SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ આયારો- ૨/૧૧/-/૫૦૨ થતી હોય, જ્યાં મહાનું નૃત્ય, ગીત, વાજીંત્ર, વીણા, તાલ, જાંગ, પખાલ, તુરી આદિ વાજિંત્રોના શબ્દ થઈ રહ્યા હોય અથવા એવાજ કોઈ બીજા સ્થાનો પર સાધુ કે સાધ્વીએ સાંભળવા માટે જવું જોઈએ નહીં. ઝગડાના સ્થાનમાં થતા શબ્દો કલહના શબ્દો, બળવાનાં શબ્દો, બે રાજ્યોના વિરોધથી થતાં શબ્દો, ઉપદ્રવના શબ્દો, બે રાજ્યોની યુદ્ધ-ભૂમિના શબ્દો કે રાજ્ય વિરોધનાં સ્થળ પર થતાં શબ્દો તથા તેવા પ્રકારના અન્ય સ્થળો પર થતાં શબ્દોને સાંભળવાની ઈચ્છાથી સાધુકે સાધ્વી તે સ્થાન પર ન જાય. નાની બાલિકાને કુમારિકાને વસ્ત્રો તથા અલંકારોથી વિભૂષિત કરી, ઘણા મનુષ્યોના પરિવાર સાથે ઘોડા કે હાથી આદિ પર આરૂઢ કરી લઈ જતી દેખી અથવા કોઈ એક પુરુષનું વધ માટે લઈ જવાતો દેખી, ત્યાં થતાં શબ્દો તેમજ તેવા પ્રકારના કોઈ પણ અન્ય સ્થળમાં થતાં શબ્દોને સાંભળવા માટે સાધુ-સાધ્વીએ જવું જોઈએ નહીં. સાધુ કે સાધ્વી વિવિધ પ્રકારનાં બીજા મહાશ્રવના સ્થાનોને પણ જાણે, જેમ કે ઘણી ગાડીઓ, ઘણા રથો, ઘણા પ્લેચ્છો, અથવા સીમાવર્તી ચોરો-ડાકુઓનાં તથા તેવા પ્રકારનાં બીજા મહાન આશ્રવોના શબ્દો સાંભળવાની ઈચ્છાથી તે-તે સ્થાન પર ન જાય. સાધુ-સાધ્વી વિવિધ પ્રકારનાં ઉત્સવોને પણ જાણે, જેમકે-સ્ત્રી કે પુરુષ, વૃદ્ધ, બાળક અથવા તરુણ આભૂષણોથી વિભૂષિત થઈને, ગાતા, બજાવતા, નાચતા હસતા-રમતા ક્રિીડા કરતા વિપુલ સ્વાદુ ખાદ્ય-ઉપભોગ કરતા, વહેંચતા, આપ-લે કરતાં, સાંભળતા, આવતા-જતા હોય તથા એવા પ્રકારના કોઈ પણ મહોત્સવો હોય તો ત્યાં શબ્દો સાંભળવા માટે જાય નહીં. સાધુ કે સાધ્વી આ લોક કે પરલોક સંબંઘી શબ્દોમાં અથવા સ્વજાતીય-પશુઓ દેવો આદિનાં શબ્દોમાં, સાંભળેલા શબ્દોમાં, નહિ સાંભળેલા શબ્દોમાં, સાક્ષાત્ ઉપલબ્ધ અથવા અનુપલબ્ધ શબ્દોમાં આસક્તત ન થાય, રાગ ન કરે, વૃદ્ધ ન થાય, મુગ્ધ ન થાય, અને લોલુપતા ધારણ ન કરે. - સાધુ અને સાધ્વીનો આ સમગ્ર આચાર છે, તેમાં યતનાની સાથે પ્રવૃત્ત થઈને સંયમમાં પરાક્રમ કરે. અધ્યયનઃ ૧૧-ચૂલિકા ૨/૪ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન ૧૨-રૂપનવિષયક - ચૂલિકા-૨/પ) [૫૦પસાધુ અથવા સાધ્વી કદાચિત્ રૂપ ને જુએ, જેમ કે-ગ્રથિતરૂપ અથતુ ફૂલ આદિને ગૂંથી ને બનાવેલ સ્વસ્તિકાદિ, વેષ્ઠિમરૂપ-વસ્ત્રાદિ ને વણાટમાં વણીને બનાવેલ પુતળી આદિના રૂપ, પૂરિમરૂપ-અંદર પૂરિને પુરષાદિની બનાવેલ આકૃતિ વગેરે, સંઘાતિમ રૂપ અનેક વસ્તુઓને મેળવીને બનાવેલા રૂપો, કાષ્ઠ કર્મ-સુંદર રથ આદિ, પુસ્તકર્મ-વસ્ત્ર અથવા તાડપત્રના પુસ્તક પર બનાવેલા ચિત્રો વગેરે, મણિકર્મ વિવિધ વણની મણિઓથી બનાવેલ સ્વસ્તિક આદિ, દતકર્મ - હાથીદત આદિથી બનાવેલ સુંદર કલાકૃતિના રૂપ, સોના ચાંદીની માળાઓ, પત્તચ્છેદ્યકર્મ-પત્રોનું છેદને કરી બનાવેલા રૂપ, તથા તેવા પ્રકારનાં અન્ય રૂપોને જોવા માટે સાધકોએ-જવું જોઈએ નહીં, બાકી સઘળું શબ્દ અધ્યયનમાં કહી ગયા છીએ તે પ્રમાણે અહીં પણ સમજી લેવું. અંતર એ જ છે કે ત્યાં શબ્દના વિષયમાં કહેલું છે, અહીંયા રૂપના વિષયમાં કહેવું. અધ્યયન ૧૨-ચૂલિકા ૨/પની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy