SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ આયારો – ૨/૧/૧૧/૩૯૭ શેષ પાનૈષણા પિંડૈષણાની જેમ જાણી લેવી. [૩૯૭]આ સાત પિંડૈષણાઓ અને પાનૈષણાઓમાંથી કોઈપણ એક પ્રતિમાને ધારણ કરનાર મુનિ એવું ન કહે કે બીજા સાધુઓ સમ્યક્ પ્રકારથી પ્રતિમા વહન કરતા નથી. હું એકલો જ શુદ્ધ પ્રતિમાને વહન કરું છું. તેણે એમ બોલવું જોઈએ આ સર્વ સાધુઓ જિનાજ્ઞા પ્રમાણે વિચરે છે. તે સર્વ જિનાજ્ઞામાં ઉદ્યત થતા પરસ્પર સમાધિ ઉત્પન્ન કરીને વિચરી રહ્યા છે. અધ્યયનઃ ૧-ઉદ્દેસો-૧૧– ની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયાપૂર્ણ અધ્યયનઃ ૧- ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન : ૨ એષણા ઃ-ઉદ્યો-૧ઃ [૩૯૮]સાધુ કે સાધ્વી ગ્રામ નગર યાવત્ રાજધાનીમાં પ્રવેશ કરી ત્યાં રહેવાની ઈચ્છા હોવાથી ઉપાશ્રય ગવેષણા કરે. જે ઉપાશ્રય, ઈંડા કે કીડી, મકોડા વગેરેથી યુક્ત હોય તેમાં ન રહે, શય્યા કે સ્વાધ્યાયાદિ પણ ન કરે. સાધુ કે સાધ્વી જે ઉપાશ્રયને ઈંડા યાવત્ જીવ જંતુઓ થી રહિત જાણે તેનું સારી રીતે પ્રતિલેખન-પ્રમાર્જન કરી વસે, બેસે શય્યા પાથરે અને સ્વાધ્યાયાદિ કરે. સાધુ કે સાધ્વી જે ઉપાશ્રય વિષે એમ જાણે કે આ સ્થાન કોઈ એક સાધુના નિમિત્તે ગૃહસ્થે પ્રાણીઓ, ભૂતો, જીવો, સત્ત્વોનો આરંભ કરી બનાવેલ છે, ખરીદેલ છે, ઉધાર લીધેલ છે. બળજબરીથી છિનવી લીધેલ છે અથવા તેના માલિકની આજ્ઞા વિના પ્રાપ્ત કરેલ છે, સામે લાવેલ છે, આવા પ્રકારનો ઉપાશ્રય કદાચ તેના માલિકે બીજાને સોપી દીધેલ હોય તે વ્યક્તિએ તેનું સેવન હજું કરેલ ન હોય તો તે દૂષિત છે, માટે તેમાં રહેવું કે સ્વાધ્યાયાદિ કરવા કલ્પે નહી. એવી જ રીતે ઘણા સાધ્વીઓ માટે તેમજ એક સાધ્વી માટે અથવા ઘણા સાધ્વીઓ માટે બનાવેલ, ખરીદેલ વગેરે હોય તો તેણે તેમાં રહેવું, શય્યા કરવી કે સ્વાધ્યાયાદિ કાર્યો કરવાં યોગ્ય નથી. સાધુ કે સાધ્વી ઉપાશ્રય વિષે એમ જાણે કે આ ઉપાશ્રય ઘણા તીર્થિઓ કે દરિદ્રો વગેરેને ગણી-ગણીને, તેઓના નિમિત્તે પ્રાણી ભૂતાદિનો આરંભ-સમારંભ કરીને બનાવેલ છે, તે પણ અકલ્પનીય છે. તેમાં સ્વાધ્યાયાદિ કાર્યો ન કરે. સાધુ-સાધ્વી ઉપાશ્રયના વિષયમાં એવું જાણે કે આ ઘણા શ્રમણાદિ ને ઉદ્દેશીને પ્રાણી-ભૂતાદિ નો સમારંભ કરીને બનાવેલ છે, અને જે ગૃહસ્થ આપી રહ્યો છે, તે ગૃહસ્થને હજુ ઉપાશ્રયના માલિકે સુપ્રત કરેલ નથી, તો તે સ્થાન રહેવા યોગ્ય નથી. તેથી ત્યાં વાસ સ્વાધ્યાયાદિ કરે નહીં. વળી જો સાધુ એમ સમજે કે આ ઉપાશ્રય બીજા લોકોએ કામમાં લઈ લીધેલ છે તો (સ્વામીની આજ્ઞા પ્રાપ્ત કરી) સારી રીતે પ્રતિલેખન-પ્રમાર્જન ન કરી ઉપયોગમાં લે, તેમ જ યતનાપૂર્વક સ્વાધ્યાયાદિ ક્રિયાઓ કરે. સાધુ કે સાધ્વી એમ સમજે કે આ ઉપાશ્રય કોઈ ગૃહસ્થે ભિક્ષુના નિમિત્તે બનાવેલ છે. પાટિયાની દીવાલથી અથવા વાંસની ખપાટીથી બનાવેલ છે, દર્ભ આદિથી છજાવેલ છે, ગોબરથી લીંપેલ છે, ચૂના આદિ લગાવીને ઠીક કરેલ છે, ભીંત આદિ ઘસીને સ્વચ્છ કરેલ છે, અને એ પ્રકારનો સાફ સુથરા અને મરામત કરેલ ઉપાશ્રય સ્વામી દ્વારા કામમાં લીધેલ ન હોય તો સેવન કરવા યોગ્ય નથી. તેમાં સ્થિતિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy