SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૭, માહણની નિન્દા કરે છે તે સાધુઓની સાથે મૈત્રી ભલે રાખતો હોય, જ્ઞાન-દર્શન-ચારિત્ર પામીને, પાપકર્મના વિનાશ માટે પ્રવૃત્ત હોય, પણ તે પરલોકનો વિઘાત કરે છે અને જે મનુષ્ય શ્રમણ યા માહણની નિન્દા નથી કરતા પણ મૈત્રી સાધે છે તથા જ્ઞાનદર્શન ચારિત્રને પ્રાપ્તકરી કર્મોના વિનાશ માટે પ્રવૃત્ત થયેલા છે, તે મનુષ્ય નિશ્ચયથી પરલોકની વિશુદ્ધિ માટે સ્થિત છે. આવી વાત સાંભળીને તે ઉદક પેઢાલપુત્ર ભગવાન્ ગૌતમ સ્વામીનો આદર ન કરતાં જે દિશામાંથી આવ્યા હતા તે જ દિશામાં જવા તત્પર થયા. ત્યારે ભગવાન્ ગૌતમ સ્વામીએ કહ્યું- હે આયુષ્મન્ ઉદક ! જે પુરુષ તથાભૂત શ્રમણ અને માહણ પાસેથી એક પણ આર્યધાર્મિક સુવચનને સાંભળીને અને સમજીને પછી પોતાની સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરે છે કે તેમણે મને સર્વોત્તમ કલ્યાણનો માર્ગ પ્રાપ્ત કરાવ્યો છે, તેનો આદર કરે છે. તેને પોતાનો ઉપકારી માને છે. તેમને વંદન નમસ્કાર કરે છે. સત્કાર-સન્માન કરે છે. કલ્યાણસ્વરૂપ, મંગલસ્વરૂપ, દેવસ્વરૂપ, ચૈત્ય સ્વરૂપ માનીને તેની ઉપાસના કરે છે. ૨૨૩ ત્યાર પછી ઉદક પેઢાલપુત્રે ભગવાન્ ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું- હે ભદંત ! આ પદોને મેં પ્રથમ જાણ્યા ન હતાં, સાંભળ્યાં ન હતાં, તે પદોને હું સમજ્યો ન હતો, તેમને હ્દયંગમ કર્યા ન હતાં. તેથી તે પદો મારા માટે નહિ જોયેલા અને નહિ સાંભળેલા એવા છે. તેવા પદો મારા માટે અવિજ્ઞાત છે અને અનુપધારિત છે. (સ્મરણ કરેલ નથી). પહેલાં ગુરુના મુખારવિંદથી તેમને પ્રાપ્ત કર્યા ન હતા. તે પદો મારા માટે અપ્રગટ, સંશયરહિત, જ્ઞાત નહિ થયેલાં, અનિવહિત અને હૃદયમાં નિશ્ચય કરેલ નથી. તેથી મેં તે પદોમાં શ્રદ્ધા, વિશ્વાસ અને રુચિ કરેલ ન હતી. હે પૂજ્ય ! મેં તે પદો હવે જાણ્યા છે, સાંભળ્યા છે, સમજ્યા છે, યાવત્ તેમનો નિશ્ચય કર્યો છે. તેથી હવે હું તેમાં શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરું છું, જેમ આપ કહો છો તેમજ છે. ત્યારે ભગવાન્ ગૌતમ સ્વામી ઉદક પેઢાલપુત્રને આ પ્રમાણે કહે છેઢે આયુષ્મન્ ઉદક ! હે આર્ય ! જે પ્રમાણે કહીએ છીએ તે પ્રમાણે શ્રદ્ધા કરો, હે આર્ય ! એ પ્રમાણે જ રુચિ કરો. ત્યાર પછી ઉદક પેઢાલપુત્રે ભગવાન ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું-હે ભદંત ! હું આપની પાસે ચાર યામ (મહાવ્રત) વાળો ધર્મ છોડીને પાંચ મહાવ્રત યુક્ત ધર્મનો પ્રતિક્રમણ સહિત સ્વીકાર કરીને વિચરવા ઇચ્છું છું. ત્યાર બાદ ભગવાન્ ગૌતમ સ્વામી ઉદક પેઢાલપુત્રને લઇને જ્યાં ભગવાન્ મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા. આવીને ઉદક પેઢાલપુત્રે શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામીને આદક્ષિણ પ્રદક્ષિણા કરીને ત્રણવાર-વંદન નમસ્કાર કર્યાં. વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું-હે ભદંત ! હું આપની પાસે ચાર યામવાળા ધર્મને છોડીને પાંચ મહાવ્રતવાળા ધર્મને પ્રતિક્રમણ સહિત સ્વીકા૨વા ઇચ્છું છું. ત્યારે ભગવાને ઉદક પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું-હે દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઊપજે તેમ કરો, પ્રતિબન્ધ ન કરો. ત્યાર પછી ઉદક પેઢાલપુત્ર શ્રમણ ભગવાન્ મહાવીરની પાસે ચાર Jain Education International , For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy