SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ આયારો - ૧/૧/૧/૧૭ [૧૧-૧૩] આ જીવનના માટે, યશની પ્રાપ્તિના માટે, માન, પૂજા, સત્કાર ને માટે, જન્મ-મરણથી મુક્ત થવા અથવા જન્મના અવસર પર, મૃત્યુના અવસર પર તથા મોક્ષને પ્રાપ્તકરવા માટે અને દુઃખોને દૂર કરવા માટે પ્રાણી પૂર્વોક્ત પાપમય ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે. લોકમાં આ સર્વ કર્મસમારંભો જાણવા જોઇએ. જેણે આ સમારંભોને જાણ્યા છે તે નિશ્ચયથી પરિશાતકર્મા - વિવેકી અને મુનિ છે. તેમ હું કહું છું ઉદ્દેસા-૧ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન-૨-ઉદ્દેસો-૨ [૧૪-૧૫] વિષય કષાયથી પીડાયેલ, જ્ઞાનાદિ પ્રશસ્ત ભાવોથી હીન બનેલ, ઘણી મુશ્કેલીથી બોધ પ્રાપ્ત કરી શકનાર, અજ્ઞાની જીવ વિષય-વાસનાથી આતુર થઈ, ઘર બનાવવા આદિ વિભિન્ન કાર્યોને માટે પૃથ્વીકાયના જીવોને સંતાપ આપે છે, તે જુઓ. પૃથ્વીકાયમાં પૃથ-પૃથક્ જીવો છે તેથી જ સંયમી તે જીવોની હિંસા કરતાં શરમાય છે. અર્થાત્ પ્રાણીઓને પીડા આપ્યા વિના જીવન નિર્વાહ કરે છે. તેઓને જો. કેટલાંક ભિક્ષુઓ કહે છે, ‘કે અમે અણગાર છીએ.' આવું કહેનારા અનેક પ્રકારના શસ્ત્રોના પ્રયોગે પૃથ્વીકાય સંબંધી પાપકર્મ કરે છે, પૃથ્વીકાયના જીવોની વિરાધના કરે છે, તેમજ પૃથ્વીના આશ્રિત રહેલા વનસ્પતિ આદિ જીવોની પણ હિંસા કરે છે. [૧૬-૧૭] પૃથ્વીકાયના આરંભના વિષયમાં ભગવાને પરિક્ષા [શુદ્ધસમજ] બતાવી છે. કે જે પ્રાણીઓ જીવનના નિર્વાહ માટે, કિર્તિ માટે, માન પૂજા માટે, જન્મ-મરણથી મુક્ત થવા માટે અને દુઃખોના નિવારણ માટે સ્વયં પૃથ્વીકાયના શસ્ત્રોના આરંભ કરે છે, બીજા પાસેથી કરાવે છે અથવા પૃથ્વીકાયના શસ્ત્રનો આરંભ કરનારને અનુમોદન કરે છે. પરંતુ આ હિંસા તેના માટે અહિતકારી છે તેમજ બોધિ-બીજનો નાશ કરનારી છે. સર્વશદેવ કે શ્રમણજનો પાસેથી સાંભળી સોધ પ્રાપ્ત કરી કેટલાંક પ્રાણીઓ એ સમજે છે કે (પૃથ્વીકાયની) હિંસા એ કર્મબંધનું કારણ છે, મોહનું કારણ છે. મરણનું કારણ છે અને નરકનું કારણ છે. છતાં પણ જીવ પોતાના કાર્યોમાં આસક્ત થઈ અનેક પ્રકારના શસ્ત્રોદ્વારા પૃથ્વીકર્મસમારંભથી પૃથ્વીકાયના જીવોની હિંસા કરે છે. તેમજ પૃથ્વીને આશ્રિત અન્ય અનેક પ્રકારના વનસ્પતિકાય આદિ જીવોની હિંસા કરે છે. પૃથ્વીકાયના જીવો દેખતા નથી, સૂંઘતા નથી, સાંભળતા નથી. તો તેમને વેદનાનો અનુભવ કેવી રીતે થાય છે ? તેના ઉત્તરમાં ગુરુ કહે છે કે-જેવી રીતે કોઈ એક જન્મથી જ આંધળો, બહેરો, મૂંગો પુરુષ હોય તેને કોઈ ભાલાથી ભેદે, તલવારાદિથી છેદે, કોઈ પગને ભેદે છેદે, ઘૂંટીને, પિંડીને, ઘૂંટણને, જંઘાને, કમરને, નાભિને, પેટને, પાંસળીને, પીઠને, છાતીને, હૃદયને, સ્તનને, ખભાને, બાહુને, હાથને આંગળીને, નખને, ગળાને, દાઢીને, હોઠને, દાંતને, જીભને, તાળવાને, ગાલને, લમણાને, કાનને, નાકને, આંખને, ભ્રમરને, લલાટને અને મસ્તક ઇત્યાદિ અવયવોને, છેદે, ભેદ્દે, તેને મૂર્છિત કરે, મારી નાખે ત્યારે તેને વેદના થાય છે. પરંતુ તે વેદનાને પ્રગટ કરી શકતો નથી. તેવીજ રીતે પૃથ્વીકાયના જીવ પણ અવ્યકત રૂપથી વેદનાનો અનુભવ કરે છે, પરંતુ તેને પ્રગટ કરી શકતા નથી. [૧૮] પૃથ્વીકાયની હિંસા કરનાર પુરૂષને આરંભનું જ્ઞાન નથી તેથી તે હિંસાજન્ય પાપમાં લાગ્યો રહે છે. જે અહિંસક વૃત્તિવાળા છે તે સૂક્ષ્મ અથવા સ્થૂલ For Private & Personal Use Only www.jainelibrary.org ૧૨ Jain Education International
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy