SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ Fe લોકાંત સુધી જાય છે. તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૯ कुलालचक्रे दोलाया- मिषौ चापि यथेष्यते; पूर्वप्रयोगात्कर्मेह, तथा सिद्धिगतिः स्मृता १० કુંભારનો ચાક,હિંડોલા અને બાણને વિષે જેમ પૂર્વ પ્રયોગથી ભ્રમણ, ગમનાદિ ક્રિયા થાય છે તેવી રીતે અહિં પૂર્વ પ્રયોગથી સિધ્ધની ગતિરૂપ ક્રિયા કહેલ છે-થાય છે. ૧૦. मृल्लेपसङ्गनिर्मोक्षा - द्यथा दृष्टाप्स्वलाबुनः कर्मसङ्गविनिर्मोक्षा तथा सिद्धिगति: स्मृता: . ११ ૧૧. જેવી રીતે માટીના લેપ રૂપ સંગથી સર્વથા મુકત થવાથી તુંબડાની પાણીમાં ઉર્ધ્વગતિ દેખાય છે તેવીજ રીતે કર્મરૂપ સંગથી સર્વથા નિર્મુકત થવાથી-સિધ્ધની ઉર્ધ્વગતિ કહેલી છે. एरण्डयन्त्रपेडासु, बन्धच्छेदाद्यथा गति:; कर्मबन्धनविच्छेदा-त्सिद्धस्यापि तथेष्यते. १२ એરંડના ગુચ્છાના બંધના છેદન થકી જેમ એરંડ બીજની ગતિ થાય છે તેવી રીતે કર્મરૂપ બંધના છેદન થકી સિધ્ધની પણ ઉર્ધ્વગતિ ગણાય છે. ૧૨ उर्ध्वगौरवधर्माणो, जीवा इति जिनोत्तमैः; अधोगौरवधर्माण:, पुद्गला इति चोदितम्. १३ ઉર્ધ્વ ગમનના ગૌરવ ધર્મવાળા જીવો છે અને અધોગમનના ગૌરવ ધર્મવાળા પુદ્ગલો છે, એમ જિન-કેવલી માંહે ઉત્તમ એવા તીર્થંકરોએ કહેલું છે. ૧૩ यथाऽधस्तिर्यगूर्ध्व च, लोष्टवाय्वग्निवीतयः; स्वभावतः प्रवर्तन्ते, तथोर्ध्वं गतिरात्मनाम् . १४ ૧૪ જેવી રીતે પાષાણ, વાયુ અને અગ્નિની ગતિઓ સ્વભાવે જ અનુક્રમે અધો, તિóિ અને ઉર્ધ્વ પ્રવર્તે છે તેવી રીતે આત્મા ની ગતિ પણ સ્વભાવે ઉર્ધ્વ થાય છે. अतस्तु गतिवैकृत्य-मेषां यदुपलभ्यते; कर्मणः प्रतिघाताच्च, प्रयोगाच्च तदिष्यते. १५ ઉપર કહેલ કરતાં જુદી રીતે એ જીવ પુદ્ગલાદિની ગતિ જે થાય છે તે કર્મથી, પ્રતિઘાતથી અને પ્રયોગથી થાય છે. ૧૫. अधस्तिर्यगथोर्ध्वं च जीवानां कर्मजा गतिः; उर्ध्वमेव तु तद्धर्मा, भवति क्षीणकर्मणाम्. १६ જીવોની કર્મવડે અધો, તિર્યક્અને ઉર્ધ્વગતિ થાય છે પરંતજેના કર્મક્ષીણ થયાછે એવા જીવોની તો ઉર્ધ્વગતિજ થાય છે. કેમ કે જીવ સ્વભાવે ઉર્ધ્વગતિ ધર્મવાળો છે. ૧૬. द्रव्यस्य कर्मणो यद्वदुत्पत्त्यारम्भवीतयः; समं तथैव सिद्धस्य, गतिमोक्षभवक्षयाः १७ જેવી રીતે દ્રવ્યમાં ક્રિયાની ઉત્પત્તિ, આરંભ અને નાશ એક સાથે થાય છે તેવી જ રીતે સિધ્ધની ગતિ, મોક્ષ અને ભવનો ક્ષય સાથે થાય છે. ૧૭. उत्पत्तिश्च विनाशश्व प्रकाशतमसोरिह, युगपद्भवतो यद्वत्, तथा निर्वाणकर्मणोः For Private & Personal Use Only Jain Education International १८ www.jainelibrary.org
SR No.005040
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy