SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ અધ્યયનઃ ૧-ઉદ્દેસોઃ ૩ [૩૪૮] સાધુ કદાચિત કોઇ પ્રકારની જમણવારીમાં જાય અધિક જમે, અથવા પીવે તો તેનાથી તે સાધુને દસ્ત યા વમન થાય. ભોજનનું બરાબર પરિણમન થાય નહિ. તો વિશુચિકા આદિ કોઈ પણ દુઃખ અથવા શૂલાદિ આતંક ઉત્પન્ન થઇ જાય. માટે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે, કે જમણવારીમાં જવું તે કર્મના આશ્રવનું કારણ છે. [૩૪૯] જમણવારીમાં જવાથી દુર્ગતિગમન આદિ પારલૌકિક અનર્થ તો છે જ પણ સાધુ ઘણા-ગૃહસ્થો અથવા ગૃહસ્થ સ્ત્રીઓ, પરિવ્રાજકો અથવા પરિવ્રાજિકાઓની સાથે એક સ્થાન પર મળશે. અને ગરિષ્ઠ આહારને પચાવવા માટે કદાચિત્ મદ્યપાન પણ ક૨શે. મદ્યપાન કરવાથી બેભાન થઈને પોતાના ઉપાશ્રયને શોધશે પણ તે મળશે નહિ, તેથી ફરી પાછો ત્યાં જ આવી ગૃહસ્થ આદિની સાથે હળી મળી રહેશે. મઘના નશામાં બેહોશ હોવાને કારણે તે સાધુ અથવા તો ગૃહસ્થ આદિને પોતાનો ખ્યાલ નહિ રહે, તેથી તે સ્ત્રી અથવા નપુંસક પર આસક્ત થઈ જાય, અથવા સ્ત્રી-નપુંસક તેના ઉપર આસક્ત થઈ જાય અને સાધુની પાસે આવીને કહેશે - હે આયુષ્મન્ શ્રમણ ! આપણે કોઈ પણ બગીચામાં અથવા ઉપાશ્રયમાં રાત્રે અથવા સંધ્યા સમયે રહીશું અને ત્યાં ભોગ ભોગવશે. એમ તે સાધુને ભોગ ભોગવવા માટે પ્રતિજ્ઞાબદ્ધ કરી લેશે. તે એકલો સાધુ તેની ભોગપ્રાર્થનાનો સ્વીકાર કરી લેશે. આ બધું સાધુને માટે અકર્તવ્ય કર્મ છે, તેથી સાધુને જમણવારમાં ન જવું જોઇએ. ત્યાં જવાથી કર્મનો બંધ તથા અનેક હાનિઓ થાય છે. તેથી સંયમવાનું નિગ્રંથ મુનિ પૂર્વજમણવારી અથવા પશ્ચાત્ જમણવારીમાં જવાનો વિચાર પણ ન કરે. આયારો – ૨/૧/૩/૩૪૮ [૫૦] સાધુ અથવા સાધ્વી કોઈ પ્રકારની જમણવાર સાંભળીને તે વાત લક્ષમાંરાખી ઉત્કંઠિત ચિત્તવાળો થઇને તે તરફ દોડશે અને વિચારશે કે ત્યાં તો નક્કી “જમણવાર છે,” તે ત્યાં જઇને ઉદ્દગમ અને ઉત્પાદના આદિ દોષોથી રહિત, ભિન્ન ભિન્ન કુલોમાંથી સામુદાયિક ભિક્ષા લાવીને આહાર કરવાનો પરિશ્રમ નહીં કરે, પરંતુ ત્યાંથી જ સદોષ આહાર લાવીને કરશે. તે સાધુ માતૃસ્થાન (માયા)નો સ્પર્શ કરશે, એટલા માટે જમણવારમાં જવું ન જોઇએ. પરંતુ ભિક્ષાના સમયપર ઘણા ઘરોથી ઉદ્ગમ ઉત્પાદના આદિ દોષોથી રહિત-નિર્દોષ ભિક્ષા લાવીને આહાર કરવો જોઈએ. [૫૧] સાધુ અથવા સાધ્વી એમ જાણે કે આ ગ્રામ યાવત્ રાજધાનીમાં જમણવાર થશે તો તે ગ્રામ યાવત્ નગરમાં જમણવારના વિચારથી જવાની ઈચ્છા પણ ન કરે. કેવળી ભગવાનને ફરમાવ્યું છે કે એમ કરવાથી કર્મનું બંધન થાય છે. અગર તે જમણવારમાં ઘણી ભીડ થશે અથવા થોડા માટે ભોજન બનાવવા પર ઘણા લોકો પહોંચી જશે તો ત્યાં સાધુના પગથી બીજાના પગ અથવા બીજાના પગથી સાધુના પગ કચડાઇ જશે. એવી જ રીતે હાથથી હાથની ઠોકર લાગશે, પાત્રની ઠોકરથી પાત્ર પડી જશે, માથા સાથે માથું ભટકાઈ પડે, કાયાથી કાયાને વિક્ષોભ ઉત્પન્ન થાય અને બીજા લોકો કુપિત થઇ તે સાધુને દંડથી, હાડકાથી, મુઠીથી, ઢેફાથી, ઠીકરાથી. પ્રહાર પણ કરે અથવા સચિત્ત પાણી પણ તેના પર છાંટી દે, અથવા ધૂળથી તેને ભરી દે. વળી તેને અનેષણીય જમવું પડે. વળી બીજાને દેવાનું લેવું પડે. તેથી તે સંયમી નિગ્રંથ તે પ્રકારની આકીર્ણ અને અવમ એવી જમણવારીમાં જવાનો વિચાર જ ન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy