SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩, ઉદેસો-૩ [૧૩૧] જે કર્મોને દૂર કરનાર છે તે મોક્ષને પ્રાપ્ત કરનાર છે, જે મોક્ષને પ્રાપ્ત કરનાર છે તે કમને દૂર કરનાર છે. એવું સમજીને વિચારવું જોઈએ. હે પુરુષ ! તું પોતાના આત્માનો નિગ્રહ કર. એમ કરવાથી તું દુઃખોથી મુક્ત થઈ જઈશ. હે પુરષ! તું સત્યનું જ સેવન કર. કારણ કે સત્યની આજ્ઞામાં પ્રવર્તિત બુદ્ધિમાન સાધક સંસારને તરી જાય છે અને શ્રુત-ચારિત્ર રૂપ ધર્મનું યથાર્થ રૂપથી પાલન કરી કલ્યાણ પ્રાપ્ત કરે છે. [૧૩૨] રાગ દ્વેષથી કલુષિત થયેલા જીવ આ ક્ષણભંગુર જીવન માટે, કીર્તિ, માન, પૂજા માટે પાપકર્મ કરવામાં મશગૂલ રહે છે અને તેમાં આનંદે માને છે. ૧૩૩ જ્ઞાની સાધક સાધનાના માર્ગમાં આવવાવાળા દુઃખ કે પ્રલોભનોથી વ્યાકુળ ન થાય. સંસારના સમસ્ત પ્રપંચોથી મુક્ત થાય છે તે જુઓ, એમ હું કહું છું અધ્યનનઃ૩-ઉદેસોઃ ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યનનઃ ૩-ઉદેસો ૪) [૧૩૪] જે ત્યાગના ઉપાસક છે તે અવશ્ય ક્રોધ, માન, માયા, લોભનું વમન કરે છે, જે કમર્સિવોનું વમન કરે છે તે પોતાના કર્મોનું ભેદન કરે છે. આવો દ્રવ્ય-ભાવ શસ્ત્રથી સર્વથા પર રહેનાર કર્મોનો અંત કરનાર સર્વજ્ઞ ભગવાન મહાવીરનો ઉપદેશ છે. [૧૩પ જે એકને જાણે છે તે સર્વને જાણે છે. જે સર્વને જાણે છે તે એકને જાણે છે. [૧૩] પ્રમાદીને બધી બાજુથી ભય રહે છે. અપ્રમાદીને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. જે એક (મોહનીયકમ) ને નમાવે છે તે અનેકને નમાવે છે, જે અનેકને નમાવે છે તે એકને નમાવે છે. સંસારના દુઃખોને જાણી લોકના સંયોગોનો ત્યાગ કરી ધીર સાધક સંયમ માર્ગ-મોક્ષમાર્ગમાં પ્રયાણ કરતો થકો ઉત્તરોત્તર આગળ વધે છે અને અસંયમિત જીવનની અભિલાષા કરતો નથી. [૧૩૭] જે એક મોહકમ)નો ક્ષય કરે છે તે અનેકનો ક્ષય કરે છે. જે અનેકનો ક્ષય કરે તે એકનો ક્ષય કરે છે. જે શ્રદ્ધાવાનું છે, તીર્થંકરની આજ્ઞામાં છે, બુદ્ધિમાનું છે તે ક્ષેપક શ્રેણીને યોગ્ય છે. ભગવાનની આજ્ઞાથી લોકના યથાર્થ સ્વરૂપને જાણી કોઈથી પણ ભય ન પામે શસ્ત્ર (અસંયમ) એક બીજાથી તેજ અથવા મંદ હોય છે પરંતુ અશસ્ત્ર (સંયમઅહિંસા)માં આ તરતમતા નથી. [૧૩૮]જે ક્રોધને જાણે છે. તે માનને જાણે છે (છોડે છે).જેમાનને છોડે છે તે માયાનો ત્યાગ કરે છે, માયાને છોડે છે તે લોભને ત્યાગ કરે છે. જે લોભને છોડે છે તે રાગને છોડે છે, જે રાગને છોડે છે તે દ્વેષનો ત્યાગ કરે છે, જે દ્વેષનો ત્યાગ કરે છે તે મોહને છોડે છે, જે મોહને છોડે છે તે ગર્ભથી મુક્ત થાય છે, જે ગર્ભથી મુક્ત થાય છે તે જન્મથી મુક્ત થાય છે, જે જન્મથી મુક્ત થાય છે તે મૃત્યુથી મુક્ત થાય છે, જે મૃત્યુથી મુક્ત થાય છે તે નરકથી મુક્ત થાય છે, જે નરકથી મુક્ત થાય છે તે તિર્યંચથી મુક્ત થાય છે, જે તિર્યંચથી મુક્ત થાયે છે તે દુઃખથી મુક્ત થાય છે. માટે બુદ્ધિમા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ મોહ, ગર્ભ જન્મ, મૃત્યુ, નરક, તિર્યંચના દુઃખોથી નિવૃત્ત થાય. આ દ્રવ્ય-ભાવ શસ્ત્રથી રહિત સંસારથી પાર પામેલ સર્વજ્ઞનું કથન છે. કમસ્ત્રિવોને રોકી પોતાના કર્મોને દૂર કરવા જોઈએ. સર્વજ્ઞ તત્ત્વદર્શને ઉપાધિ છે કે નથી? તેને ઉપાધિ નથી. એમ હું કહું છું. અધ્યયન ૩-ઉદેસઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુજરછાયાપૂર્ણ અધ્યનનઃ ૩-ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy