SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ અધ્યાયઃ ૯ સૂત્ર: ૨૨ પશ્ચાતાપપૂર્વક ભૂલની કબુલાત સ્પષ્ટ શબ્દોમાં કરવી અને તે ભૂલ શુધ્ધ થઇજાઓ અર્થાત્ મિથ્યા તુકૃતમ્ દઈ, ભાવિમાં ફરી આ ભૂલન કરવાની કબુલાત પ્રત્યાખ્યાન અને અતિચાર શુધ્ધિ અર્થે કાયોત્સર્ગ કરવા રૂપ જે સમગ્ર ક્રિયા તેને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત કહે છે. જ [૩]તદુભય $ ઉકત આલોચન અને પ્રતિક્રમણ બન્ને સાથે કરવામાં આવે ત્યારે તદુભય અર્થાત મિશ્ર પ્રાયશ્ચિત. # આલોચના તથા પ્રતિક્રમણ ઉભયથી દોષોની શુધ્ધિ કરવી અર્થાત્ દોષોને ગુર આદિની સમક્ષ પ્રગટ કરવા અને અંતઃકરણથી મિથ્યાદુષ્કત આપવું. 4 एतद् उभयम् आलोचन प्रतिक्रमणे । [૪]વિવેક # ખાનપાન આદિવસ્તુ જો અકલ્પનીય આવી જાય અને પછીથી ખ્યાલ આવે તો તેનો ત્યાગ કરવો તે “વિવેક' પ્રાયશ્ચિત. $ વિવેક એટલે ત્યાગ. આહાર આદિ ઉપયોગ પૂર્વક લેવા છતાં અશુધ્ધ આવી જાય તો વિધિપૂર્વક તેનો ત્યાગ કરવો એ વિવેક છે. विवेको विवेचनं विशोधनं प्रत्युपेक्षणम् इति अनर्थान्तरम् । स एव संसक्तानपानोपकरणादिषु भवति । # વિવેક,વિવેચન,વિશોધન અને પ્રત્યક્ષેણ આ બધા શબ્દો એકજ અર્થના વાચક છે. મળેલી વસ્તુને પૃથપૃથફ કરવી તે વિવેક છે .આ પ્રાયશ્ચિત મળેલ અન્ન-પાનઉપકરણ આદિ વસ્તુઓના વિષયમાં હોય છે. g આધાકર્મ-આદિ દોષ યુકત ગ્રહણ કરાયેલા આહારનો ત્યાગ કરવા રૂપ જે * પ્રાયશ્ચિત તે વિવેક પ્રાયશ્ચિત # દોષિત અન્નપાન વિશે,ૌધિક અને ઉપગ્રહિત ઉપધિ-મુનિના સંયમ ધર્મના પાલન માટેના ઉપકરણો વિશે, શવ્યા,ઉપાશ્રય, રાખ,કુંડી,ઔષધાદિક લેવામાં જે દોષ લાગ્યા હોય, તે ગુરુભગવંતને વિવેચના પૂર્વક જણાવવા અને દરેક નું વિગતવાર ગુરુદત્ત પ્રાયશ્ચિત કરવું તે વિવેક પ્રાયશ્ચિત. વ્યુત્સર્ગ# એકાગ્રતાપૂર્વક શરીરના અને વચનના વ્યાપારોછોડી દેવાતે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત. ( વિશેષ પ્રકારે ત્યાગ તે વ્યુત્સર્ગ. અર્થાત્ ઉપયોગ પૂર્વક વચન અને કાયાના વ્યાપારોનો ત્યાગ તે વ્યુત્સર્ગ તપ છે. + व्युत्सर्गः प्रतिष्ठापनम् इति अनर्थान्तरम् । स एव ससक्त अन्नपानउपकरणादिषु अशंकनीयविवेकेषु च भवति । $ વિવેક પ્રાયશ્ચિત કરવા વિશેષ શુધ્ધિની જરૂર પડે ત્યારે આ વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત કરવાની આવશ્યકતા રહે છે. આને ઉત્તરીકરણ રૂપ પણ ગણવામાં આવેલ છે [આ અર્થ કાયોત્સર્ગને આશ્રીને કરાયો છે] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy