SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંથ-૧, અધ્યયન-૪, ઉસો-ર ર૯ [૧૪પ આ સંસારમાં એવા કેટલાંક પ્રાણીઓ છે જેઓને નરકાદિના દુઃખોનો પરિચય છે-નરકાદિ સ્થાનોમાં થનારા દુઃખોનું વેદન કરી કરીને તેઓ દુઃખોના અભ્યાસી થઈ ગયા છે. અત્યંત દૂરકર્મ કરવાથી અતિભયંકર દુખવાળા સ્થાનમાં ઉત્પન્ન થવું પડે છે અને અતિ ક્રૂરકર્મ નહીં કરનારાઓને એવા દુઃખમય સ્થાનમાં ઉત્પન્ન થવું પડતું નથી. આ પ્રમાણે જે શ્રુતકેવળી કહે છે તે જ કેવળજ્ઞાની કહે છે. જે કોવળજ્ઞાની કહે છે તે જ શ્રુતકેવળી કહે છે. [૧૪] આ લોકમાં કોઈ શ્રમણ-બૌદ્ધસાધુ અને બ્રાહ્મણો પૃથક પૃથક રીતે ધર્મવિરુદ્ધ ભાષણો કરીને કહે છે કે “અમે શાસ્ત્રમાં જોયું છે, પૂર્વજોના મુખેથી સાંભળ્યું તથા માન્યું છે, વળી નિશ્ચિતરૂપથી ઊંચી, નીચી તથા તીર્જી દિશામાં પરીક્ષા કરીને જાયું છે, કે સર્વ જીવો, સર્વભૂતો અને સર્વસત્વોને મારવામાં, દબાવવામાં, પકડવામાં પરિતાપ પહોંચાડવામાં, કે પ્રાણરહિત કરવામાં કોઈ દોષ નથી.” આવું કથન અનાર્ય પુરુષોનું છે. આર્ય પુરુષનું કહેવું છે કે તમારું દેખવું, સાંભળવું, માનવું, નિશ્ચિત રૂપથી જાણવું એ સર્વ મિથ્યા છે. તેમ જ ઊર્ધ્વ, અધો, તિર્યંગ દિશામાં પરીક્ષા કરીને તમે જાણો છો એ સર્વ પણ મિથ્યા છે. વળી તમે કહો છો, પ્રરૂપણા કરો છો અને પ્રજ્ઞાપના કરો છો કે“સર્વ પ્રાણીઓ જીવો, ભૂતો અને સત્વોને મારવા, દબાવવા, પકડવા, પરિતાપ પહોંચાડવા, પ્રાણરહિત કરવામાં કોઈ દોષ નથી' એવું કથન તો અનાયનું છે. અમે એમ કહીએ છીએ, એમ બોલીએ છીએ, એવી પ્રરૂપણા કરીએ છીએ અને એવી પ્રજ્ઞાપના કરીએ છીએ કે કોઈ પણ પ્રાણી, જીવ, ભૂત અને સત્વને મારવા ન જોઈએ, દબાવવા ન જોઈએ, પકડવા ન જોઈએ, પરિતાપ પહોંચાડવો ન જોઈએ, પ્રાણરહિત કરવા ન જોઇએ. એ દોષ રહિત કાર્ય છે.” એવું આર્યપુરુષોનું કથન છે. પહેલાં પ્રત્યેક મતવાળાના સિદ્ધાંતને જાણી અમે પૂછીએ છીએ કે “હે વાદીઓ ! તમને સુખ અપ્રિય છે કે દુઃખ અપ્રિય છે?” સત્યનો સ્વીકાર કરીને તેઓને એવું કહેવું પડશે, કે સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્વોને દુઃખ અપ્રિય છે, મહા ભય ઉપજાવનાર છે, દુઃખ રૂપ છે એમ હું કહું છું. અધ્યયન -૪ ઉદેસોઃ ૨ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયનઃ૪-ઉદ્દેસોઃ૩) [૧૭] ધર્મથી વિરુદ્ધ ચાલનારની તરફ ઉપેક્ષા કરો. આમ કરનાર જ લોકમાં વિદ્વાનું ગણાય છે. હે સાધક ! તું વિચાર કર અને જો! દુઃખ આરંભથી ઉત્પન્ન થાય છે, એમ જાણી આરંભનો જે ત્યાગ કરે છે, શરીરની શુશ્રુષા તથા શૃંગારની ઇચ્છા કરતા નથી તથા ધર્મના રહસ્યને જાણીને સરળ સ્વભાવી થઈ કર્મોને નષ્ટ કરે છે. તે જ સાચા સમ્યગ્દર્શી છે. સર્વ તત્ત્વદર્શી કમને જાણી અને દુઃખની બાબતમાં કુશળ બની સાવદ્ય કમના ત્યાગનો ઉપદેશ આપે છે. [૧૪૮] આ સંસારમાં સર્વજ્ઞોની આજ્ઞાનું પાલન કરવાની ઇચ્છાવાળા પંડિત રાગરહિત થઈ આત્માના એકપણાને જાણી શરીરને ક્રશ કરે છે. મુનિ ! પોતાને કુશ કર, પોતાના શરીરને જીર્ણ કર, ચિત્તવૃત્તિઓને જીર્ણ કર. જેમ જીર્ણ લાકડાને અગ્નિ બાળી નાખે છે તેમ સદા ઉપયોગવાળા અપ્રમત્ત અને આસક્તિરહિત સાધક કમને જલદી નષ્ટ કરી દે છે. સ્થિરતાપૂર્વક ક્રોધરૂપી શત્રુનો નાશ કર. Jain Education International - 1 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy