SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંથ-૧, અધ્યયન-૧, ઉદેસી-૪ કર્મબંધનું કારણ છે, તેનું જ્ઞાન નથી. અગ્નિકાયમાં શસ્ત્રો પ્રયોગ નહીં કરનારને પહેલાં કહેલ હિંસાદિ ક્રિયાઓ કર્મબંધનું કારણ છે, તે વિવેક છે. આવું જાણી બુદ્ધિમાન પુરુષ સ્વયં અગ્નિકાયનો આરંભ કરે નહિ, બીજા પાસે અગ્નિકાયનો આરંભ કરાવે નહિ, અન્ય અગ્નિકાયનો આરંભ કરતા હોય તેને અનુમોદના આપે નહિ, જે આ અગ્નિકાયના સમારંભના અશુભ પરિણામને જાણે છે તે વિવેકી મુનિ છે.એમ હું કહું છું. અધ્યનન-૧-ઉદેસો-૪નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યનન-૧-ઉદેસો-૫) [૪સંયમના સ્વરૂપને જાણીને જે એવો નિર્ણય કરે છે, કે હું વનસ્પતિ કાયની પણ હિંસા નહીં કરું એ રીતના સંકલ્પાનુસાર કોઈને પણ પીડા આપતા નથી તથા હિંસાથી નિવૃત્ત થાય છે અને નિર્ચન્થ - પ્રવચનમાં અનુરક્ત છે તે અણગાર છે. [૪૧] જે શબ્દાદિ ઇન્દ્રિયોના વિષયો છે તે આવી અર્થાત્ સંસારના કારણો છે અને જે આવર્ત છે તે ઇન્દ્રિયોના વિષયો છે. [૪૨-૪૫ આ જીવ ઉર્ધ્વ, અધો, તિર્થી અને પૂવદિ દિશાઓમાં અનેક પદાર્થોના સંપર્કમાં આવતા વિવિધ રૂપોને જુએ છે, સાંભળતો થકો શબ્દને સાંભળે છે, ઉદ્ધવ દિશામાં, અધો દિશામાં, તિછ દિશામાં, પૂવદિ દિશાઓમાં જોયેલી રૂપવાળી વસ્તુઓમાં અને મનોજ્ઞ શબ્દોમાં આસક્ત બને છે. આ આસક્તિ સંસાર કહેવાય છે. જે શબ્દાદિ વિષયોમાં પોતાના ચિત્તની વૃત્તિનું ગોપન નથી કરતા તે ભગવાનની આજ્ઞાથી બહાર છે. તે વારંવાર શબ્દાદિ વિષયોમાં ઈચ્છા રાખતા કુટિલતાનું -અસંયમનું આચરણ કરે છે અને પ્રમાદિ બની ગૃહવાસમાં જ છે | [૪૬] સાવદ્યાનુષ્ઠાનથી શરમાતા કેટલાક બોલે છે, કે “અમે અણગાર છીએ.” પરંતુ તેઓ અનેક પ્રકારના શસ્ત્રોથી વનસ્પતિકર્મ સમારંભ કરી વનસ્પતિની હિંસા કરે છે અને તેના આશ્રિત બીજા અનેકપ્રાણીઓની પણ હિંસા કરે છે. વનસ્પતિકાયના વિષયમાં ભગવાને પરિજ્ઞા-વિવેક સમજાવ્યો છે. છતાં પણ પ્રાણી જીવનના નિવહ માટે, પ્રશંસા, માન, પૂજા માટે, જન્મ-મરણથી મુક્ત થવા, દુખોના નિવારણ માટે, સ્વયં વનસ્પતિકાયના જીવોની હિંસા કરે છે, બીજા પાસે વનસ્પતિકાયની હિંસા કરાવે છે અને વનસ્પતિકાયની હિંસા કરનારને અનુમોદન આપે છે તે વ્યક્તિને આ હિંસા અહિતકર તથા અબોધિકાર છે. તીર્થંકર અથવા શ્રમણજનો પાસેથી સાંભળી સબોધ પ્રાપ્ત કરી કેટલાંક પ્રાણીઓ એ સમજે છે કે હિંસા એ કર્મબંધનું કારણ છે, મોહનું મૃત્યુનું કારણ છે, નરકનું કારણ છે છતાં પણ જીવ પોતાના કાર્યોમાં આસક્ત થઈ અનેક પ્રકારના શસ્ત્રોદ્વારા વનસ્પતિકાય કર્મ સમારંભથી વનસ્પતિકાયના જીવની હિંસા કરે છે સાથે અન્ય અનેક પ્રાણીઓની પણ હિંસા કરે છે. - [૪૭] વનસ્પતિ સજીવ છે તે બતાવતા કહે છે, કે જેમાં આપણું શરીર ઉત્પન્ન થવાના સ્વભાવવાળું છે તેવીજ રીતે વનસ્પતિ પણ ઉત્પન્ન થવાના સ્વભાવવાળી છે. આપણું શરીર વધે છે તેમ વનસ્પતિ પણ વધે છે, આપણામાં ચેતન છે તેમ વનસ્પતિમાં પણ ચેતન છે. આપણું શરીર કાપવાથી, છેદવાથી, કરમાય છે તેમ તે પણ કાપવાથી, છેદવાથી કરમાય જાય છે. આપણા શરીરને આહારની આવશ્યકતા છે તેમ વનસ્પતિને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy