SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્ક-૨, અધ્યયન-૧૫, ૧૭ આ મહાવ્રતની પાંચ ભાવનાઓ છે મુનિએ વારંવાર સ્ત્રીઓ સંબંધી કથા કરવી ન જોઇએ. કેવળી ભગવાનું કહે છેવારંવાર સ્ત્રીકથા કરવાથી સાધુની શાન્તિમાં વ્યાઘાત થાય છે, શાંતિભંગ થાય છે અને ફળ એ આવે છે કે તે સાધુ શાંતિથી તથા કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. એટલે જ સાધુએ પુનઃ પુનઃ સ્ત્રીઓ સંબધી વાર્તાલાપ કરવો ન જોઈએ. આ પહેલી ભાવના. સાધુએ સ્ત્રીઓની મનોહર ઈન્દ્રિયો જોવી ન જોઈએ. ટીકીટીકીને પણ જોવું ન જોઇએ. કેવળી ભગવાનનું કથન છે કે સ્ત્રીઓની મનોહર ઇન્દ્રિયોને જોનાર તથા તેનો વિચાર કરનાર સાધુ પોતાની શાંતિમાં બાધા કરે છે, શાંતિનો ભંગ કરે છે અને શાંતિથી તથા કેવળી-નિરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. આ કારણે સાધુ સ્ત્રીઓની મનોહર ઇન્દ્રિયોને ન દેખે અને તેનો વિચાર ન કરે. મુનિએ સ્ત્રીઓ સાથે પહેલાં કરેલી રતિ-કીડાનું સ્મરણ કરવું ન જોઈએ. કેવળી ભગવાનનું કથન છે કે સ્ત્રીઓ સાથે પહેલા સેવેલ રતિ ક્રિીડાનું સ્મરણ કરનાર સાધુની શાંતિમાં વિક્ષેપ થાય છે યાવતુ તે ધર્મથી ભ્રષ્ટ થાય છે. એટલા માટે નિગ્રંથ મુનિ પૂર્વકૃત રવિ-ક્રીડાનું સ્મરણ ન કરે. આ ત્રીજી ભાવના છે. સાધુએ અતિમાત્રામાં ભોજન પાણીનો ઉપભોગ કરવો ન જોઇએ. સર્વજ્ઞ ભગવાનનું કથન છે કે અધિક આહાર-પાણીનું સેવન કરનાર તથા પૌષ્ટિક તેમજ સરસ ભોજન કરનાર મુનિ પોતાની શાન્તિમાં બાધા પહોંચાડે છે. યાવત્ ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી સાધુને અતિમાત્રામાં આહાર-પાણીનું સેવન કરવું ન જોઈએ અને પુષ્ટિકર આહારનું સેવન કરવું ન જોઈએ. એ ચોથી ભાવના છે. | મુનિને સ્ત્રી, પશુ, અને પંડક (નપુસંક)ના સંસર્ગવાળા શવ્યાસનનું સેવન કરવું ન જોઈએ. સર્વજ્ઞ ભગવાનનું કથન છે કે સ્ત્રી, પશુ, પંડકથી યુક્ત શય્યાસનનું સેવન કરનારા મુનિ પોતાની શાંતિનો ભંગ કરે છે. યાવતુ ધર્મથી ભ્રષ્ટ થાય છે. એટલા માટે મુનિએ સ્ત્રી, પશુ, પંડકવાળા શયન-આસનનું સેવન કરવું ન જોઈએ એ પાંચમી ભાવના. ભાવનાઓથી ચોથું બ્રહ્મચર્ય મહાવ્રત સમ્યકરૂપથી કાયા દ્વારા પૃષ્ટ યાવતુ આરાધિત થાય છે. આ મૈથુનવિરમણ રૂપ ચોથું મહાવ્રત છે. [પ૪૦] ભગવાન! હું સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરું છું. પરિગ્રહ જો કે અલ્પ હોય કે ઘણો હોય, સૂક્ષ્મ હોય કે સ્કૂલ હોય, અચિત્ત હોય, કે સચિત્ત હોય, સ્વયં ગ્રહણ કરે નહિ, બીજાને ગ્રહણ કરાવે નહિ અને પરિગ્રહ ગ્રહણ કરનાર અનુમોદન કરે નહિ. હું પરિગ્રહનો ત્રણકરણ ત્રણયોગથી ત્યાગ કરુંછું. પાંચમાં મહાવ્રતની પાંચભાવનાઓ છે. જીવ કાનથી મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દ સાંભળે છે પરંતુ તે મનોજ્ઞ અને અમ નોજ્ઞ શબ્દોમાં આસક્ત થવું ન જોઈએ. રાગ કરવો ન જોઈએ, ગૃદ્ધ થવું ન જોઈએ, મોહિત થવું ન જોઈએ, તલ્લીન રહેવું ન જોઇએ અને વિવેકનો ત્યાગ કરવો ન જોઈએ. સર્વજ્ઞા ભગવાન કહે છે કે મનોજ્ઞ-અમનોજ્ઞ શબ્દમાં આસક્તિ કરનાર, રાગ કરનાર યાવતુ વિવેક ભૂલનાર મુનિ પોતાની શાંતિને નષ્ટ કરે છે, ભંગ કરે છે અને શાંતિથી તથા કેવળીકથિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. કર્ણપટ્ટમાં પડતાં શબ્દો સંભળાય નહી તે સંભવ નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy