SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ સૂયગડો-૧/૪/૧/૨૫૪ કરીને ભોગ ભોગવા નિમંત્રણ કરે છે, પરંતુ સાધુ તે શબ્દોને વિવિધ પ્રકારના પાશબંધન સમજી સ્વીકાર ન કરે. સ્ત્રીઓ સાધુના ચિત્તને હરવા માટે અનેક ઉપાય કરે છે. તે કરુણ વાક્યો બોલીને વિનીત ભાવ દેખાડી સાધુ પાસે આવે છે તથા મધુર ભાષણ કરીને કામ સંબંધી આલાપ દ્વારા સાધુને પોતાને સાથે ભોગ કરવાની વશમાં થયેલો જાણી. નોકરની પેઠે તેના પર હુકમ ચલાવે છે. [૨૫૪] જેમ શિકારી એકાકી નિર્ભય વિચરનાર સિંહને માંસનું પ્રલોભન આપી પાશમાં બાંધી લે છે, તે પ્રમાણે સ્ત્રીઓ સંવૃત સાધુને પોતાની મોહજાળમાં ફસાવી દે છે. [૫૫] જેમ રથકાર પૈડાની નેમીને અનુક્રમે નમાવે છે, તે પ્રમાણે સ્ત્રીઓ સાધુને પોતાના વશમાં કરીને પોતાના ઈષ્ટ અર્થમાં ઝૂકાવી દે છે. જેમ પાશમાં બંધાયેલ મૃગ ઉછળવા કૂદવા છતાં પણ છૂટી શકતો નથી. તેમ સાધુ પણ સ્ત્રીના પાશમાં બંધાયા પછી છૂટી શકતો નથી. | [૨૫] પછી તે સાધુ વિષમિશ્રિત ખીર ખાનાર મનુષ્યની જેમ પસ્તાય છે. માટે આ પ્રમાણે વિવેકને ગ્રહણ કરીને મુક્તિગમન યોગ્ય સાધુ સ્ત્રી-સહવાસથી દૂર રહે. [૨પ૭ સ્ત્રી-સંસર્ગ વિષલિપ્ત કાંટા જેવો જાણીને સાધુ તેનો ત્યાગ કરે, સ્ત્રીને વશ, ગૃહસ્થના ઘરમાં એકલા ઉપદેશ આપનાર સાધુ, ત્યાગને ટકાવી શકતો નથી. [૨૫૮] જે પુરુષ સ્ત્રી સંસર્ગરૂપ નિર્દનીય કર્મમાં આસક્ત છે, તે કશીલ છે. તેથી સાધુ ભલે ઉત્તમ તપસ્વી હોય તો પણ સ્ત્રીઓ સાથે વિચરે નહીં. રિપ૯-૨૬૧] ભલે પોતાની પુત્રી હો કે પુત્રવધૂ હો, ધાઈ હો કે દાસી હો, મોટી ઉમ્મરની હો કે કુમારિકા હો, પરંતુ સાધુ તેની સાથે પરિચય ન કરે. સ્ત્રી સાથે એકાંત કરવાથી અપવાદ ઉત્પન્ન થાય છે. કોઈ સ્ત્રીની સાથે સાધુને એકાંતમાં બેઠેલા જોઇને તે સ્ત્રીના જ્ઞાતિજનો અને સુજનોના ચિત્તમાં કદી દુઃખ ઉત્પન્ન થાય કે આ સાધુ પણ, બીજા માણસોની જેમ કામમાં આસક્ત રહે છે. પછી તેઓ ક્રોધિત બનીને કહે છે કે તમે તે સ્ત્રીનું ભરણ-પોષણ શા માટે કરતા નથી? કારણ તમે તેના પુરુષ-પતિ છો. ઉદાસીન સાધુને એકાંતમાં કોઈ સ્ત્રી સાથે વાતલિાપ કરતાં જોઈને કોઈ કોઈ ક્રોધિત બની જાય છે અને તેઓ સ્ત્રીમાં દોષ હોવાની શંકા કરવા લાગે છે કે તે સ્ત્રી પ્રેમવશ સાધુને વિવિધ પ્રકારના ભોજન બનાવીને આપે છે. [૨૨] સમાધિયોગ એટલે ધર્મધ્યાનથી ભ્રષ્ટ પુરુષ જ સ્ત્રીઓ સાથે પરિચય કરે છે. તેથી સાધુ પોતાના આત્મહિત માટે સ્ત્રીઓની સમીપ જાય નહીં. [૨૩] કેટલાક માણસો પ્રવ્રજ્યા લઈને પણ મિશ્રમાર્ગનું અથત કાંઈક ગૃહસ્થના અને કાંઇક સાધુના આચારનું સેવન કરે છે અને તેનેજ મોક્ષનો માર્ગ બતાવે છે, કારણ કે કુશીલોની વાણીમાંજ બળ હોય છે, કાર્યમાં નહીં. [૨૪કુશીલ પુરુષ સભામાં પોતાને શુદ્ધ બતાવે છે, પરંતુ છૂપી રીતે પાપ કરે છે. અંગચેષ્ટાદિના જ્ઞાતા પુરુષ જાણી લીએ છે કે આ માયાવી અને મહાશઠ છે. [૨૫] દ્રવ્યલિંગી અજ્ઞાની સાધુ પૂછવા છતાં પણ પોતાના દુષ્કતને કહેતો નથી, પરંતુ પોતાની પ્રશંસા કરવા લાગે છે. આચાયદિ જ્યારે તેને વારંવાર કહે છે કે તમે મૈથુનની અભિલાષા ન કરો ત્યારે તે ગ્લાનિ કરે છે. [૨૬] જે પુરુષો સ્ત્રીઓનું પોષણ કરી ચૂકેલ છે તેથી સ્ત્રીઓ દ્વારા થતાં ખેદના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy