SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પદ આયારો- ૨/૧/૨/૩૪૧ ઓ. દરિદ્રો અથવા ભિખારીઓ, આદિ માટે, તેઓને ગણી-ગણીને, સંખ્યા નિશ્ચિત કરીને, પ્રાણી, ભૂત જીવો, અને સત્ત્વોનો આરંભ-સમારંભ કરીને નિપજાવ્યો છે તો એવો આહાર તેઓએ ગૃહસ્થીઓએ) ભોગવી લીધો હોય અથવા ન ભોગવ્યો હોય તો પણ તે (આહાર) ને અપ્રાસુક અને અનેષણિક માનીને મળવાં છતાં પણ ગ્રહણ કરે ૩િ૪રી સાધુ અથવા સાધ્વી આહારની ઇચ્છાથી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે અને જે આહારના વિષયમાં એમ જાણે કે આ આહાર ઘણા શ્રમણો, બ્રાહ્મણ, અતિથિઓ, દરિદ્રો, અને ભિખારીઓને ઉદ્દેશીને બનાવેલ છે. તે અશન આદિ બીજા પુરૂષને સુપ્રત કરેલ ન હોય, ઘરથી બહાર કાઢ્યું ન હોય, પોતાની નિશ્રામાં લીધો ન હોય. ભોગવ્યું, ન હોય, સેવન કર્યું ન હોય તો તેવું અશન અપ્રાસુક અનેષણિક છે એમ માનીને ગ્રહણ ન કરે. જે સાધુ અથવા સાધ્વી એમ જાણે કે આ આહાર પુરૂષાન્તરકત -અન્યપુરૂષને સુપ્રત કરી દીધેલ છે, તેને બહાર લાવવામાં આવેલ છે દાતાએ સ્વીકાર્યો છે. પોતે વાપર્યો છે, ભોગવ્યો છે, તો તે આહારને પ્રાસુક અને નિર્દોષ જાણી ગ્રહણ કરે. ૩૪૩ સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહાર ગ્રહણ કરવાની અભિલાશાથી પ્રવેશીને, એમ જાણે કે આ ઘરોમાં સદાવ્રત દેવાય છે, પ્રારંભમાં અગ્રપિંડ કાઢવામાં આવે છે, કોઇ નિયત ભાગનું દાન દેવાય છે, થોડો ઓછો અદ્ધ ભાગ દેવાય છે, એવા નિત્ય દાનવાળા ઘરોમાં ઘણા ભિક્ષુઓ આવે છે, તેથી તેવા ઘરોમાં પ્રવેશ કરવો કે નીકળવું નહિ. આ ખરેખર સાધુ અને સાધ્વીઓનો આચાર છે કે તે બધી વસ્તુઓમાં સમભાવયુક્ત જ્ઞાન-દર્શન ચારિત્રની રક્ષા કરતા થકા હંમેશાં સંયમમાં પરાક્રમ કરે. એમ હું કહું છું. | અધ્યયનઃ ૧-ઉદેસો ૧નીમુનિદીપરતનસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૧-ઉદેસઃ૨ ૩િ૪૪] ભિક્ષુ અથવા ભિક્ષણી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે અને એમ જાણે કે આ આહારાદિ આઠમના પૌષધના પારણક સંબંધી ઉત્સવ,પાક્ષિકદ્વિ-માસિક, ત્રિમાસિક, ચાતુમિિસક, ઉપવાસ, પંચમાસિક, છમાસિક ઉપવાસના પાર- ણક સંબંધી ઉત્સવ નિમિત્તે છે અથવા ઋતુ સંબંધી, ઋતુના પરિવર્તન સંબંધી ઉત્સવ માટે બનાવેલ છેઅને શાક્યાદિ શ્રમણો, બાહ્મણો, અતિથિઓ, રકપરૂષો. અને યાચકો ને એક વાસણ માંથી અથવા બે, ત્રણ કે ચાર એમ અનેક વાસણોમાંથી કાઢીને અપાય છે ઘડાના મુખમાંથી કે ગોરસ વગેરેની ગોળીમાંથી નજીક એકઠી કરેલ આહાર-સામગ્રીમાંથી આપવામાં આવી રહેલ છે. તેવા પ્રકારના ભોજન વગેરે ગૃહસ્થ પોતે બનાવી ને હજુ વાપરેલ ન હોય તો સાધુ યા સાધ્વી માટે તે અપ્રાસુક અનેષણિક છે એમ જાણીને ગ્રહણ કરવું ન જોઈએ. વળી એમ જાણે કે આ આહારાદિ પુરુષાન્તરકત છે-અને ગૃહસ્થ વાપરી લીધેલ છે. તો તેને પ્રાસુક એષણિક જાણીને ગ્રહણ કરવો. [૩૪૫] સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશીને જાણે કે આ ઉગ્રકુલ ભોગકુલ, રાજન્યકુલ, ક્ષત્રિયકુલ ઈક્વાકુકુલ, ગોપાલોનું કુળ, વૈશ્યકુલ, ગંડક કુલ નાપિત કુળ) કોટ્ટાગકુળ ગ્રામરક્ષકકુલ બોકકશાળીયકુલ છે, તેમાં તથા એવી જાતના Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy