ન લેવાય. આ બધી વિધિ આહારની વિધિ અનુસાર સમજી લેવી. [૪૭૮] સાધુ-સાધ્વી એમ જાણે કે આ વસ્ત્ર ગૃહસ્થે સાધુ માટે ખરીદેલ, ધોયેલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy