SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮. આયારો-૧/૨/૧૯૬ કામભોગોના કારણે સંસારમાં ભટકે છે. [૧૯૬] કેટલાંક ભવ્ય પુરુષ, ધર્મને પ્રાપ્ત કરીને પ્રથમથી જ સાવધાન રહે છે. કોઈ પણ પ્રપંચમાં ફસાતા નથી, લીધેલ પ્રતિજ્ઞામાં દ્રઢ થઈ રહે છે. જે સર્વ પ્રકારની આસક્તિને દુઃખમય જાણી તેનાથી દૂર રહે છે, તે જ મહામુનિ છે. મુનિ સર્વ પ્રપંચોને છોડી “મારુ કોઈ નથી અને હું એકલો છું” આ વિચાર કરી પાપક્રિયાથી નિવૃત્તિ થઈ દશ પ્રકારની સમાચારીમાં યતના કરતો દ્રવ્ય અને ભાવથી મુંડિત થઈ સંયમમાં વિચરે. અચલ (અલ્પ વસ્ત્રધારી) થઈ સંયમમાં ઉદ્યત બની, પરિમિત આહાર લઈ તપ કરે. કોઈ પુરુષ સાધુના પહેલા કરેલા નિર્જિત કામો પ્રત્યે લક્ષ્ય કરી અથવા અસભ્ય શબ્દ બોલી, ખોટા આરોપથી નિન્દા કરવા લાગે અથવા પ્રહાર કરે અથવા વાળ ખેંચે ત્યારે મુનિ તેને પોતાના કરેલા કર્મોનું ફળ ઉદયમાં આવ્યું છે એવું જાણી, આવા પ્રતિકૂળ અને અનુકૂળ, મનોહારી અને અનિષ્ટ પરીષહોને સમભાવે સહન કરે છે. [૧૯૭] જે વ્યક્તિ ગૃહવાસને છોડી ફરી તેમાં ફસાતા નથી તે જ સાચા મુનિ કહેવાય છે. હે શિષ્ય ! “આજ્ઞામાં જ મારો ધર્મ છે એ મનુષ્યોને માટે ઉત્તમ વિધાન છે. માટે સાધક, સંયમમાં લીન રહી કમને ખપાવે છે. કર્મના સ્વરૂપને જાણી સાધુ પર્યાય દ્વારા કર્મોને દૂર કરવા પુરુષાર્થ કરે છે. આ જિનશાસનનું અનુસરણ કરનારા કોઈ કોઈ સાધક એકલા વિચારે છે. આવા સાધુ-સંત-પ્રાંત કુળોમાંથી શુદ્ધ એષણા દ્વારા નિર્દોષ આહાર લઈ સંયમનું પાલન કરે છે. આહાર સુગંધિત હોય અથવા તો દુગંધિ હોય, તેને સમાન રૂપે ગ્રહણ કરે છે. એકાકી અવસ્થામાં જંગલી પશુઓ દ્વારા કોઈ ઉપદ્રવ હોય તો તેને ઘેર્યથી સહન કરે છે. એમ હું કહું છું. | અધ્યયન દ-ઉસો નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( અધ્યયનઃ ૬-ઉદસોઃ ૩ ) [૧૯૮] શુદ્ધ ધર્મનું આચરણ કરનાર અને આચારનું પાલન કરનાર મુનિ કર્મના ઉપાદાન વસ્ત્રાદિને ત્યાગ કરે છે. જે મુનિ અચેલ રહે છે તેને એવી ચિંતા હોતી નથી કે મારું વસ્ત્ર જીર્ણ થઈ ગયું છે. હું નવા વસ્ત્રની યાચના કરે, સીવવા માટે દોરા લાવું, સોય લાવું, વસ્ત્ર સાધીશ, સીવીશ, બીજું વસ્ત્ર જોડીશ, આ વસ્ત્રને ઓછું કરીશ, આને પહેરીશ અથવા શરીર ઢાંકીશ. સંયમમાં પરાક્રમ કરનાર વસ્ત્રરહિત મુનિને તૃણસ્પર્શનું દુઃખ પ્રાપ્ત થાય છે, ક્યારેક ઠંડીનું, ક્યારેક ગરમીનું દુઃખ પ્રાપ્ત થાય છે. ક્યારેક ડાંસ, મચ્છરાદિ વિવિધ પ્રતિકૂળ પરિષહ આવે છે તેને વસ્ત્રરહિત સાધક કમની લઘુતાનું કારણ જાણી સહન કરે છે. તે મુનિને તપની પ્રાપ્તિ થાય છે. ભગવાને જે રીતે ફરમાવ્યું છે તેને સત્ય જાણી સર્વ પ્રકારથી અને પૂર્ણ રૂપથી સમ્યકત્વાનુકૂળ જ આચરણ કરવું જોઈએ. આ રીતે પહેલાં કેટલાંક મહાવીર પુરુષોએ લાંબા સમય સુધી, પૂર્વી સુધી, સંયમનું પાલનકરી જે પરિષહો સહન કર્યા છે તેની તરફ તે દ્રષ્ટિ કર! ( [૧૯] જ્ઞાની મુનિઓની ભુજાઓ પાતળી હોય છે. તેના શરીરમાં માંસ અને લોહી અતિ અલ્પ હોય છે. તે રાગદ્વેષ, કષાય રૂપ સંસાર-શ્રેણીનો સમભાવથી વિનાશ કરી, સમદ્રષ્ટિથી તત્ત્વના જ્ઞાતા હોય છે. તેવા મુનિ સંસારથી તરેલા, ભવ-બંધનથી મુક્ત અને પાપકર્મથી નિવૃત્ત કહેવાય છે. એમ હું કહું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy