SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૨, ૧૯૭ જોઇએ. દાસ, દાસીના રૂપે રાખવા જોઈએ, તેમને પરિતાપ આપવો જોઈએ, તેમને કલેશ આપવા જોઈએ, ઉપદ્રવ કરવો જોઈએ; તેઓ ભવિષ્યમાં છેદન ભેદન પામશે યાવત્ તેઓ ભવિષ્યમાં ઉત્પત્તિ, જરા, મરણ, અનેક યોનિઓમાં વારંવાર પરિભ્રમણ, જન્મ, વારંવાર સંસારમાં ઉત્પત્તિ, ગર્ભવાસમાં આવી સાંસારિક ભવપ્રપંચમાં પડી મહાકષ્ટ ભોગવશે. તે ઉપરાંત તેઓ અતિદંડ, મુંડન, તર્જન, તાડન, બંધન યાવત્ મસળવાનું દુઃખ ભોગવશે, તેમજ માતાના, પિતાના, ભાઈના, બહેનના, પત્નીના, પુત્રના, પુત્રીના પુત્રવધૂના મરણનું દુઃખ ભોગવશે. તેમજ દરિદ્રતા, દૌર્ભાગ્ય, અપ્રિયની પ્રાપ્તિ અને પ્રિયનો વિયોગ વિગેરે ઘણા ઘણા દુઃખો ભોગવશે, દૌર્મનસ્ય ભોગવશે. તેઓ આદિ અંત રહિત દીર્ઘ મધ્યવાળી ચતુર્ગીતક સંસાર-અટવીમાં વારંવાર ભટક્યા કરશે. તેઓ સિદ્ધિ અને બોધ પ્રાપ્ત કરી શકશે નહિ. સર્વ દુઃખનો નાશ પણ ક૨શે નહિ. તે વાત સર્વને માટે સમાન છે, પ્રમાણરૂપ છે, સારભૂત છે અને સર્વને તે વાત એક સરખી લાગુ પડે છે. પરંતુ જે શ્રમણ માહણ એમ કહે છે કે-સર્વ પ્રાણી, ભૂત, જીવ, સત્વને હણવા નહિ, તેઓને આશા કરવી નહિ, તેમજ બળાત્કારથી દાસદાસી બનાવવા નહિ, દુઃખ આપવું નહિ, ઉપદ્રવ કરવો નહિ, આ પ્રમાણે કહેનારા સંત-પુરુષો ભવિષ્યમાં છેદન ભેદન પામશે નહિ યાવત્ મહાકાષ્ટ ભોગવશે નહિ. વળી અતિદંડ ભોગવશે નહિ યાવત્ સંસારરૂપી ઘોર અટવીમાં વભટકશે નહિ. તેઓ સિદ્ધિ પ્રાપ્ત ક૨શે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. [૬૭૪] પૂર્વોક્ત બાર ક્રિયાસ્થાનોમાં વર્તતા જીવોએ સિદ્ધિ પ્રાપ્ત કરી નથી. તેઓએ બુદ્ધ યાવત્ મુક્ત બની, નિર્વાણ પામીને સર્વ દુઃખનો અંત કર્યો નથી. તે વર્તમાનમાં દુઃખનો નાશ કરતા નથી અને ભવિષ્યમાં પણ કરશે નહિ. પરંતુ તેરમા ક્રિયાસ્થાનમાં વર્તતા જીવોએ તે સ્થાનનું સેવન કર્યું છે. તેઓએ સિદ્ધિ, બૌધિ, મુક્તિ અને નિર્વાણને પ્રાપ્ત કરી સર્વ દુઃખોનો નાશ કર્યો છે, કરે છે અને ભવિષ્યમાં ક૨શે. આ પ્રમાણે બાર ક્રિયાસ્થાનને વર્જિત કરનાર આત્માર્થી આત્મકલ્યાણ કરનાર, આત્માનું રક્ષણ કરનાર, મનની શુદ્ધ પ્રવૃત્તિ કરનાર, સંયમનું આચરણ કરનાર, સંયમમાં પરાક્રમ પ્રગટ કરનાર, આત્માને સંસાર દાવાનળથી બચાવનાર, આત્માની દયા કરનાર, આત્માનો જગતમાંથી ઉદ્ધાર કરનાર, સાધુ પુરુષ પોતાના સર્વ પાપથી નિવૃત્ત થાય છે. તેમ હું કહું છું. બીજું ક્રિયાસ્થાન સમાપ્ત. અધ્યનન - ૨ - ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન-૩-આહારપરિક્ષા [૭૫] હે આયુષ્યમન્ ! ભગવાન પાસે મેં આ પ્રમાણે સાંભળ્યું છે, સર્વજ્ઞના શાસનમાં “ આહારપરિજ્ઞા” નામક અધ્યયન છે. તેનો અર્થ આ પ્રમાણે છે- આ લોકમાં પૂર્વાદ દિશાઓ તથા વિદિશાઓમાં ચારે બાજુ ચાર પ્રકારના બીજકાો છે. તે આ પ્રમાણે છે- અગ્રબીજ, મૂલબીજ, પર્વબીજ ને સ્કન્ધબીજ તે તે મૂળબીજ, અગ્રબીજ, પર્વબીજ. તે સ્કન્ધબીજ, બીજકાયવાળા જીવોમાં જે જે બીજથી અને જે પ્રદેશમાં ઉત્પન્ન થવાની યોગ્યતા રાખે છે તે બીજથી અને તે ક્ષેત્રમાં પૃથ્વી ઉપર ઉત્પન્ન થાય છે અને તેના ઉપર સ્થિત રહે છે ને તે પૃથ્વી ઉપર વૃદ્ધિ પ્રાપ્ત કરે છે. પૃથ્વી ઉપર ઉત્પન્ન થનાર, તેના ઉપર સ્થિત રહેનાર તથા વૃદ્ધિ પામનાર તે જીવ કર્મને વશીભૂત બનીને, For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy