SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ સમવાયસામાન્ય વિવેક્ષાથી મોક્ષ એક છે. જીવરૂપ નૌકામાં ઈન્દ્રિયરૂપ છિદ્રોથી કર્મરૂપ જલનો આગમન આસવ છે, તે સામાન્ય વિવક્ષાથી એક છે. જીવરૂપ નૌકામાં ઈન્દ્રિય-છિદ્રોથી આવતા કર્મરૂપ જલને રોકવું તે સંવર છે, સામાન્ય વિવક્ષાથી તે એક છે. અશુભ કર્મોદય જન્ય માનસિક કાયિક પીડા વેદના છે. તે સામાન્ય વિવેક્ષાથી એક છે. કર્મક્ષયરૂપ નિર્જરા સામાન્યરૂપે એક છે. જબૂદ્વીપ નામના દ્વીપના લંબાઈ તથા પહોળાઈ એક લાખ યોજનાની છે. અપ્રતિષ્ઠાન નામની સાતમી નરકભૂમિના મધ્યમ આવાસની લંબાઈ તથા પહોળાઈ એક લાખ યોજનની છે. સૌધર્મેન્દ્રના આભિયોગિક પાલક દેવ-દ્વારા વિકુર્વિત પાલક - યાન-વિમાનની લંબાઈ તથા પહોળાઈ એક લાખ યોજનાનની છે. સવથિસિદ્ધ વિમાનની લંબાઈ તથા પહોળાઈ એક લાખ યોજનની છે. આદ્રા નક્ષત્રનો એક તારો છે. ચિત્રા. નક્ષત્રનો એક તારો છે. સ્વાતિ નક્ષત્રનો એક તારો છે. આ રત્નપ્રભા નામક પૃથ્વીના કેટલાક નારકોની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમની છે. આ રત્નપ્રભા નામક પૃથ્વીના. નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે. શર્કરપ્રભા નામક પૃથ્વીના નારકોની જઘન્ય સ્થિતિ એક સાગરોપમની છે. અસુર કુમાર દેવોમાંથી કેટલાક દેવોની સ્થિતિ એક પલ્યોપમની છે.અસુર કુમાર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ થોડી અધિક એક સાગરોપમની છે.અસુરેન્દ્રને છોડીને કેટલાક ભવનપતિ દેવોની સ્થિતિ એક પલયોપમની છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કેટલાક ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિઓની સ્થિતિ એક પલ્યોપમની છે. અસંખ્યાત વર્ષના આયુવાળા કેટલાક ગર્ભજ સંજ્ઞી મનુષ્યોની સ્થિતિ એક પલ્યોપમની છે. વાણવ્યંતર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમની છે. જ્યોતિષ્ક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની છે. સૌધર્મકલ્પમાં દેવોની જધન્ય સ્થિતિ એક પલ્યોપમની છે. સૌધર્મ કલ્પમાં કેટલાક દેવોની સ્થિતિ એક સાગરોપમની છે. ઈશાન કલ્પના દેવોની જધન્ય સ્થિતિ કંઈક અધિક એક પલ્યોપમની છે. ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ એક સાગરોપમની છે. સાગર, સુસાગર, સાગરકાન્ત, ભવ. મનુ, માનુષોત્તર, અને લોકહિત, આ સાત વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની કહી છે. સાગર યાવતુ લોકહિત વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓ એક પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે સાગર યાવતુ લોકહિત નામક પૂર્વોકત વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓને એક હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જે જીવો એક ભવ ગ્રહણ કરીને સિદ્ધ, બુદ્ધ અને સર્વથા પરિનિવૃત થઈ બધા દુઃખોનો અંત કરશે. સમવાય-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ સમવાય-૨ [] તીર્થકરોએ દંડ બે બતાવ્યા છે-અર્થદંડસ્વપરના હિત માટે આવતી હિંસા અને અનર્થદંડ-સ્વપરના હિત માટે ન હોય એવી વ્યર્થ કરાતી હિંસા. રાશિ બે પ્રકારની છે- જીવરાશિ અને અજીવ રાશિ. બંધન બે પ્રકારના છે-રાગબંધન અને દ્વેષબંધન. પૂર્વાફાલ્યુની નક્ષત્રના બે તારા છે. પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બે તારા છે. ઉત્તરાભાદ્રપદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy