SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ આયારો- ૨/૬/૧૪૮૬ તે વિધિ વિશે વસ્ત્રષણામાં આવી ગયું છે તે પ્રમાણે સમજી લેવું. પાત્ર આપનાર દાતા સાધુ કે સાધ્વીને કહે કે આયુષ્મન્ શ્રમણ ! થોડીક વાર ઊભા રહો. એમ હમણાંજ ભોજન, પાણી પકાવી તૈયાર કરી પાત્ર ભરીને આપીએ છીએ. કારણ કે ખાલી પાત્ર આપવું તે સારું લાગે નહિ. આ કથન સાંભળીને શ્રમણ તે જ સમયે કહી દે- હે આયુષ્મન્ ! મારા માટે બનાવેલ ભોજન પાણી મને લેવા કલ્પે નહીં, માટે ભોજન પાણી તૈયાર ન કરો. જો તમે મને પાત્ર દેવા ઈચ્છતા હોતો એમ જ ખાલી આપો. મુનિના એમ કહેવા છતાં પણ ગૃહસ્થ ભોજન-પાણી તૈયારી કરી ભર્યું પાત્ર આપે તો તે પાત્રને દોષયુક્ત જાણી સાધુ ગ્રહણ ન કરે. ગૃહસ્થ પાત્ર લાવીને આપે ત્યારે મુનિએ કહેવું જોઈએ કે- આયુષ્મન્ ! તમારી સામે જ પાત્ર અંદર-બાહર તપાસી લઉં છું. સર્વજ્ઞ ભગવાને ફરમાવ્યું છે કે પાત્ર જોયા વિના લેવું તે કર્મબંધનું કારણ છે. સંભવ છે કે પાત્રમાં કદાચ, પ્રાણી, બીજ, અથવા લીલોતરી હોય, માટે સાધુ સાધ્વીનો પૂર્વોપર્દિષ્ટ આચાર છે કે પહેલા પાત્રને અંદર બહાર તપાસી જોવું ત્યાર પછી ગ્રહણ કરવું. ઈંડા વગેરે જીવજંતુ સહિત પાત્ર હોય તો ગ્રહણ ન કરે. એવી વિધિ વસ્ત્રષણા-અધ્યયનમાં વિસ્તારથી-આવી ગઈ છે. તેજ સઘળી વિધિ પાત્ર માટે પણ સમજી લેવી, વિશેષતા માત્ર એટલી જ છે કે પાત્ર જો તેલથી. ઘીથી, માખણથી કે ચરબીથી સુગંધિત દ્રવ્યોથી અથવા બીજા કોઈ દ્રવ્યોથી ખરડાયેલું હોય તો તે પાત્ર લઈને એકાંતમાં જાય. ત્યાં જીવજંતુ રહિત ભૂમિનું પ્રતિલેખન-પ્રમાર્જન કરે અને પછી તે જગ્યામાં પાત્ર ને ઘસી-ઘસીને સાફ કરે. સાધુ સાધ્વીજીઓનો આ પાત્ર સંબંધી સંપૂર્ણ આચાર છે. મોક્ષના અભિલાષીઓએ તેનું પૂર્ણ રૂપથી પાલન કરવું જોઈએ અને સંયમમાં સદા યતનાવાનું થવું જોઈએ, એમ હું કહું છું. અધ્યયનઃ ૬ - ઉદેસો- ૧-ની મુનીદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયનઃ૬- ઉસોઃ ર [૪૮૭]ગૃહસ્થને ઘેર આહાર-પાણી લેવા જતાં પહેલાં સાધુ-સાધ્વી પાત્રને બરાબર જુએ, તેમાં જીવજંતુ હોય તો સાવધાનીપૂર્વક લઈને એક બાજુ મૂકી દે. ધૂળ હોય તો ગુચ્છા દ્વારા પ્રમાર્જન કરે અને પછી આહારાદિ માટે નીકળે કે પ્રવેશ કરે. પ્રતિલેખન-પ્રમાર્જન કર્યા વિના ગોચરી લેવા જાય તો કેવળી ભગવાને કર્મ-બંધનું કારણ કહ્યું છે. સંભવ છે કે પાત્રમાં રહેલ પ્રાણી, બીજ કે લીલી વનસ્પતિ વગેરે જીવો હોય અને તેમને પરિતાપ થાય. તેથી મુનિઓનો આ જ પૂર્વાદિષ્ટ આચાર છે. માટે પહેલા પાત્રને સારી રીતે જોઈને-પુંજીને યતનાપૂર્વક ગૃહસ્થના ઘેર ગોચરી માટે નીકળવું. [૪૮૮]ગૃહસ્થના ઘેર ગયેલા સાધુ કે સાધ્વી જ્યારે આહાર-પાણીની યાચના કરે ત્યારે ગૃહસ્થ ઘરમાંથી સચિત્ત પાણી પાત્રમાં લઈને સાધુને આપવા આવે ત્યારે તે પાણી તેનાં હાથમાં પાત્રમાં હોય તો અપ્રાસુક જાણી ગ્રહણ ન કરે. કદાચિત્ અસાવધાનીથી ગ્રહણ કરી લેવાય તો તુર્તજ ગૃહસ્થને પાછું આપી દે. જો ગૃહસ્થ પાણી પાછું ન લે તો તે પાણી લઈને તે જાતિના પાણીમાં સાવધાનીપૂર્વક પરંઠવી દે અથવા સ્નિગ્ધ ભૂમિમાં પરઠી દે. જે પાત્ર કાચા પાણીવાળું હોય તેને સાધુ-સાધ્વી લૂછે નહીં કે તાપમાં સૂકવે નહી. જ્યારે પાત્ર સ્વયં સૂકાઈ જાય ત્યાર પછી યતનાપૂર્વક સાફ કરે અને પ્રમાર્જન For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy