________________
અવધૂતો આહવાહol.
અવધૂત તો આબુ-અચલગઢની ગુફાઓમાં વસે... આવી લોકમાન્યતા હોય છે. પણ વાસ્તવમાં અવધૂત આપણા સહુની ભીતરમાં વસે છે. અનાદિકાળથી એ નિદ્રાધીન છે. અધ્યાત્મ યોગીરાજ આનંદઘનજી મહારાજે એને ઢંઢોળવાનો પરમ પ્રયાસ કર્યો છે. આ જ પ્રયાસનું શબ્દચિત્ર એટલે પ્રસ્તુત પદ.
આ પદમાં જેમ જેમ ઊંડા ઉતરો, તેમ તેમ યોગીરાજનું આવાહન અંતરમાં સ્પર્શતું જાય છે... આ આવાહનને આપણે ઝીલી લઈએ, દેહમઠમાં નિદ્રા લેતા અવધૂતને જાગૃત કરીએ, અને આત્માનુભૂતિનો આનંદ માણીએ એ જ શુભાભિલાષા.
- આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ
www.jainelibrary.org