SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૮૭ ૪૩૧ [૧૮૭] શીતા અને શીતોદા મહાનદીની સમીપ તથા મેરૂપર્વતની સમીપ બધા વક્ષસ્કાર પર્વતો ૫૦૦-૫૦૦ યોજન ઉંચા અને ૫૦૦ કોશ ભૂમિમાં છે. બધા વર્ષધર કૂટપર્વત ૫૦૦-૫૦૦ યોજન ઉંચા છે, તેમના મૂળનો વિષ્ફભ ૫૦૦-૫૦૦ યોજનનો છે. અરિહંત કૌશલિક ૠષભદેવ અને ભરત ચકી પાંચસો ધનુષ્ય ઉંચા હતા. મેરૂપર્વતની સમીપ સૌમનસ, ગંધમાદન, વિદ્યુત્પ્રભ અનેમાલ્ય વંતપર્વતની ઉંચાઈ ૫૦૦-૫૦૦ યોજન ની છે. તથા ૫૦૦ કોશ ભૂમિની અંદર છે. હરિ, હરિસ્સહ કૂટને છોડીને બધા વક્ષસ્કાર પર્વતકૂટો ૫૦જ્યોજન ઉંચા તથા તેમના મૂળનો આયામ-વિખંભ૫૦૦ યોજનનો છે. બલકૂટ પર્વતને છોડીને બધા નંદનકૂટ પર્વતો ૫૦૦ યોજન ઉંચા તથા તેના મૂલનો આ- યામ-વિખંભ ૫૦૦ યોજનનો છે. સૌધર્મ અને ઈશાનમાં વિમાનો ૫૦૦ યોજન ઉંચા છે. [૧૮૮] સનત્કુમાર અને માહેન્દ્ર કલ્પમાં બધા વિમાન છસો યોજન ઉંચા છે. લઘુહિમવંત ફૂટની ઉપરના ચરમાન્તથી લઘુહિમવંત વર્ષધર પર્વતના સમભૂમિ તલનું અવ્યવહિત અંતર છસો યોજનનું છે. એજ પ્રમાણે શિખરી કૂટથી તેના સમતલભૂમિનું અંતર છે. અરિહંત પાર્શ્વનાથની દેવ, મનુષ્ય અને અસુરલોકથી વાદમાં પજિત ન થવાવાળા છસો વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. અભિચંદ કુલકર છસો ધનુષ્ય ઉંચા હતા. અરિહંત વાસુપૂજ્ય છસો પુરૂષો સાથે મુંડિત યાવત્ પ્રવ્રુજિત થયા હતા. [૧૮૯] બ્રહ્મ અને લાંતક કલ્પના બધા વિમાનો સાતસો યોજન ઉંચા છે. શ્રમણ ભગવાન્ મહાવીરના સાતસો શિષ્યો કેવળી અને સાતસો મુનિ વૈક્રિયલબ્ધિસંપન્ન હતા. અરિહંત અરિષ્ટનેમિ થોડા ઓછા સાતસો વર્ષ સુધી કેવલી પર્યાયમાં રહીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા. મહાહિમવંત ફૂટના ઉપરના ચરમાન્તથી માહિમવંત વર્ષધ૨૫ર્વતના સમભૂભાગનું અને ફિકેમકૂટના ઉપરના ચરમાન્તથી રૂકિમ વર્ષધર પર્વતના સમભૂભાગનું અંત૨ ૭૦૦ યોજન છે. [૧૯૦] મહાશુક્ર અને સહસ્રાર આ બે કલ્પોમાં બધા વિમાનો આઠ સો યોજન ઉંચા છે. આ રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ કાંડમાં આઠસો યોજનમાં વ્યંતર દેવોના ભૌમેય વિહારો છે. શ્રમણ ભગવાન્ મહાવીરના અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થવાવાળા કલ્યાણકારી ગતિસ્થિતિ વાળા એવં ભવિષ્યમાં નિર્વાણ પ્રાપ્ત કરવાવાળા અનુત્તરોપપાતિક મુનિઓની સંપદા આઠસોની હતી. આ રત્નપ્રભા પૃથ્વીના અતિસમ રમણીય ભૂભાગથી આઠસો યોજનની ઉંચાઈ પર સૂર્ય ગતિ કરે છે. અરિહન્ન અરિષ્ટનેમિની દેવ, મનુષ્ય અને અસુર લોકોથી વાદમાં પરાજિત ન થવાવાળા આઠસો વાદી મુનિ- ઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. [૧૯૧] આનત, પ્રાણત, આરણ અને અચ્યુત આ ચાર કલ્પોમાં બધા વિમાનો નવસો યોજનના ઉંચા છે. નિષધકૂટની ઉપરના શિખરતળથી નિષધ વર્ષધર પર્વતનો જે સમ ધરણિતલ ભાગ છે તે નવસો યોજન દૂર છે. એજ પ્રમાણે નીલવંત ફૂટના ઉપરના શિખર તલથી નીલવંત વર્ષધર પર્વતના સમ ભૂભાગનું અંતર છે. વિમલવાહન કુલકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy