SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ ઠાણ -૪/૨/૩૦૮ વેશભૂષાવાળો છે. એક પુરુષ શાંત સ્વભાવવાળો છે પરંતુ સારી વેશભૂષાવાળો નથી. એક પુરુષ ખરાબ વેશભૂષાવાળો છે પરંતુ શાંત સ્વભાવી છે. એક પુરુષ ખરાબ વેશભૂષાવાળો પણ છે અને અશાન્ત-શ્નર સ્વભાવવાળો પણ છે. શંખ ચાર પ્રકારના છે- એક શંખ વામ છે અને વામાવર્ત પણ છે.એક શંખ વામ છે પરંતુ દક્ષીણાવર્ત છે. એક શંખ દક્ષિણ છે પરંતુ વામાવર્ત છે. એક શંખ દક્ષિણ છે અને દક્ષિણાવર્ત પણ છે. એ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહેલા છે. એક પુરુષ પ્રતિકૂલ સ્વભાવવાળો છે અને પ્રતિકૂલ વ્યવહારવાળો છે. એક પુરુષ પ્રતિકૂલ સ્વભાવવાળો છે પરંતુ અનુકૂલ વ્યવહારવાળો છે. એક પુરુષ અનુકૂલ વ્યવહારવાળો છે પરંતુ પ્રતિકૂલ સ્વભાવવાળો છે. એક પુરુષ અનુકૂલ સ્વભાવવાળો છે અને અનુકૂલ વ્યવહારવાળો પણ છે. ચાર પ્રકારની ધૂમશિખા કહેલી છે- એક ધૂમશિખા વામા છે ને વામાવર્ત છે. એક ધૂમશિખા વામા છે પરંતુ દક્ષિણાવર્ત છે. એક ધૂમશિખા દક્ષિણા છે પરંતુ વામાવર્ત છે. એક ધૂમશિખા દક્ષિણા છે અને દક્ષિણાવર્ત પણ છે. એ પ્રમાણે સ્ત્રીઓ પણ ચાર પ્રકારની કહેલી છે : ચાર પ્રકારની અગ્નિશિખા કહેલ છે- ધૂમશિખાની જેવા જ અગ્નિશિખાના ચાર ભાંગા સમજવા. એ પ્રમાણે સ્ત્રીના ભાંગાઓ પણ સમજવો. વાયુમંડલિકા ચાર પ્રકારની કહેલ છે. ધૂમશિખાની જેવા જ વાયુમંડલિકાના ચાર ભાંગા સમજવા. એ પ્રમાણે સ્ત્રીના ચાર ભાંગા પણ જાણવા. ચાર પ્રકારના વનખંડ કહેલા છે. ધૂમશિખાની જેવા જ વનખંડના ચાર ભાંગા સમજવા. આ પ્રમાણે પુરુષના ચાર ભાંગા જાણવા. ચાર કારણોથી એકલો સાધુ એકલી સાધ્વી સાથે એકવાર અથવા વારંવાર વાગ્વિલાપ કરે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી- માર્ગ પૂછતાં, માર્ગ બતાવતાં, અશન યાવતું સ્વાદિષ્મ ચાર પ્રકારના આહાર આપતો, અશન યાવતું ચાર પ્રકારના આહાર અપાવતો. તમસ્કાયના આ પ્રમાણે ચાર નામ છે. તમ, તમસ્કાય, અંધકાર અને મહાન્ધકાર. તમસ્કાયના આ પ્રમાણે પણ ચાર નામ કહેલ છે- લોકાધિકાર, લોકતમસુ, દેવાંધકાર અને દેવતમસું. તમસ્કાયના આ પ્રમાણે પણ ચાર નામ કહેલ છે. વાતપરિઘવાયુને રોકવા માટે અર્ગલા સમાન વાતપરિઘક્ષોભ-વાયુને ક્ષુબ્ધ કરવા માટે અર્ગલા સમાન. દેવારણ્ય- દેવતાઓને સંતાઈ જવાનું સ્થાન. દેવભૂહ- જેમ માનવનો સૈન્યભૂહમાં પ્રવેશ કઠિન છે- તેમ દેવોનો તમસ્કાયમાં પ્રવેશ કઠિન છે. તમસ્કાય ચાર કલ્યો ને આવત કરીને રહેલો છે, - સૌધર્મ, ઇશાન, સનકુમાર મહેન્દ્ર. [૩૧૧] પુરુષોના ચાર પ્રકાર કહેલ છે- સંપ્રકટ પ્રતિસવી- ગુરુ આદિ સમક્ષ અકથ્ય આહારાદિનું સેવન કરનાર. પ્રચ્છન્ન પ્રતિસવી- પ્રચ્છન્ન દોષનું સેવન કરનાર. પ્રત્યુત્પન્ન નંદી- વસ્ત્ર અથવા શિષ્યના લાભમાં આનંદ માનનાર. નિસરણ નંદી- ગચ્છમાંથી પોતે અથવા શિષ્યના નીકળવાથી આનંદ પામનાર. ચાર પ્રકારની સેના કહી છે- એક સેના શત્રુને જીતવાવાળી છે પરંતુ પરાજિત થવા વાળી નથી. એક સેના પરાજિત થવા વાળી છે પણ જીતવા વાળી નથી. એક સેના શત્રુઓને જીતવાવાળી અને હરાવવાળી પણ છે. એક સેના શત્રુઓને જીતવાવાળી નથી અને હરાવવાવાળી પણ નથી. એ જ પ્રમાણે પુરુષના ચાર પ્રકાર કહ્યા છે. એક સાધુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy