SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ર-૪૨ ૩૯ રોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ સત્તર પલ્યોપમની છે. સૌધર્મ ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ સત્તર પલ્યોપમની છે. મહાશુક્ર કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે. સહસ્ત્રાર કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ સત્તર સાગરોપમની છે. સામાન, અસામાન, મહાસામાન, પદ્મ, મહાપદ્મ, કુમુદ, મહાકુમુદ, નલિન, મહાનલિન, પૌંડરીક, મહાપૌંડરીક, શુકલ મહાશુકલ, સિંહ, સિહકાન્ત, સિંહ- વીર્ય ભાવિય, આ સત્તર વિમાનોમાં, જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે. દેવો સત્તર પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તે દેવોને સત્તર હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ સત્તર ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય-૧૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૧૮) [૪૩] બ્રહ્મચર્ય અઢાર પ્રકારે છે– ઔદારિક મનુષ્ય તિર્યંચ સંબંધી કામભો ગોનું સ્વયે મનથી સેવન ન કરવું. બીજા પાસે સેવન કરાવવાનો વિચાર ન કરવો. સેવન કરનાર વ્યક્તિની મનમાં પ્રશંસા ન કરવી, ઔદારિક કામભોગોનું વચનોદ્વારા જાતે સેવન ન કરવું, બીજાને સેવન કરવાની પ્રેરણા ન આપણી, સેવન કરનારની વાણીથી પ્રશંસા ન કરવી, ઔદારિક કામભોગોનું શરીરથી સેવન ન કરવું, બીજાને સેવન કરવા માટે પ્રેરવા નહીં સેવન કરનારની શરીરથી અનુમોદના ન કરવી, એ જ પ્રમાણે દેવ સંબંધી એટલે કે વૈક્રિય શરીર સંબંધી કામભોગોનું સ્વયં મનથી સેવન કરવું નહીં, બીજા પાસે મનથી સેવન કરાવવું નહીં, સેવન કરનારને મનથી અનુમોદન આપવું નહિ, વૈક્રિય શરીર સંબંધી કામભોગોનું વચનથી જાતે સેવન કરવું નહીં, બીજા પાસે વાણીથી સેવન કરાવવું નહીં, સેવન કરનાર વ્યક્તિની વાણીથી પ્રશંસા કરવી નહીં, દિવ્ય કામભોગોનું શરીરથી જાતે સેવન કરવું નહીં, બીજાને સેવન કરવા પ્રેરવા નહીં, અને સેવન કરનારને કાયાથી અનુમોદન આપવું નહીં. ૪િ૩-૪૪]અરિહંત અરિષ્ટનેમિની ઉત્કૃષ્ટ શ્રમણસંપદા અઢાર હજાર હતી. શ્રમણ ભગવાનું મહાવીરે બાલ-વૃદ્ધ સમસ્ત શ્રમણોના આચારસ્થાનો અઢાર કહ્યા છે-છ વ્રત નું પાલન, છકાય જીવોની રક્ષા, અકલ્પનીય વસ્ત્ર-પાત્ર આદિનો નિષધ, ગૃહસ્થના ભાજન, પલ્ચક, નિષદ્યા, સ્નાન, અને શરીર શુશ્રષાનો ત્યાગ. [૫]ચૂલિકા સહિત આયારો સૂત્રના પદોનું પ્રમાણ અઢાર હજારનું છે. બ્રાહ્મી લિપિનું લેખવિધાન અઢાર પ્રકારનું કહ્યું છે– બ્રાહ્મી, યાવની, દોષ પુરિકાખરોષ્ટ્રી, ખરસાવિકા,પહારાતિકા, ઉચ્ચ, તરિકા, અક્ષરપૃષ્ટિકા, ભોગવતિકા, વૈનાકિયા નિન્દુવિકા, અંકલિપિ, ગણિતલિપિ, ગંધર્વલિપિ, આદર્શલિપિ, માહેશ્વરીલિપિ, દામલિપિ, બોલિન્દી લિપિ, અસ્તિ-નાસ્તિ પ્રવાદ પૂર્વની અઢાર વસ્તુઓ કહી છે. ધૂમ્રપ્રભા પૃથ્વીનો વિસ્તાર એક લાખ અઢાર હજાર યોજનાનો છે. પોષ અને આષાઢ માસમાં એક દિવસ ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો હોય છે. તેમજ એક રાત્રિ અઢાર મુહૂર્તની હોય છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy