SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ આયારો- ૨/૧/પ૩૩ કરે છે. તેથી સાધુ એવું ન કરે. પરંતુ તે સંમિલિત આહાર લઈને જ્યાં શ્રમણ આદિ સ્થિત છે, ત્યાં જાય અને કહે કે આયુષ્યનું શ્રમણો! આ અશનાદિ બધાને માટે મળેલ છે. એનો ઉપયોગ કરો. બીજા શ્રમણાદિ એમ કહેવાવાળા સાધુને કહે કે હે આયુષ્યનું શ્રમણ ! તમે જ આ અશનાદિનો વિભાગ કરી દ્યો ત્યારે તે સાધુ ભોજનનો વિભાગ કરતી વેળાએ પોતાને માટે સ્વાદિષ્ટ પકવાન, ઉત્તમ ભાજી, સરસ ભોજન મનોજ્ઞ સ્નિગ્ધ પદાર્થ અથવા ફિક્કા ભોજન ગ્રહણ ન કરે, તે સાધુ મૂચ્છભિાવ ન રાખતો થકો, આસક્તિનો ત્યાગ કરી, અમૃદ્ધ થઈને અને લોલુપતા ધારણ ન કરતાં પૂર્ણ સમભાવથી વિભાગ કરે. વિભાગ કરતાં બીજા શ્રમણ આદિ કદાચિતું કહે કે- આયુષ્યનું શ્રમણ ! તમે એનો વિભાગ ન કરો. આપણે બધા એક જ જગ્યા પર બેસીને સાથે ખાઇએ-પીએ. એવી રીતે સાથે બેસીને ભોજન કરતી વેળાએ પણ પોતે સ્વાદિષ્ટ પકવાન યાવતુ ફીક્કા આદિ ભોજન શીધ્ર ખાઈ ન જાય પરંતુ મૂચ્છ, આસક્તિ, ગૃદ્ધિ તથા લોલુપતાનો ત્યાગ કરતા સમભાવથી યોગ્ય ભાગ જ ખાય-પીએ. [૩૪] સાધુ અથવા સાધ્વી એમ જાણે કે કોઈ બીજો શ્રમણ, બ્રાહ્મણ કે યાચક કે અતિથિ પૂર્વે ગૃહસ્થના ઘરમાં પ્રવેશેલો છે. તો તેનાથી આગળ જઈને તેણે ઘરમાં દાખલ થવું નહિ, તેમ પાછળ રહીને પણ બોલવું જોઈએ નહિ. તેણે તો પોતાના પાત્ર લઈને એકાંત સ્થાનમાં જઈ દ્રષ્ટિપથથી બહાર ઊભા રહેવું. હવે જો એમ જાણે કે તેને ના પાડવામાં આવી કે ભિક્ષા અપાઈ ગઈ છે તો તેના પાછા ફરી જતા પછી જ યતના સહિત તેણે પ્રવેશવું કે બોલવું. આ ખરેખર સાધુ-સાધ્વી માટે ક્રિયાવિધિ છે. એમ હું કહું છું. | અધ્યયનઃ૧-ઉદેસો પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયનઃ૧-ઉદેસો દ) [૩૬૫] સાધુ અને સાધ્વી ગોચરીએ જતાં ઘણાં જ પ્રાણીઓને આહારની શોધમાં ભૂમિ પર એકત્રિત થયેલાં દેખે, જેમકે કુકડાની જાતિના અથતુ દ્વિપદ, અને શૂકરજાતિય અથતુ ચતુષ્પદ, અથવા અગ્રપિંડ માટે કાગડા આદિ નીચે એકત્રિત થયેલા સામે દેખીને, બીજો માર્ગ હોય તો બીજા માર્ગથી જયતનાપૂર્વક જાય. તેઓને ભય અને અંતરાય ઉત્પન્ન કરવા વાળા તે સીધા માર્ગે ન જાય. [૩૬] ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં ગયેલા સાધુ અથવા સાધ્વીએ ગૃહસ્થના ઘરના બારસાખનો વારંવાર સહારો લઈને ઊભા રહેવું નહિ. ગૃહસ્થના ઘરના પાણી ફેંકવાના ભાગ પર કે આચમન સ્થાન પર અથવા ગૃહસ્થના ઘરના સ્નાનના કે શૌચ જવાના સ્થાન પર કે ત્યાંથી નીકળવાના માર્ગ પર ઊભા રહેવું નહિ, વળી ગૃહસ્થના ઘરની નારીઓને, કોઈ સમારેલ ભાગને, ચોરે પાડેલ ખાતરને, જલગૃહને, હાથ ફેલાવીને આંગળીથી –ચીંધીને, પોતે નીચે નમીને કે ઊંચું મુખ કરીને મુનિએ અવલોકવા નહિ. વળી ગૃહસ્થની પાસે તેના પ્રત્યે આંગળી ચીંધીને યાચવું નહિ. આંગળીથી તેને ધમકાવીને યાચવું નહિ, તેના શરીરને આંગળીથી સ્પર્શ કરીને કે ગૃહસ્થની પ્રશંસા કરીને યાચવું નહિ. કદાચિતું ગૃહસ્થ ન આપે તો કઠોર વચન કહેવા નહિ. [૩૬૭] ભિક્ષા માટે ગયેલા સાધુ અથવા સાધ્વી ગૃહસ્વામીને, તેની પત્નીને, પુત્રને, પુત્રીને પુત્રવધૂને દાસ-દાસીને, કર્મચારીને, યાવત્ કર્મચારિણીને, ભોજન કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy