SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૫૯ સમવાય-૮૦ [૧૫૯] અરિહંત શ્રેયાંસ એંસી ધનુષ્ય ઉંચા હતા. ત્રિપૃષ્ઠ વાસુદેવ એંસી ધનુષ્ય ઉંચા હતા. અચલ બલદેવ એંસી ધનુષ્ય ઉંચા હતા. ત્રિપૃષ્ઠ વાસુદેવ એંસી લાખ વર્ષ સુધી રાજ્યપદ પર રહ્યા. રત્નપ્રભા પૃથ્વીનાં અબહુલકાંડ (જલબહુલકાંડ)ની પહોળાઈ એંસી હજાર યોજનની છે. ઈશાન દેવેન્દ્રની એંસી હજાર સામાનિક દેવો છે. જંબુદ્રીપમાં એકસો એંસી યોજન જતાં (ઉત્તર દિશામાં) સર્વ પ્રથમ આવ્યંતર મંડલમાં સૂર્યોદય થાય છે. સમવાય – ૮૦-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સમવાય-૮૧ ૪૨૫ [૧૬૦] નવ-નવમિકા ભિક્ષુપ્રતિમાની એક્યાસી અહોરાત્રિમાં ચારસો પાંચ આહારની દિત લઇને સૂત્રાનુસાર આરાધના કરાય છે. અરિહંત કુંથુનાથના એક્યાસી સો મનઃ પર્યવજ્ઞાની મુનિ હતા. વિવાહપ્રજ્ઞપ્તિના એક્યાસી મહાયુગ્મ શતક છે. સમવાય – ૮૧ -ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સમવાય-૮૨ [૧૯૬૧] જંબુદ્વીપમાં એક સો બ્યાસી સૂર્યમંડળોમાં સૂર્ય બે વખત ભ્રમણ કરે છેજંબુદ્રીપમાંથી નીકળતા અને પ્રવેશતા સમયે. શ્રમણ ભગવાન્ મહાવીરનું બ્યાસી અહોરાત્રિ પછી એક ગર્ભથી બીજા ગર્ભમાં સંહરણ થયું. મહાહિમવંત વર્ષધર પર્વતની ઉપરના ચરમાન્તથી સૌગંધિક કાંડની નીચેના ચરમાન્તનું અવ્યવહિત અંતર બ્યાસી સો યોજનનું છે. એ જ પ્રમાણે રૂકમી પર્વતના ઉપરી ચરમાન્તથી સૌગંધિક કાંડના નીચેના ચરમાન્તનું અંતર બ્યાસી સો યોજનનું છે. સમવાય - ૮૨ – મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સમવાય-૮૩ [૧૬૨] શ્રમણ ભગવાન્ મહાવીરનું બ્યાસી અહોરાત્રિ વ્યતીત થયા પછી ત્યાસીમી રાત્રિએ દેવાનંદાની કુક્ષિથી ત્રિશલાની કુક્ષિમાં ત્રિશલાની કુક્ષિમાં સંહરણ થયું. અરિહંત શીતલનાથના ત્યાસી ગણ અને ત્યાસી ગણધર હતા. સ્થવિર મંડિતપુત્ર ૮૩ વર્ષની આયુ પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા. અરિહંત કૌશલિક ૠષભદેવ અને ભરત ચક્રવર્તી બંને ત્યાસી લાખ પૂર્વ સુધી ગૃહવાસમાં રહીને જિન થયા યાવત્ સર્વજ્ઞ સર્વદર્શી થયા. સમવાય-૮૩-ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સમવાય-૮૪ [૧૬૩] નારકાવાસ ૮૪- લાખ છે. અરિહંત કૌશલિક ૠષભદેવ ૮૪-લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા. એ જ પ્રમાણે ભરત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy