SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ દo. આયારો- ૨/૧૪૩પ૭ રાગની ચિંતા માટે અવકાશ છે. એવું જાણીને અપવાદરૂપમાં પૂર્વ સંખડી જમણવારી] અથવા પશ્ચાત્ સંખડીમાં, જમણવારીના વિચારથી જવાનું વિચારે. ૩િપ૭] સાધુ અથવા સાધ્વી આહાર-પાણી માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે પરંતું દુઝણી ગાયો દોહાઈ રહી હોય, અશનાદિને રાંધવાની ક્રિયા ચાલુ હોય, અથવા પહેલા આવેલાને દેવાઈ ગયું નથી, એમ દેખીને ગૃહસ્થના ઘરમાં આહાર -પાણી માટે પ્રવેશ ન કરે. ગૃહસ્થના ઘેર સાધુ કદાચિત્ પહોંચી ગયા હોય તો ઉપર કહેલા કારણોમાંથી કોઈ પણ કારણ દેખીને એકાંતમાં ચાલ્યા જાય, જ્યાં આવાગમન ન હોય અને કોઈ દેખી ન શકે, એવા સ્થાનમાં ઉભા રહે. અને જ્યારે જુએ કે દુઝણી ગાયો દોહાઈ ગઈ છે, ભોજન રંધાઈ ગયું છે, ત્યારે યતનાપૂર્વક આહાર-પાણી માટે પ્રવેશ કરે. [૩પ૮] સ્થિરવાસ કરવાવાળા અથવા માસિકલ્પથી વિચરવાવાળા કોઈ મુનિ, નવા આવવાવાળા મુનિઓને કહે કે આ ગામ નાનું સરખું છે અને એમાં પણ કેટલાક ઘર પ્રસૂતી આદિ કારણોથી રોકાયેલા છે. આ ગામ મોટું નથી, એટલા માટે હે પૂજ્ય મુનિવરો ! આપ ગામથી બહાર કોઈ બીજા ગામમાં ગોચરી માટે પધારો. એમ સાંભળી ને નવા આવેલા મુનિઓએ બીજ ગામમાં ગોચરી માટે જવું જોઈએ. તે ગામમાં કોઈ સાધુના માતા-પિતા આદિ પૂર્વ સંબંધી અથવા સસરાદિ પશ્ચાતુ સંબંધી નિવાસ કરતા હોય, જેમકે :- ગૃહસ્થ, ગૃહસ્થપત્ની, પુત્ર, પુત્રી, ગૃહસ્થની પુત્રવધૂ, ધાત્રીમાતા, દાસ, દાસી, કર્મચારી, કર્મચારિણીઓ વગેર, તેથી કોઈ સાધુ એવો વિચાર કરે કે પહેલા તેઓના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરીશ તો મને અન્ન, રસમય પદાર્થ, દૂધ, દહીં, માખણ, ઘી, ગોળ, તેલ, મધ, માંસ, પૂરી, રાબ, પૌવા, શ્રીખંડ વગેરે ઉત્તમ ભોજન મળશે. તે ઉત્તમ ભોજન લાવી ખાઈ-પીને પાત્ર સાફ કરી લઇશ. ત્યાર પછી બીજા સાધુઓ સાથે આહાર-પાણી માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીશ અથવા પ્રવેશ માટે નીકળીશ. આવો વિચાર કરતા સાધુ માતૃસ્થાનનો સ્પર્શ કરે છે. સંયમમાં દોષ લગાડે છે. એમ કેવળી ભગવાન ફરમાવે છે. માટે આવો વિચાર પણ કરવો ન જોઈએ. પરંતુ બીજા સાધુઓ સાથે ભિક્ષાના સમયે ગૃહસ્થના ઘરોમાં પ્રવેશ કરી અનેક ઘરોમાંથી શુદ્ધિ-પૂર્વક નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરી આહાર કરવો જોઇએ. સાધુ અને સાધ્વીનો આજ આહાર ગ્રહણ કરવાનો આચાર છે. અધ્યયનઃ ૧- ઉદેસોઃ ૪ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ( અધ્યયનઃ ૧-ઉદેસોઃ૫ ) [૩પ૯] કોઈ સાધુ અથવા સાધ્વી આહાર માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશીને આ અગ્રપિંડ કાઢતાં દેખીને, અગ્રપિંડ બીજા સ્થાને રાખતા દેખીને, અગ્રપિંડ ફેંકી દેતાં દેખીને અથવા બીજા લોકોએ પહેલા જમી લીધુ છે અથવા અન્ય તીર્થિક શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દરિદ્ર અને ભિખારી તેને ખાઈને જલદી ફરીવાર લેવા જઈ રહ્યા છે, એમ દેખીને કોઇ સાધુ એમ વિચારે કે તે ભોજનને લેવા માટે હું પણ જલ્દી-જલદી જાઉં, તો એવો વિચાર કરનાર સાધુ માતૃસ્થાનનો સ્પર્શ કરે છે. એથી એવું કરવું ન જોઈએ. [૩૦] સાધુ અથવા સાધ્વી અશનાદિ માટે મોહલ્લામાં, ગલીમાં, અથવા પ્રામાદિમાં પ્રવેશ કરતાં વચ્ચે માર્ગમાં ટેકરાઓ, ખાઈ, કે બાંધેલ ગઢની દીવાલો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy